શેરબજારમાં ‘SALMAN’નો ડંકો, 37 ટકા રિટર્ન આપ્યું, Hrithikનો પણ દબદબો

શેરબજારમાં ‘SALMAN’ અને ‘HRITHIK’ શેરોમાં ભારે દબદબો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સલમાન શેરોએ તો વર્ષમાં 37 ટકા જેટલું રિટર્ન આપ્યું છે.

સલમાન ખાન મંગળવારે 27 ડિસેમ્બર 2022 ના રોજ 57 વર્ષનો થયો. આ નામ બોલિવૂડની ઓળખ બની ગયું છે ત્યારે ભારતીય શેરબજારમાં પણ ‘સલમાન’નો ડંકો વાગી રહ્યો છે. આ નામો સાથે રોકાણ કરનારા રોકાણકારોને વર્ષ 2022માં 37 ટકા સુધીનું જબરદસ્ત વળતર મળ્યું છે. તમે વિચારતા હશો કે કેવી રીતે? આખરે સલમાનનું શેરબજાર સાથે શું કનેક્શન છે?

 બોલિવુડ અભિનેતા સલમાન ખાનનો શેરબજારમાં ‘સલમાન’ના શેર સાથે કોઈ સંબંધ નથી. તેના બદલે, સલમાન એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), એક્સિસ બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, મારુતિ સુઝુકી, અદાણી પોર્ટ્સ અને NTPC જેવા 6 લાર્જકેપ શેરોના પહેલાં નામનો અક્ષર બનાવીને ‘સલમાન’ શેર એવું નામ આપવામાં આવ્યું છે.

આ તમામ કંપનીઓના પ્રથમ અક્ષરોને એકસાથે મૂકીને SALMAN નામ બને છે. તેથી જ અમે કહીએ છીએ કે આ નામ આખા વર્ષ દરમિયાન શેરબજારમાં સાંભળવામાં આવ્યું છે. આમાં સામેલ તમામ છ શેરોએ 2022માં તેમના રોકાણકારોને 37 ટકા સુધીનું વળતર આપ્યું છે. શેરબજારના ડેટા દર્શાવે છે કે સલમાનના છ શેરોએ 2022માં ઓછામાં ઓછું 10 ટકા વળતર આપ્યું છે.

સલમાનમાં સામેલ એક્સિસ બેંકેઆ પેકમાં સૌથી વધુ નફો કરાવ્યો છે, જે 31 ડિસેમ્બર, 2021 સુધીમાં 678.55 રૂપિયાના સ્તરથી 37 ટકા વધીને 933 રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત, NTPCનો શેર ડિસેમ્બર 2021ના અંતે રૂ. 124.40ની સરખામણીમાં 33 ટકા વધીને રૂ. 165.55 થયો છે. આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં SBI રૂ. 460.45 થી રૂ. 596.75 સુધી 30 ટકા વધ્યો છે.

 મારુતિ સુઝુકી, અદાણી પોર્ટ્સ અને લાર્લન એન્ડ ટુબ્રો કંપનીના શેર પણ રોકાણકારો માટે નફાકારક સોદો સાબિત થયા છે. આ શેરોએ પણ એક વર્ષમાં 10 થી 11 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, 2023 માટે મોતીલાલ ઓસ્વાલ સિક્યોરિટીઝની ટોચની પસંદગીઓમાં સલમાનની SBI, L&T, મારુતિ સુઝુકી અને એક્સિસ બેંકનો પણ સમાવેશ થાય છે.

સલમાનની જેમ Hrithikનો દબદબો પણ શેરબજારમાં જોવા મળ્યો છે. Hrithik પેકમાં સામેલ શેરની વાત કરીએ તો તેમાં સાત નામ સામેલ છે. HDFC ટ્વિન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ICICI બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS), ઇન્ફોસિસ અને કોટક મહિન્દ્રા બેંકનો સમાવેશ થાય છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.