શેરબજારમાં કડાકા પર અમિત શાહે કહ્યું- 4 જૂન પહેલા ખરીદી કરો,પછી આવશે જોરદાર તેજી

PC: bjp.org

છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને સેન્સેક્સ-નિફ્ટી સતત ઘટી રહ્યા છે. સોમવારે ખુલતાની સાથે જ શેરબજાર તૂટી પડ્યું હતું. સેન્સેક્સમાં 700 પોઈન્ટનો ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટીમાં 200 પોઈન્ટનો ઘટાડો થયો હતો. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું બજારના વિઘટન પાછળ ચૂંટણી સાથે કોઈ સંબંધ છે? આ અંગે દેશના ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે, શેરબજારમાં ચાલી રહેલા ઘટાડાને ચૂંટણી સાથે ન જોડવો જોઈએ.

એક ઇન્ટરવ્યુ દરમિયાન, દેશના ગૃહ પ્રધાન અમિત શાહે શેરબજારમાં ચાલી રહેલા ઘટાડા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે 4 જૂન, 2024 પછી શેરબજાર વધવા જઈ રહ્યું છે. અહીં તમને જણાવી દઈએ કે, મતદાનના તમામ સાત તબક્કાઓ બાદ 4 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે.

ગૃહમંત્રી અમિત શાહે શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલ પાછળ તમામ પ્રકારની અફવાઓને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું છે કે, શેરબજારમાં ઘટાડાને ચૂંટણી સાથે જોડી શકાય નહીં.

ગૃહમંત્રી અમિત શાહે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, આ પહેલીવાર નથી કે જ્યારે શેરબજાર તૂટ્યું હોય. આ પહેલા પણ શેરબજાર 16 વખત ગગડી ચૂક્યું છે, તેથી તેને ચૂંટણી સાથે ન જોડવું જોઈએ. તેમણે કહ્યું કે, આ અફવાઓને કારણે થયું છે, તેથી 4 જૂન પહેલા તમારી ખરીદી કરો, કારણ કે બજારમાં તેજી આવવાની છે.

બજાર વધવાની આગાહી કરતા અમિત શાહે તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે પણ દેશમાં સ્થિર સરકાર આવે છે, ત્યારે બજારમાં તેજી જોવા મળે છે અને અમારી સીટો 400ને વટાવી જવાની છે, ફરીથી મોદી સરકાર આવશે અને માર્કેટમાં તેજી પણ જોવા મળશે. હંમેશા આવું જ થયું છે.

આ દરમિયાન, સોમવારે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું અને થોડી જ વારમાં તે વધુ નીચે ગબડી ગયું હતું. માર્કેટમાં ટ્રેડિંગના પ્રથમ બે કલાકમાં BSE સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ લપસીને 72,000ની નીચે ગબડ્યો હતો, જ્યારે NSE નિફ્ટી પણ 216 પોઈન્ટ તૂટ્યો હતો.

PhillipCapitalએ બજાર અને તેના ચૂંટણી જોડાણ અંગે એક નોંધ બહાર પાડી છે અને કહ્યું છે કે, જો BJPના નેતૃત્વમાં NDA 400થી વધુ બેઠકો જીતવાના તેના બહુચર્ચિત લક્ષ્યાંકને હાંસલ કરશે તો શેરબજારમાં જોરદાર ઉછાળો આવશે. જ્યારે NDA 300-330 બેઠકો જીતી તો, તેની અસર બજારમાં ઘટાડાના સ્વરૂપમાં જોવા મળે છે, તો અમે તેને ખરીદીની તક તરીકે લઈશું.

નોંધમાં કહેવામાં આવ્યું છે કે, પ્રથમ ત્રણ તબક્કામાં મતદાન થોડું ઓછું થયું છે, જો કે આનાથી કેટલાક મતવિસ્તારોના પરિણામો પર અસર પડી શકે છે, પરંતુ BJP સત્તામાં પાછા ફરવાના વ્યાપક અપેક્ષિત પરિણામ પર તેની કોઈ અસર થવાની સંભાવના નથી.

મિરે એસેટ કેપિટલ માર્કેટ્સ પણ અપેક્ષા રાખે છે કે, શેરબજારમાં વધારો જોવા મળશે. મીરેની નોંધમાં કહેવામાં આવ્યું છે કે, જો આપણે 2019ના મેનિફેસ્ટો અને મોદી સરકાર દ્વારા પહેલા 100 દિવસમાં કરેલા કામને જોડીએ તો આપણને ઘણું જોડાણ મળે છે. ટૂંકમાં, સરકારે માત્ર વાત જ નથી કરી, પરંતુ ચાલીને આગળ પણ વધી છે.

નોંધ: શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp