સૂર્યકુમાર એટલો શાંત કેમ રહે છે? પોતે ખોલ્યું રહસ્ય, ધોની સાથે છે ખાસ કનેક્શન

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 સીરિઝ પૂરી થઇ ગઇ છે. T20 સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે 13 બૉલમાં 24 રનની ઇનિંગ રમી હતી. આ અગાઉ પણ તેણે સારી ઇનિંગ્સ રમી છે. પોતાની મહત્ત્વપૂર્ણ ઇનિંગ બાદ સૂર્યકુમાર યાદવે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાને શાંત બનાવી રાખવા માટે મહેન્દ્ર સિંહ ધોનીનો આભાર માન્યો હતો.

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુંબઇના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ખુલાસો કર્યો કે ઘરેલુ ક્રિકેટે કયા પ્રકારે રમતને સુધારવામાં મદદ કર છે. સૂર્યકુમાર યાદવે કહ્યું કે, ‘T20 સીરિઝ રાંચીથી શરૂ થઇ હતી, તો શાંતિ એટીટ્યુડ એ તરફથી જ આવ્યો છે, પરંતુ મને લાગે છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ અગાઉ મેં જે ઘરેલુ ક્રિકેટ રમી તેનાથી મને ખૂબ મદદ મળી કેમ કે, ત્યાં જે અમારી પાસે છે, અમે પડકારપૂર્ણ ટ્રેક પર રમીએ છીએ અને તમારે પોતે જ શીખવાનું હોય છે એટલે મેં ત્યાં જે કંઇ પણ શીખ્યું તેને લઇને અહીં આવ્યો છું.

સૂર્યકુમાર યાદવે કહ્યું કે, બાકી મેં જે કંઇ શીખ્યું છે તે સીનિયર ખેલાડીઓને જોઇને અને તેમની સાથે વાત કરીને શીખ્યું છે કે તેઓ અલગ-અલગ મુશ્કેલ પરિસ્થિતિઓને કઇ રીતે હેંન્ડલ કરે છે. સૂર્યકુમાર યાદવ પોતાની આ વાતચીતમાં મહેન્દ્ર સિંહ ધોનીના શાંત વિચારની વાત કરી રહ્યો હતો કેમ કે રાંચી ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું ગૃહનગર છે. સૂર્યકુમાર યાદવ વર્તમાનમાં T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં છે. તેણે ગયા વર્ષે ICC પુરુષોની T20 ઇન્ટરનેશનલમાં બેટિંગ રેન્કિંગમાં ટોપ સ્થાન હાંસલ કર્યું હતું. હાલમાં T20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં તે ટોપ પર છે.

જો સીરિઝની વાત કરીએ તો ભારતીય ટીમે 3 મેચોની T20 સીરિઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. પહેલી T20 મેચમાં ન્યૂઝીલેન્ડે જીત હાંસલ કરી હતી, ત્યારે બાકી બનેલી બંને મેચ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળીભારતીય ટીમે જીતી છે. ત્રીજી T20 મેચની વાત કરીએ તો ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે સીમિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને શુભમન ગિલ નોટઆઉટ 126 અને રાહુલ ત્રિપાઠીની 44 રનોની ઇનિંગની મદાદારગુ 234 રન બનાવ્યા હતા. 235 રનના લક્ષણો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 12.1 ઓવરમાં 66 રન પર જ ઢેર થઇ ગઇ હતી.

About The Author

Related Posts

Top News

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.