કેમ જીતશો વર્લ્ડ કપ? રાહુલ-રોહિતની હાજરીમાં BCCIની બેઠક, 3 નિર્ણયો પર લાગી મહોર

નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને ટીમ ઈન્ડિયાએ પણ તેના નવા મિશનની તરફ નજર લગાવી દીધી છે. વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર વર્લ્ડ કપ જીતવાની તક ગુમાવી, તેની સાથે કેટલીક અન્ય સમસ્યાઓ પણ સામે આવી. આ બધાની વચ્ચે BCCIમાં વર્ષના પહેલા જ દિવસે એટલે કે રવિવારે એક મહત્વપૂર્ણ બેઠક થઈ, જેમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન, રોડમેપ અને અન્ય ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવી.

મુંબઈમાં BCCI કાર્યાલયમાં આયોજિત આ સમીક્ષા બેઠકમાં BCCI પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ, કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ, NCA ડિરેક્ટર VVS લક્ષ્મણ અને મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા હાજર રહ્યા હતા.

મીટિંગમાં વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન, T20 વર્લ્ડ કપ 2022માં મળેલી હાર પર ચર્ચા થઈ હતી. આ સાથે વર્કલોડ મેનેજમેન્ટ, ફિટનેસ પેરામીટર્સ અને ODI વર્લ્ડ કપ 2023 માટે રોડમેપ પણ બનાવવામાં આવ્યો હતો.

બેઠકમાં આ ત્રણ વિષયો પર લાગી મહોર: ઉભરતા ખેલાડીઓએ હવે સ્થાનિક શ્રેણીમાં સતત રમવું પડશે, જેથી કરીને તેઓ રાષ્ટ્રીય ટીમની પસંદગી માટે તૈયાર થઈ શકે. યો-યો ટેસ્ટ અને ડેક્સા પસંદગી પ્રક્રિયાનો ભાગ હશે, જે સિનિયર ટીમના પૂલમાં રહેલા ખેલાડીઓ પર લાગુ કરવામાં આવશે. ODI વર્લ્ડ કપ 2023 અને અન્ય શ્રેણીઓને જોતા, NCA તમામ IPL ફ્રેન્ચાઇઝીઓ સાથે વાત કરશે અને ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ અંગે ચર્ચા કરશે.

અહીં તમને જણાવી દઈએ કે, આ મીટિંગની રાહ ઘણા સમયથી જોવાઈ રહી હતી. કારણ કે T20 વર્લ્ડ કપ 2022માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં બદલાવના સંકેત દેખાઈ રહ્યા હતા. હાર્દિક પંડ્યાને T20 ટીમની જવાબદારી સોંપવામાં આવી શકે છે, જ્યારે રોહિત શર્માને વનડે અને ટેસ્ટની જ કમાન સોંપવામાં આવશે.

આ સિવાય T20 માટે અલગ કોચ અને સપોર્ટિંગ સ્ટાફ પણ લાવી શકાય છે. જોકે, BCCIએ આ અંગે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી. સિનિયર ખેલાડીઓને 3 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી શ્રીલંકા T20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે, જ્યારે સિનિયર ખેલાડીઓ વનડે સિરીઝમાં ઉપલબ્ધ રહેશે. આવી સ્થિતિમાં, આ પછી જ્યારે નવી પસંદગી સમિતિની રચના કરવામાં આવે છે, ત્યારે T-20ની કેપ્ટનશીપ પર નિર્ણય લેવામાં આવી શકે છે.

ટીમ ઈન્ડિયાના પ્રદર્શનની વાત કરીએ તો, વર્ષ 2022માં એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે વિદેશની ધરતી પર ટેસ્ટ મેચ હારી હતી. હવે 2023માં પણ ટીમ ઈન્ડિયાએ એશિયા કપ રમવાનો છે અને ODI વર્લ્ડ કપ 2023 પણ યોજવાનો છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.