BCCI તેને તક કેમ નથી આપતી, તે બહુ મોટો ખેલાડી છે, હરભજન આવ્યો આ ખેલાડીના સપોર્ટ

IPL 2023માં ઘણા બેટ્સમેનોનું સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આગામી ICC ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, દરેક વ્યક્તિ રાષ્ટ્રીય ટીમમાં પુનરાગમન કરવાની આશા પણ રાખે છે, પરંતુ આ દરમિયાન એક ભારતીય બેટ્સમેન છે જે IPL 2023માં ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેના પ્રદર્શને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા અને હવે સવાલો ઉભા થવા લાગ્યા છે કે, આખરે BCCI દ્વારા તેની અવગણના કેમ કરવામાં આવે છે. આ સવાલ પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે પણ ઉઠાવ્યો છે.

વાસ્તવમાં, હરભજને BCCI દ્વારા શિખર ધવનની અવગણના કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેણે BCCI પર શિખર ધવન સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. પોતાની યુટ્યુબ ચેનલ પર રાજસ્થાન રોયલ્સ વિ પંજાબ કિંગ્સ મેચનું વિશ્લેષણ કરતી વખતે હરભજને કહ્યું, 'શિખર ધવન સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે, અને થોડા મહિનાઓ પહેલા સુધી તે રોહિત શર્માની ગેરહાજરીમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ પણ કરી રહ્યો હતો. પરંતુ જેવું શિખર ધવન પાસેથી કામ કરાવી લીધું કે તરત જ તેને સાઈડલાઈન કરી દેવામાં આવ્યો હતો. જાણે એમ માનો કે તેની ક્યારેય જરૂરત જ નહોતી.'

હરભજને વધુમાં કહ્યું, 'ધવન ઘણો મોટો ખેલાડી છે અને તેણે ભારતીય ક્રિકેટ માટે ઘણું બધું કર્યું છે. જો વિરાટ કોહલી, રોહિત શર્મા અને KL રાહુલને આટલી બધી તકો મળી શકે છે તો શિખર ધવનને કેમ નહીં? ફિટનેસ અને ફોર્મ બંને મામલે ધવન કોઈથી પાછળ નથી. પરંતુ તેમ છતાં તેમની સાથે આવું વર્તન કેમ કરવામાં આવે છે?

અહીં તમને જણાવી દઈએ કે, શિખર ધવને બુધવારે રાજસ્થાન સામે પંજાબ કિંગ્સ તરફથી રમતા 56 બોલમાં અણનમ 86 રનની કેપ્ટનશીપની ઇનિંગ રમી હતી અને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ધવનને ટીમ ઈન્ડિયાની બહાર રાખવામાં આવી રહ્યો છે. BCCI હવે શુભમન ગિલને ઓપનર તરીકે મંજૂરી આપી રહ્યું છે, પરંતુ સિનિયર ખેલાડી ધવન છે જે સારું પ્રદર્શન કરવા છતાં ટીમની બહાર છે. જો કે, ધવને તાજેતરમાં કહ્યું હતું કે, તે તેના વિશે ચિંતિત નથી, તેને તે જ મળશે જે તેના નસીબમાં હશે.

ભારતના ભૂતપૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે હાલમાં જ ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. હરભજનની નિવૃત્તિ સાથે જ તેના રાજકીય ભવિષ્યને લઈને વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે. કેટલાક કહે છે કે, તે હવે રાજકીય ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવશે. જેમાં હરભજન પંજાબ વિધાનસભાની ચૂંટણી લડી શકે છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે, તે IPLની કોઈપણ ટીમમાં સપોર્ટ સ્ટાફ તરીકે સામેલ થવા જઈ રહ્યો છે. પરંતુ હરભજન ઉર્ફે ભજ્જી ભવિષ્યમાં શું કરશે, તે તો સમય જ કહેશે. જો કે, તેણે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ રીતે 'કોમ્પ્રોમાઈઝ' નહીં કરે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.