શંકર મિશ્રાએ કોર્ટમાં કહ્યું- ફ્લાઇટમાં પેશાબ મેં નહોતો કર્યો, એ મહિલાએ જ કરેલો

દુનિયાભરમાં ચર્ચામાં આવેલી ફ્લાઇટમાં પેશાબની ઘટનામાં હવે ટ્વીસ્ટ આવી ગયું છે. ફ્લાઇટમાં પેશાબના આરોપમાં ધરપકડ કરાયેલા શંકર મિશ્રાએ કોર્ટમાં કહ્યું હતું કે, ફ્લાઇટમાં પેશાબ મેં નહોતો કર્યો, પરંતુ જે મહિલાએ ફરિયાદ કરી છે તેણે જ પેશાબ કરેલો.

થોડા દિવસો પહેલાં ન્યૂયોર્કથી દિલ્હી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મહિલાએ એવી ફરિયાદ કરી હતી  કે એક સાથી મુસાફરે તેની સીટ પર પેશાબ કર્યો હતો. આ ઘટનાના દુનિયભરમાં પડઘા પડ્યા હતા અને પોલીસે બેંગલુરુથી શંકર મિશ્રા નામના વ્યકિતની ધરપકડ કરી હતી.

દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં શંકર મિશ્રાના વકીલે દાવો કર્યો કે બુઝુર્ગ મહિલાએ આરોગ્યની સમસ્યાને કારણે પોતે જ પેશાબ કરી લીધો હતો. વકીલે કોર્ટને કહ્યું હતું કે, મહિલા 30 વર્ષ સુધી ભરત નાટ્યમની ડાન્સર રહી છે અને ભરક નાટ્યમના ડાન્સરમાં પેશાબ સંબંધી મુશ્કેલીઓ એ સામાન્ય બાબત છે.. દિલ્હી પોલીસે શંકર મિશ્રાની પુછપરછ માટે કસ્ટડીની માંગ કરી હતી જેનો મિશ્રાના વકીલે જવાબ આપ્યો હતો.

પતિયાલા હાઉસ કોર્ટમાં શંકર મિશ્રાની કસ્ટડીની માંગ સાથે દિલ્હી પોલીસે કરેલી અરજી પર શુક્રવારે સુનાવણી થઇ હતી. પોલીસે કહ્યુ કે, ઘટના સમય અને તે પહેલાંના શંકર મિશ્રાના આચરણને જોવો પડશે. પોલીસના બોલવવા છતા શંકર મિશ્રા હાજર નહોતો રહ્યો. તે ક્યાં ગયો હતો? કોને મળ્યો હતો? એ પણ અમારે જાણવું પડશે. પોલીસે કોર્ટને કહ્યુ કે આખી ઘટનાના તાર જોડીને અમારે ઘટનાને એસ્ટાબ્લિશ કરવાની છે.

પોલીસે 7 જાન્યુઆરીએ બેંગલુરથી આરોપી શંકર મિશ્રાની ધરપકડ કરી હતી. ઘટનાન 42 દિવસ પછી મિશ્રાની ધરપકડ થઇ હતી. મુંબઇનો રહેવાસી શંકર મિશ્રા ઘટના વાયુવેગે પ્રસરી ગયા બાદ ફરાર હતો. એ પછી પોલીસે લૂક આઉટ નોટીસ જારી કરી હતી. પણ લોકેશનના આધારે મિશ્રાને પકડી લેવામાં આવ્યો હતો.

મહિલા યાત્રીએ પોતાની ફરિયાદમાં લખ્યું હતું કે, હું ફ્લાઇટ AI102 પર મારી બિઝનેસ ક્લાસ મુસાફરી દરમિયાન બનેલી ભયાનક ઘટના વિશે મારી નિરાશા વ્યકત કરવા લખી રહી છું. આ મારી જિંદગીની સૌથી ખરાબ મુસાફરી હતી. ઉડાન દરમિયાન, બપોરે લંચ સમય પછી લાઇટ બંધ કરી દેવામાં આવી હતી અને હું સુવા માટેની તૈયારી કરી રહી હતી, તે વખતે નશામાં ધૂત એક યાત્રીએ મારી સીટ પર પેશાબ કરી દીધો હતો.

અન્ય યાત્રીઓ એ વ્યકિતને દુર કરવાની પણ કોશિશ કરી હતી, પરંતુ તે માન્યો નહોતો. મહિલાએ કહ્યું કે, ક્રુ મેમ્બર્સનો વર્તન અસંવેદનશીલ હતું. તેમણે યાત્રી સામે કાર્યવાહી કરવાને બદલે મને માત્ર કપડાં બદલવા આપી દીધા હતા.

એર ઈન્ડિયામાં મહિલા સાથે ગેરવર્તણૂકના મામલામાં DGCA કડક વલણ દાખવી રહ્યું છે. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે એરલાઈને સમયસર કોઈ પગલાં લીધાં નથી અને જ્યારે DGCAએ પ્રશ્નો પૂછ્યા ત્યારે આ બાબતની જાણ કરવામાં આવી હતી. આ કારણોસર DGCAએ કારણ બતાવો નોટિસ જારી કરી છે.

કોર્ટે કહ્યુ કે,તમે તમારી ફરજ યોગ્ય રીતે નિભાવી નથી, પરંતુ તેમ છતાં ન્યાયિક પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, તમને જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય આપવામાં આવશે. તેના આધારે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.