28 વર્ષીય ક્રિકેટર સિદ્ધાર્થ શર્માનું નિધન, ગુજરાત રણજી ટ્રોફી રમવા આવેલો

હિમાચલ પ્રદેશના ક્રિકેટર સિદ્ધાર્થ શર્માનું નિધન થઇ ગયું છે. તેના નિધનથી ક્રિકેટ જગતમાં શોકની લહેર પ્રસરી ગઇ છે. સિદ્ધાર્થ શર્મા ખૂબ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. તેને સારવાર હેતુ હૉસ્પિટલમાં દાખલ પણ કરાવવામાં આવ્યો હતો. જો કે, ગત દિવસોમાં તેના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ તેના સ્વાસ્થ્ય વધારે બગડી ગયું હતું. વડોદરામાં અંતિમ શ્વાસ લીધા. તે મેચ રમવા માટે વડોદરા ગયો હતો. જ્યાં તેની તબિયત એકાએક બગડી ગઇ. ત્યારબાદ ટીમ મેનેજમેન્ટે તેને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થઇ ગયું.

28 વર્ષીય સુદ્ધાર્થ હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાનો રહેવાસી હતો. તેણે ઘણી મેચોમાં પોતાની અંદર રહેલી પ્રતિભાથી બધાને વાકેફ કરાવ્યા હતા. તેમણે વિજય હજારે ટ્રોફીમાં પોતાના બેટથી કેર વર્તાવીને બધાના હોશ ઉડાવી દીધા હતા. સુદ્ધાર્થના નાજુક થતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા તેને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યો હતો, પરંતુ અફસોસ ત્યાં પણ તેના સ્વાસ્થ્યમાં કોઇ સુધાર જોવા ન મળ્યો. સિદ્ધાર્થના નિધનથી ક્રિકેટ ફેન્સ વચ્ચે શોકની લહેર છે.

સિદ્ધાર્થ શર્માના નિધનની જાણકારી કેન્દ્રીય રેલવે મંત્રી અનુરાગ ઠાકુરે સાર્વજનિક કરી છે. સિદ્ધાર્થના નિધન પર રાજ્યના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સૂક્ખુએ ટ્વીટ કરીને આપી છે. તેમણે ટ્વીટ કરી કે વિજય હજારે ટ્રોફી વિજેતા ક્રિકેટ ટીમના સભ્ય રહેલા અને રાજ્યના સ્ટાર ફાસ્ટ બોલર સિદ્ધાર્થ શર્માના નિધનના અત્યંત દુઃખદ સમાચાર છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

તો ક્રિકેટર સુદ્ધાર્થ શર્માના નિધન પર IPLના પૂર્વ ચેરમેન અરુણ ધૂમલ, મુખ્યમંત્રી સુખવીન્દર સિંહ સૂક્ખુ, નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી, ધારાસભ્ય સતપાલ સિંહ સત્તી, હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ ચેરમેન સુરેન્દ્ર શર્મા સહિત અન્ય લોકોએ શોક વ્યક્ત કર્યો છે. એ સિવાય ક્રિકેટ ફેન્સ વચ્ચે પણ સિદ્ધાર્થ શર્માના નિધનથી શોકની લહેર છે. બધા પોતાના પ્રિય ખેલાડીના આમ જતા રહેવાથી દુઃખી છે. હકીકતમાં આપણાં બધાને સિદ્ધાર્થ શર્મા બધાને ખૂબ યાદ આવશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.