જ્યારે અક્કલ વેચાતી હતી ત્યારે... પાકિસ્તાની પૂર્વ ખેલાડીએ દ્રવિડ વિશે ઝેર ઓક્યુ

લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જીતવાની લડાઈ ચાલુ છે. ભારતીય ટીમ આ મેચમાં હજુ ઘણી બધી પાછળ છે. ઓસ્ટ્રેલિયાની લીડ 300ને પાર કરી ગઈ છે. જો ભારતે આ મેચમાં જીત મેળવવી હોય તો ટીમના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરવું પડશે. નહીં તો 10 વર્ષ બાદ ફરી એકવાર ICC ટ્રોફી જીતવાનું ટીમ ઈન્ડિયાનું સપનું અઘરું રહી જશે. આ દરમિયાન પાકિસ્તાનના એક પૂર્વ ક્રિકેટરે ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડને લઈને મોટું નિવેદન આપ્યું છે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ WTC ફાઈનલ મેચની વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. તેણે રાહુલ દ્રવિડના કોચ બનવા પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું છે કે, કોચ તરીકે દ્રવિડ 'ઝીરો' છે. પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા બાસિત અલીએ કહ્યું કે, ભારત એ જ સમયે મેચ હારી ગયું જ્યારે ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. બોલિંગ અંગે તેણે કહ્યું કે, ભારતીય બોલરોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. લંચ બાદ ભારતીય બોલરો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.

બાસિત અલીએ કહ્યું કે, હું રાહુલ દ્રવિડનો મોટો પ્રશંસક છું અને હંમેશા રહીશ. તે એક લિજેન્ડ છે, પરંતુ કોચ તરીકે તે બિલકુલ 'ઝીરો' છે. તેણે વધુમાં કહ્યું કે, જ્યારે ભારત ઓસ્ટ્રેલિયામાં રમવા ગયું ત્યારે ત્યાંની પિચો ઉછાળવાળી હતી. ખબર નહીં આ મેચમાં તે શું વિચારી રહ્યો હતો. જ્યારે ઉપરવાળા અક્કલ વહેંચતા હતા, ત્યારે ખબર નહીં તેઓ કયા પર્વતોની પાછળ ક્યાં છુપાયેલા હતા.

બાસિતે તો એમ પણ કહ્યું કે જ્યારે કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો ત્યારે જ ભારત મેચ હારી ગયું હતું. બાસિતે કહ્યું કે, ભારતે પ્રથમ બે કલાકને જોઈને નિર્ણય લીધો અને તેથી જ તેણે પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. તેણે કહ્યું કે ભારતની બોલિંગ ટેસ્ટ લેવલની નથી પરંતુ IPL લેવલની છે.

આ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે કહ્યું કે, હવે આ મેચમાં ભારતને કોઈ ચમત્કાર જ જીતાડી શકશે. તેણે કહ્યું કે, ભારત હવે એ જ કરી શકે એમ છે કે તે ટીમને શક્ય તેટલી ઝડપથી આઉટ કરવાની કોશિશ કરે અને ચોથી ઇનિંગમાં કોઈ ચમત્કાર થાય તેની આશા રાખે. ભારતે જે 120 ઓવર ફિલ્ડ કરી છે, તે સમયે મેં અજિંક્ય રહાણે, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સહિત માત્ર 2-3 ખેલાડીઓને જ ફિટ જોયા હતા. બાકીના બધા ખેલાડીઓ થાકેલા દેખાતા હતા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.