યુવરાજે અગરકરના નવા પદને લઈને આપ્યું મોટું નિવેદન, ભારતીય ટીમના ભવિષ્ય પર...

ભારતીય ટીમના નવા દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે અજીત અગરકરને ભારતીય ટીમની પુરુષ ક્રિકેટ ટીમની સિલેક્શન સમિતિના અધ્યક્ષ બનાવવાની શુભકામનાઓ આપી છે. સાથે જ યુવરાજ સિંહે ભરોસો વ્યક્ત કર્યો કે, અજીત અગરકર ભારતીય ટીમના ભવિષ્યને સારું બનાવવામાં પ્રભાવશાળી ભૂમિકા ભજવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ક્રિકેટ સલાહકારી સમિતિ (CAC)એ આ પદ માટે ઇન્ટરવ્યૂ આયોજિત કર્યા હતા, જેની અધ્યક્ષતામાં સુલક્ષણા નાઇક, અશોક મલ્હોત્રા અને જતીન પરાંજપે સામેલ હતા.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 4 જુલાઇના રોજ એક નિવેદનમાં કહ્યું હતું કે, 3 સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિએ સિદ્ધાંતપૂર્વક આ પદ માટે અજીત અગરકરની ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે સિલેક્શન સમિતિનું અધ્યક્ષનું પદ ફેબ્રુઆરીથી ખાલી છે. પહેલા આ પદ પર ચેતન શર્મા હતા, પરંતુ એક સ્ટિંગ ઓપરેશનમાં ફસાયા બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ચેમ્પિયન ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ટ્વીટ કરતા લખ્યું કે, અગરકરને સિલેક્શન સમિતિના અધ્યક્ષની નવી જવાબદારી મળવાની શુભેચ્છા આપી અને તેમની કાર્યક્ષમતા પર ભરોસો વ્યક્ત કર્યો.

યુવરાજ સિંહે કહ્યું કે, ‘સિલેક્શન સમિતિ અધ્યક્ષની નવી જવાબદારી મળવા પર તમને શુભેચ્છા, અગરકર. મને પૂરો ભરોસો છે કે તમે ભારતીય ટીમના ભવિષ્યને સારી રીતે ઢાળવામાં એક પ્રભાવશાળી ભૂમિકા ભજવશો. તમને શુભેચ્છા મિત્રો. અજીત અગરકરની વરિષ્ઠતાના આધાર પર સિલેક્શન સમિતિના અધ્યક્ષ પદ માટે તેમના ભલામણ કરવામાં આવી હતી, તેની પાછળ તેમના એક પ્રભાવશાળી ક્રિકેટ કરિયરને માનવામાં આવી રહ્યું છે.

જો અજીત અગરકરના ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયર પર નજર નાખીએ તો તેમણે 26 ટેસ્ટ, 191 વન-ડે અને 4 T20 ઇન્ટરનેશનલ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ દરમિયાન તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 58, વન-ડેમાં 288 અને T20 ઇન્ટરનેશનલમાં 3 વિકેટ પોતાના નામે કરી. એક પૂર્વ ફાસ્ટ બોલરના રૂપમાં તેઓ વર્ષ 2007માં દક્ષિણ આફ્રિકામાં આયોજિત ઉદ્વઘાટન T20 વર્લ્ડ કપમાં ભારતની વિજયી ટીમનો હિસ્સો હતા. તેમની પાસે અત્યારે પણ વન-ડેમાં કોઈ ભારતીય બોલરની સૌથી ફાસ્ટ અડધી સદીનો રેકોર્ડ છે, જે તેણે 21 બૉલમાં બનાવ્યો હતો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.