ઓસ્ટ્રેલિયા સીરિઝ જીતી પણ ભારતને પણ થયો ફાયદો, જાણો આવું કેવી રીતે

ઓસ્ટ્રેલિયાએ હાલની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2021-23માં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા એક તરફ સીરિઝ પર 2-0થી પોતાના નામે કરી લીધી છે. WTC ટેબલ ટોપમાં પહેલા ક્રમે આવેલી કાંગારૂની ટીમે સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચની સીરિઝને 2-0થી જીતીને પોતાની ફાઈનલની જગ્યાને લગભગ નક્કી કરી દીધી છે.

સિડનીમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે રમાયેલી સીરિઝની અંતિમ મેચ ડ્રોમાં પરિણમી હતી. તેની સાથે જ કાંગારૂ ટીમે પોતાની પોઝિશનને મજબૂત કરી તો હવે આફ્રિકાની ટીમ માટે આ સફર મુશ્કેલ બની ગયો છે.

સિડનીમાં રમાયેલી ત્રીજી મેચ વરસાદના કારણે બાધિત રહી હતી. આ મેચમાં પહેલા બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાએ પોતાની ઈનિંગની સમાપ્તી 475ના સ્કોર પર સમાપ્ત કરી હતી. જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 255 પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ફોલોઓન પણ બચાવી શકી ન હતી. જેના પછી ફોલોઓન રમવા ઉતરેલી મહેમાન આફ્રિકન ટીમે 106 રન 2 વિકેટ ગુમાવીને બનાવ્યા હતા અને મુકાબલો ડ્રોમાં પરિણમ્યો હતો.

આ પહેલા સીરિઝની પહેલી બે મેચ કાંગારૂ ટીમે જીતીને સીરિઝ પોતાના નામે કરી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ આ સીરિઝમાં માત્ર એક મેચ જ 15 ટેસ્ટ રમ્યા પછી હારી, જ્યારે 10માં જીત મેળવી છે.

જ્યારે સાઉથ આફ્રિકાના હારવાથી ભારતનો રસ્તો પણ રસળ થઈ ગયો છે. પહેલા ફાઈનલની રેસમાં ભારત, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા હતું. પરંતુ હવે આ રેસમાંથી સાઉથ આફ્રિકાની ટીમ લગભગ બહાર જ થઈ ગઈ છે અને હવે મુકાબલો ભારત અને શ્રીલંકાની વચ્ચે જ છે. ઓસ્ટ્રેલિયાની આ જીતથી વધુ ફાયદો ભારતને થયો છે, કારણ કે ભારત પાસે 99 પોઇન્ટ્સ છે અને 58.93 ટકા પોઇન્ટ્સ છે.

આફ્રિકાની ટીમ માત્ર ત્યારે જ ફાઈનલમાં જઈ શકતે જ્યારે આગામી સીરિઝમાં ન્યુઝીલેન્ડ બંને મેચમાં શ્રીલંકાને હાર આપે અને ઓસ્ટ્રેલિયાઈ ટીમ ભારતને ચારે ટેસ્ટમાં હાર આપે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે ફાઈનલ થઈ શકે છે પરંતુ આ ઘણું મુશ્કેલ જોવા મળી રહ્યું છે.

જો ભારતની વાત કરીએ તો તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કોઈ પણ રીતે સીરિઝ જીતવી પડશે. જો ભારત તે સીરિઝ ડ્રો કરાવે છે તો અને બીજી તરફ શ્રીલંકાની ટીમ ન્યુઝીલેન્ડ વિરુદ્ધની સીરિઝ જીતી જાય છે તો ભારતીય ટીમ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. મતલબ ભારતે પોતાની જીત સાથે શ્રીલંકાની હાર માટે પણ દુઆ કરવી પડશે. આ સીરિઝમાં હજુ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ચાર ટેસ્ટ મેચ બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીમાં રમાવાની છે. જ્યારે શ્રીલંકાએ ન્યુઝીલેન્ડના પ્રવાસમાં બે ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.