યુવરાજે અગરકરના નવા પદને લઈને આપ્યું મોટું નિવેદન, ભારતીય ટીમના ભવિષ્ય પર...

ભારતીય ટીમના નવા દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે અજીત અગરકરને ભારતીય ટીમની પુરુષ ક્રિકેટ ટીમની સિલેક્શન સમિતિના અધ્યક્ષ બનાવવાની શુભકામનાઓ આપી છે. સાથે જ યુવરાજ સિંહે ભરોસો વ્યક્ત કર્યો કે, અજીત અગરકર ભારતીય ટીમના ભવિષ્યને સારું બનાવવામાં પ્રભાવશાળી ભૂમિકા ભજવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ક્રિકેટ સલાહકારી સમિતિ (CAC)એ આ પદ માટે ઇન્ટરવ્યૂ આયોજિત કર્યા હતા, જેની અધ્યક્ષતામાં સુલક્ષણા નાઇક, અશોક મલ્હોત્રા અને જતીન પરાંજપે સામેલ હતા.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 4 જુલાઇના રોજ એક નિવેદનમાં કહ્યું હતું કે, 3 સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિએ સિદ્ધાંતપૂર્વક આ પદ માટે અજીત અગરકરની ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે સિલેક્શન સમિતિનું અધ્યક્ષનું પદ ફેબ્રુઆરીથી ખાલી છે. પહેલા આ પદ પર ચેતન શર્મા હતા, પરંતુ એક સ્ટિંગ ઓપરેશનમાં ફસાયા બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ચેમ્પિયન ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ટ્વીટ કરતા લખ્યું કે, અગરકરને સિલેક્શન સમિતિના અધ્યક્ષની નવી જવાબદારી મળવાની શુભેચ્છા આપી અને તેમની કાર્યક્ષમતા પર ભરોસો વ્યક્ત કર્યો.

યુવરાજ સિંહે કહ્યું કે, ‘સિલેક્શન સમિતિ અધ્યક્ષની નવી જવાબદારી મળવા પર તમને શુભેચ્છા, અગરકર. મને પૂરો ભરોસો છે કે તમે ભારતીય ટીમના ભવિષ્યને સારી રીતે ઢાળવામાં એક પ્રભાવશાળી ભૂમિકા ભજવશો. તમને શુભેચ્છા મિત્રો. અજીત અગરકરની વરિષ્ઠતાના આધાર પર સિલેક્શન સમિતિના અધ્યક્ષ પદ માટે તેમના ભલામણ કરવામાં આવી હતી, તેની પાછળ તેમના એક પ્રભાવશાળી ક્રિકેટ કરિયરને માનવામાં આવી રહ્યું છે.

જો અજીત અગરકરના ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયર પર નજર નાખીએ તો તેમણે 26 ટેસ્ટ, 191 વન-ડે અને 4 T20 ઇન્ટરનેશનલ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ દરમિયાન તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 58, વન-ડેમાં 288 અને T20 ઇન્ટરનેશનલમાં 3 વિકેટ પોતાના નામે કરી. એક પૂર્વ ફાસ્ટ બોલરના રૂપમાં તેઓ વર્ષ 2007માં દક્ષિણ આફ્રિકામાં આયોજિત ઉદ્વઘાટન T20 વર્લ્ડ કપમાં ભારતની વિજયી ટીમનો હિસ્સો હતા. તેમની પાસે અત્યારે પણ વન-ડેમાં કોઈ ભારતીય બોલરની સૌથી ફાસ્ટ અડધી સદીનો રેકોર્ડ છે, જે તેણે 21 બૉલમાં બનાવ્યો હતો.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.