LICના ચેરમેને અદાણી ગ્રુપ વિશે આપ્યું મોટું નિવેદન, ગૌતમ અદાણી માટે રાહત

અદાણી ગ્રુપની કંપનીમાં ચાલી રહેલી આલોચના વચ્ચે LICએ ઓકટોબર-ડિસેમ્બર 2022ના ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કર્યા છે. પરિમામ જાહેર કરવાની સાથે LICના ચેરમેને અદાણી ગ્રુપ માટે મહત્ત્વનું નિવેદન પણ આપ્યું છે, જે ગૌતમ અદાણીને મુશ્કેલીમાં થોડી રાહત આપી શકે તેવું છે. LICએ આ ત્રિમાસિક ગાળામાં 8334.2 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. જે ગયા વર્ષે આ સમાન ગાળામાં માત્ર 235 કરોડ રૂપિયાનો નફો હતો. જો કે આની પહેલાના એટલે સપ્ટેમ્બર 2022ના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળામાં LICનો ચોખ્ખો નફો 15, 952 કરોડ રૂપિયા હતો. તેની સરખામણીએ જોઇએ તો આ ક્વાર્ટરમાં નફો ઘટ્યો છે.

LICના ચેરમેન  એમ. આર કુમારે પરિણામ જાહેર થયા પછી નિવેદન આપતા કહ્યુ હતું કે, LIC અદાણી ગ્રુપમાં કરેલું રોકાણ ઘટાડવાની નથી. ચેરમેને કહ્યું કે, અમે સમયાતંરે અમારા રોકાણનો રિવ્યુ કરતા રહીશું. LICનું અદાણી ગ્રુપમાં રોકાણને કારણે કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો હતો અને પોલીસી હોલ્ડર્સમાં પણ ચિંતા હતી કે LICનું અદાણીમાં ઇન્વેસ્ટમેન્ટ ક્યાંક ડુબી ન જાય. આ બધા વચ્ચે જયારે  LICએ અદાણીમાં રોકાણ નહીં ઘટાડવાની વાત કરી છે તે ખરેખર ગૌતમ અદાણી માટે રાહતના સમાચાર છે.

અદાણી ગ્રૂપમાં LIC ના રોકાણ વિશે વાત કરતા, એલઆઈસી ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરતી વખતે અદાણી ગ્રૂપમાં LIC ના રોકાણ વિશે કહેવામાં આવ્યું હતું કે તેની કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM)ના માત્ર 0.97 ટકા અદાણી ગ્રુપની કંપનીમાં રોકાણ કરવામાં આવ્યું છે. બીજી તરફ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભાગવત કિસનરાવ કરાડે 7 ફેબ્રુઆરી, 2023 ના રોજ સંસદમાં આપવામાં આવેલી માહિતીમાં કહ્યું હતું કે, LIC એ અદાણી જૂથની તમામ કંપનીઓમાં 30,127 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

LICની 2022ના ડિસેમ્બર મહિનામાં પુરા થતા ત્રિમાસિક ગાળામાં પ્રીમીમયની ચોખ્ખી આવક 1,11,787.6 કરોડ રૂપિયા થઇ છે, જે ગયા વર્ષે આ સમાન ગાળામાં રૂપિયા 97.620.34 કરોડ રૂપિયા હતી.

અમેરિકાની હિંડનબર્ગ રિસર્ચ કંપનીએ 24 જાન્યુઆરી 2023ના દિવસે એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેને કારણે અદાણી ગ્રુપ કંપનીના બધા શેરોમાં મોટા ગાબડાં પડી ગયા હતા અને ગ્રુપના માર્કેટ કેપમાં 100 અબજ ડોલરનું ધોવાણ થઇ ગયું હતું.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.