યુઝવેન્દ્ર ચહલની આ ખેલાડી સામે બોલતી બંધ થઈ જાય છે, પોતે સ્વીકાર્યું

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સૌથી કુલ માનવામાં આવે છે. તેને સૌથી શાનદાર કેપ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. પોતાના શાંત સ્વભાવને લઈને પ્રખ્યાત ધોનીને લઈને તેની સાથે રમી ચૂકેલા ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે કેટલાક મોટા ખુલાસા કર્યા છે. તેણે ધોનીની કેપ્ટન્સીમાં જ વર્ષ 2016માં પોતાનું ડેબ્યૂ કર્યું હતું અને ધોનીને લઈને યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે, ધોની સામે આવતા જ તેની બોલતી બંધ થઈ જાય છે અને તે તેની સામે ચૂપ જ રહેવું પસંદ કરે છે.

હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં દરમિયાન યુઝવેન્દ્ર ચહલે મહેન્દ્ર સિંહ ધોની સાથે પોતાના સંબંધોને લઈને કહ્યું કે ધોની એકમાત્ર વ્યક્તિ છે, જે સામે આવતા જ મારી બોલતી બંધ થઈ જાય છે. તેમની સામે મારી જીબ બંધ થઈ જાય છે. પછી મારું મૂડ ગમે તેવું પણ હોય. હું વધારે કંઈ બોલતો નથી. હું બસ શાંત બેસું છું અને જો માહી ભાઈ કંઈ પણ પૂછે છે તો જવાબ આપું કે પછી હું ચૂપ રહું છું. વેસ્ટ ઇન્ડીઝની એક મેચનો ઉલ્લેખ કરતા યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે, અમે સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ એક T20 મેચ રમી રહ્યા હતા.

પહેલી વખત મને 4 ઓવરમાં 64 રન આપવામાં આવ્યા. ક્લાસેન મારા બૉલ પર ખૂબ રન બનાવી રહ્યા હતા. એટલે તેમણે મને પૂછ્યું કે શું તું રાઉન્ડ ધ બોલિંગ કરીશ. મે કહ્યું સારું, પરંતુ કલાસેને મને સિક્સ માર્યો હતો, ત્યારબાદ હું હેરાન હતો. ક્લાસેનના સિક્સને લઈને યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે, હું પાછો જઈ રહ્યો હતો, જ્યારે માહી ભાઈ મારી પાસે આવ્યો અને મને કહ્યું કે આજે તારો દિવસ નથી. કોઈ વાંધો નહીં. બસ બાકી 5 બૉલ બચ્યા છે અને તેના પર બાઉન્ડ્રી ન લગાવવી જોઈએ કેમ કે તેનાથી ટીમને મદદ મળશે.

આ ઇન્ટરવ્યૂમાં યુઝવેન્દ્ર ચહલે પોતાના રિલેશનશી થી લઇને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માં રિટેન ન થવાને લઈને પણ વાત કરી હતી. યુઝવેન્દ્ર ચહલે જણાવ્યું કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી એક વખત પણ રિટેન ન કરવાને લઈને ફોન પણ કરવામાં આવ્યો નહોતો. RCB માટે તેને 140 મેચ રમી હતી, પરંતુ ટીમમાં રિટેન ન કરવાની વાત તેને સીધી ઓક્શનથી ખબર પડી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.