વિરાટ કોહલીની છત્રછાયા હેઠળ યશસ્વી જયસ્વાલ, સાત સમંદર પાર ‘સ્પેશિયલ ક્લાસ’ લે છે

IPL 2023 યશસ્વી જયસ્વાલ માટે ખૂબ જ ખાસ રહ્યું હતું. તેણે આ સિઝનમાં ન માત્ર તેની પ્રથમ સદી ફટકારી પરંતુ તેની ટીમ રાજસ્થાન રોયલ્સ માટે ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ પણ રમી હતી. જયસ્વાલની ટીમ ફાઇનલમાં તો ન પહોંચી શકી, પરંતુ આ યુવા ખેલાડીને IPLની ફાઇનલ પહેલા જ એક સારા સમાચાર મળી ગયા હતા. જયસ્વાલને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જયસ્વાલ હવે કોહલીની છત્રછાયા હેઠળ તાલીમ લઈ રહ્યો છે.

ભારતીય ટીમના તમામ ખેલાડીઓ લંડન પહોંચી ગયા છે. ફાઈનલ મેચની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન ખેલાડીઓ સખત મહેનત કરતા જોવા મળ્યા હતા. જયસ્વાલ પણ બુધવારે તેના પ્રથમ તાલીમ સત્ર માટે પહોંચ્યા હતા. જયસ્વાલ અહીં વિરાટ કોહલી પાસેથી બેટિંગ ટિપ્સ લેતો જોવા મળ્યો હતો. આ સાથે યશસ્વીએ ભારતીય ટીમના અન્ય સિનિયર ખેલાડીઓ સાથે પણ વાતચીત કરી હતી.

ટ્રેનિંગ સેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ સાથે જોવા મળ્યા હતા. શેડો બેટિંગ કરતી વખતે વિરાટ કોહલી તેને સમજાવી રહ્યો હતો ત્યારે જયસ્વાલ ત્યાં ઊભો રહીને એક સારા શિષ્યની જેમ વિરાટ કોહલીની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. કિંગ કોહલી અને ઉભરતા સ્ટાર યશસ્વી જયસ્વાલનો આ વીડિયો ચાહકોને ઘણો પસંદ આવ્યો છે.

યશસ્વી જયસ્વાલની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવાની શક્યતા ઘણી ઓછી છે, કારણ કે તે 15 સભ્યોની મુખ્ય ટીમનો ભાગ નથી. તેમ છતાં યશસ્વી જયસ્વાલ માટે આ એક મોટી તક છે. પ્રથમ વખત તેને ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમનો ભાગ બનવાની તક મળવા જઈ રહી છે, જ્યાં વિરાટ કોહલીથી લઈને રાહુલ દ્રવિડ જેવા મોટા નામો છે. યશસ્વી જયસ્વાલે આ વર્ષે IPLમાં 14 મેચમાં 625 રન બનાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, યશસ્વી જયસ્વાલે ઘરેલુ મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોની 26 ઇનિંગ્સમાં 1845 રન બનાવ્યા છે. યશસ્વીએ આ સમયગાળા દરમિયાન 9 સદી અને 2 અડધી સદી ફટકારી છે. તેણે લિસ્ટ Aમાં 1511 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 5 સદી અને 7 અડધી સદી ફટકારી છે. યશસ્વી જયસ્વાલે 55 T20 ઇનિંગ્સમાં 1578 રન બનાવ્યા છે. જેમાં તેણે એક સદી અને 9 અડધી સદી ફટકારી છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.