રિલાયન્સના શેરધારકોને મુકેશ અંબાણીની ભેટ, આ શેર મળશે

રિલાયન્સના સ્થાપક સ્વ. ધીરુભાઇ અંબાણી જે રીતે રિલાયન્સના શેરધારકોને બખ્ખા કરાવતા હતા એ જ રીત હવે તેમના પુત્ર મુકેશ અંબાણી પણ ચાલી રહ્યા છે. માર્કેટ કેપની દ્રષ્ટ્રિએ પહેલા નંબરનું સ્થાન ધરાવતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી કંપનીના શેરધારકોને મજા પડી જાય તેવી જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝમાંથી ફાયનાન્સિયલ કંપનીને અલગ કરીને તેને Jio Financial Services નામ આપશે અને આ શેરને શેરબજારમાં લિસ્ટેડ કરાવશે.રિલાયન્સના શેરધારકોને શેર પણ આપશે. સ્વ. ધીરુભાઇ આવું ઘણી વખત કરતા નવી કંપની બનાવતા અને તેમાં રિલાયન્સના શેરધારકોને મફતમાં શેર આપતા, જેને કારણે રિલાયન્સના શેરધારકોને મબલખ કમાણી થતી હતી.

દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકો અને ક્રેડિટર્સે ફાઇનાન્સિયલ બિઝનેસ વાળી કંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર્ચના ડિમર્જરને મંજૂરી આપી દીધી છે. આ નાણાકીય કંપનીનું નામ જિયો ફાઇનાન્સિયલ સર્વિસીઝ રાખવામાં આવશે. ડિમર્જરની તરફેણમાં 100 ટકા વોટ પડ્યા હતા અને એની સાથે જ હવે Jio Financial Servicesનો શેરબજારમાં લિસ્ટીંગ કરવાનો માર્ગ પણ મોકળો થયો છે.

આ ડિમર્જરને કારણે સૌથી મોટો લાભ રિલાયન્સના શેરધારકોને થવાનો છે. રિલાયન્સના શેરધારકોને  રિલાયન્સના 1 શેરની સામે Jio Financial Servicesનો 1 શેર મળશે. દિગ્ગજ બેંકર કે વી કામથ ડિમર્જર પછી નવી એનટીટીના નોન એક્ઝિક્યુટીવ ચેરમેન હશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઓકટોબર 2022માં પરિણામોની જાહેરાતની સાથે ફાયનાન્સિયલ સવિર્સીઝ સાથે જોડાયેલી કંપનીના ડિમર્જરની જાહેરાત કરી હતી. નવી કંપનીને BSE-NSE પર લિસ્ટ કરાવવામાં આવશે.

એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દિવાળી પહેલા ઓકટોબર મહિનામાં Jio Financial Servicesને શેરબજારમાં લિસ્ટીંગ કરાવી શકે છે. જો કે આ પ્રક્રિયાને પુરી કરતા પહેલા રેગ્યૂલેટ પાસેથી મંજૂરીના આવશ્યકતા રહેશે. બ્રોકરેજ હાઉસ આ ડિમર્જરને કારણે ખાસ્સા ઉત્સાહિત છે.

જેફરીઝના જણાવ્યા અનુસાર, Jio ફાઇનાન્સિયલ સર્વિસિસની નેટવર્થ રૂ. 28,000 કરોડ છે, તેમજ કંપની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 6.1 ટકા હિસ્સો છે, જેનું મૂલ્ય રૂ. 96,000 કરોડથી વધુ છે. જેપી મોર્ગને તેની એક નોંધમાં કહ્યું હતું કે ડિજિટલ અને રિટેલ સેક્ટરમાં રિલાયન્સની મજબૂતાઈથી Jio ફાઈનાન્સિયલને ઘણો મોટો ફાયદો થશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ફાયનાન્સિયલ સર્વિસીઝ કંપનીને અલગ કરવાની મંજૂરીની જાહેરાત પછી ગુરુવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં તેજી જોવા મળી હતી. શેરનો ભાવ 28 રૂપિયા વધીને 2447 પર બંધ રહ્યો હતો. રિલાયન્સના શેરનો 52 સપ્તાહનો સૌથી ઉંચો ભાવ 2817.35 રૂપિયા છે અને 52 સપ્તાહનો સૌથી નીચો ભાવ 2180 રૂપિયા છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.