શેરબજારના વધુ એક ‘હર્ષદ મહેતા’ને સજા,બજારમાં કામકાજ પર પ્રતિબંધ, રકમ વસુલાશે

શેરબજારમાં વધુ એક ‘હર્ષદ મહેતા’ને સજા મળી છે. રોકાણકારોને દગો આપનારા એક સ્ટોક ટ્રેડરને સેબીએ બજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે અને તેની પાસેથી 6 કરોડ રૂપિયાની રકમ  પણ વસુલવામાં આવશે.

દેશમાં બેંકિંગ, વીમા અને શેરબજાર સહિત દરેક મહત્વપૂર્ણ ક્ષેત્રની દેખરેખ રાખવા માટે, એક નિયમનકાર એટલે કે રેગ્યુલેટર છે, જે કંપની અને કામ કરતા લોકો માટે નિયમો બનાવે છે. જો કોઈ આ નિયમોનો ભંગ કરે છે તો તેને ભારે કિંમત ચૂકવવી પડે છે, પછી તે કંપની હોય કે કર્મચારી. શેરબજારના નિયમન માટે Securities and Exchange Board of India (SEBI) કામ કરે છે.

સોશિયલ મીડિયા પર લોકપ્રિય સ્ટોક માર્કેટ ટ્રેડર પીઆર સુંદર સામે પણ આવી સખતાઇ જોવા મળી છે. પીઆર સુંદર, તેમના મોન્સુન કન્સલ્ટિંગ અને સહ-પ્રમોટર્સ મંગાયરકરસી સુંદરે સમાધાન સાથે શેરબજારના નિયમનકાર સેબી સમક્ષ ઝૂકી ગયા છે. ત્રણેય સામે એવી ફરિયાદ હતી કે તેઓ સેબીમાં નોંધણી કરાવ્યા વિના લોકોને રોકાણની સલાહ આપતા હતા.

સેબીની સખતાઇ બાદ પી. આર. સુંદર અને તેમની કંપનીએ સમાધાન કરી લીધું છે અને આની સાથે જોડાયેલા ઓર્ડર પાસ થવાની તારીખથી 1 વર્ષ માટે શેરોના વેચાણ-ખરીદી કે કોઇ પણ પ્રકારની ડીલથી દુર રહેવા માટે સંમતિ આપી છે. સાથે તેમણે 6 કરોડ રૂપિયા પરત આપવા માટે પણ સંમતિ આપી છે જેમાં એડવાઇઝરી સર્વિસમાંથી કમાયેલું વ્યાજ અને નફો સામેલ છે.

આ સેટલમેન્ટ ઓર્ડર 25ના દિવસે પાસ કરવામાં આવ્યો હતો. જેમાં સેટલેમેન્ટ તરીકે દરેકને 15, 60,000 રૂપિયા આપવાના છે. આ રીતે ત્રણની રકમ મળીને કુલ 46,80,000ની રકમ થાય છે. પરંતુ 1 જૂન 2020ની તારીખથી 12 ટકા વ્યાજના હિસાબે આ રકમ 6,07,69,863 રૂપિયા આપવાના છે. મતલબ કે 6 કરોડ 7 લાખ રૂપિયાની રકમ ચૂકવવાની છે.

સેબીના આદેશ મુજબ, માર્કેટ રેગ્યુલેટરને ફરિયાદ મળી હતી કે પીઆર સુંદર સેબી પાસેથી જરૂરી નોંધણી મેળવ્યા વિના સલાહકાર સેવાઓ પૂરી પાડી રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે પીઆર સુંદર www.prsundar.blogspot.com ચલાવતો હતો, જેના દ્વારા તે સલાહકાર સેવાઓ પ્રદાન કરવા માટે નકલી પેકેજ ઓફર કરતો હતો.

કોઇ ફાયનાન્શિયલ ઇન્ફલૂઅંસરની સામે આવા પ્રકારની સેબીની પહેલી કાર્યવાહીછે. પી આર સુંદર તેમનો 30 કરોડ રૂપિયાના પેન્ટહાઉસ લક્ઝરી લાઇફ જીવે છે.ચેન્નઇમાં ગ્રેજ્યુએશન કર્યા પછી પી આર સુંદર ગુજરાતમાં ગણિત ટીચર તરીકે નોકરી કરી હતી અને ગુજરાતી મિત્રો પાસેથી સ્ટોક માર્કટના પાઠ શિખ્યા હતા

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.