આ શેરમાં ફરીથી લોઅર સર્કિટ લાગી, આમીર અને રણબીરને નુકસાન થયું

પોતાના લિસ્ટિંગ ડે બાદ જોરદાર રિટર્ન આપનારી ડ્રોન કંપની ડ્રોનઆચાર્ય એરિયલના શેરોમાં કડાકો હજુ પણ ચાલુ જ છે. ગયા પાંચ દિવસોથી તેના શેરોના ભાવ સતત તુટી રહ્યા છે અને સાથે જ બોલીવુડ સ્ટાર્સ આમીરખાન અને રણબીર કપૂરને પણ નુકસાન થઇ રહ્યું છે. બુધવારના રોજ પણ આ શેરોમાં લોઅર સર્કિટ લાગી છે.

ડ્રોન બનાવનારી કંપની ડ્રોનઆચાર્ય એરિયલ શેરોમાં કડાકો જોવા મળી રહ્યો છે. ગયા સપ્તાહની તેજી સાથે કારોબાર કરતા 179.05 રુપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. ત્યાર બાદ કંપનીના શેરો તુટવાનું શરૂ થઇ ગયું અને જે હજુ પણ ચાલુ જ છે. બુધવારે શેર બજારમાં કારોબાર શરૂ થતાની સાથે જ તેમાં ફરીથી લોઅર સર્કિટ લાગી ગઇ છે.

ડ્રોનઆચાર્ય એરિયલના શેરોમાં બોલીવુડ સ્ટાર્સ આમીર ખાન અને રણબીર કપૂરે પણ રોકાણ કર્યુ છે. તેમણે કંપનીનો IPO આવવા પહેલા કંપનીમાં રોકાણ કર્યું હતું અને તેનું લિસ્ટિંગ થયા બાદથી જ બન્ને એક્ટર્સની કમાણી થઇ હતી. પોતાના લિસ્ટિંગ ડે બાદ સતત 20 લાખ રૂપિયામાં કંપનીના 46600 શેર ખરીદ્યા હતા. જ્યારે, રણબીર કપૂરે 20 લાખ રૂપિયાનું રોકાણ કરીને 37200 શેર ખરીદ્યા હતા. આ અભિનેતાઓ સહિત અન્ય રોકાણકારોને પણ આ સ્ટોક 53.59 રૂપિયા પ્રતિ શેરના ભાવથી મળ્યો હતો.

આમીર ખાન અને રણબીર કપૂરના રોકાણ વાળી આ કંપનીના IPOનો પ્રાઇસ બેન્ડ 52-54 રૂપિયા હતો અને શેરોનું લિસ્ટિંગ BSE પર 88 ટકાના પ્રિમિયમ સાથે 102 રૂપિયા પર થયું હતું. લિસ્ટિંગ બાદથી જ આ શેરો રોકેટની જેમ ભાગી રહ્યો હતો અને 243 રૂપિયાના હાઇ લેવલ પર પહોંચી ગયો હતો. તેના કારણે આમીર ખાન અને રણબીર કપૂર સહિત અન્ય રોકાણકારોના ખૂબ પૈસા બન્યા. પણ ફરીથી તેમાં વેચવાલી શરૂ થઇ ગઇ છે. જોકે, આ દરમિયાન તેમાં ઉછાળો પણ જોવા મળી હતો.

ડ્રોનઆચાર્ય એરિયલનો IPO વર્ષ 2022ના છેલ્લા મહિના એટલે કે, ડિસેમ્બર, 2022માં સબ્સ્ક્રિપ્શન માટે ઓપન થયો હતો. 52-54 રૂપિયાના પ્રાઇસ બેન્ડ સાથે IPO રોકાણ માટે 13થી 15 ડિસેમ્બર વચ્ચે ખુલ્યો હતો. તેને જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો. લિસ્ટિંગની સાથે જ શેર ભાગવા લાગ્યો હતો અને એવો ભાગ્યો હતો કે, 15 દિવસમાં જ રોકાણકારોના પૈસા ડબલ થઇ ગયા. કેટલાક દિવસો સુધી આ શેરમાં સતત અપર સર્કિટ લાગી રહી, જોકે, હવે તેમાં લોઅર સર્કિટ લાગવા લાગી છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.