આ દેશમાં ફરવા પર મળશે 13થી 54 હજાર રૂપિયા, સરકારે વિદેશી ટૂરિસ્ટ માટે કાઢી ઓફર

On

કોરોના વાયરસ મહામારીએ આખી દુનિયામાં ટૂરિઝ્મ સેક્ટરને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. ઘણા દેશોમાં પર્યટકોની સંખ્યા અડધાથી ઓછી થઇ ગઇ છે. હવે સંક્રમણ ઓછું થતા જ ફરી ટૂરિઝ્મ ઇન્ડસ્ટ્રીમાં નવો જીવ ફૂંકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ઘણા દેશોએ ટૂરિસ્ટને આકર્ષિત કરવા માટે ખૂબ શાનદાર ઓફર પણ લોન્ચ કરી છે. કંઇક એવું જ તાઇવાને પણ કહ્યું છે. તાઇવાનની સરકારે દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે એક નવા કાર્યક્રમની જાહેરાત કરી છે.

કોરોના મહામારી બાદ તાઇવાને પોતાન ટૂરિઝ્મ ઇન્ડસ્ટ્રીને ફરીથી મજબૂત કરવા માટે નવી ઓફર કાઢી છે. હવે તાઇવાન ફરવા આવનારા લોકોને લગભગ 13 હજાર રૂપિયા આપવામાં આવશે. હાલમાં જ તાઇવાન સરકારે આ પેકેજની જાહેરાત કરી છે. તાઇવાનની ટૂરિઝ્મ ઇન્ડસ્ટ્રી કોરોના મહામારીથી માઠી રીતે પ્રભાવિત થઇ છે. આ નવા કાર્યક્રમ હેઠળ પર્યટકો અને ટૂર બંનેને નાણાકીય પ્રોત્સાહન પ્રદાન કરવામાં આવશે જેથી દેશના ટૂરિઝ્મ ઇન્ડસ્ટ્રીને ફરીથી મજબૂતી મળી શકે.

CNNના એક રિપોર્ટ મુજબ, નવા ટૂરિઝ્મ કાર્યક્રમ હેઠળ તાઇવાન સરકાર 5 લાખ ઇન્ડિવિજુઅલ પર્યટકોને 13,600 રૂપિયાનું હેડઆઉટ આપશે. આ હેડઆઉટનો ઉપયોગ પર્યટક રહેવા, ટ્રાન્સપોર્ટેશન અને બીજા એટવેક પર ખર્ચ કરી શકશે. એટલું જ નહીં, પર્યટકો માટે હેડઆઉટ સિવાય તાઇવાન સરકાર 90 હજાર ટૂર ગ્રૂપને 54,500 રૂપિયા સુધીનું અલાઉન્સ આપશે. પર્યટકને ભથ્થા ડિજિટલ મોડ દ્વારા આપવામાં આવશે. તેઓ અલાઉન્સનો ઉપયોગ પરિવહન, આવાસ અને યાત્રા સંબંધિત અન્ય ખર્ચને કવર કરવા માટે કરી શકે છે.

તાઇવાન સરકાર આ નવી ઓફરથી ડોમેસ્ટિક ટૂરિઝ્મને પ્રોત્સાહન મળવા અને પર્યટન ઉદ્યોગ ફરીથી મજબૂતી મળવાની આશા રાખી રહ્યું છે. સરકારનું કહેવું છે કે આ કાર્યક્રમનું ઉદ્દેશ્ય અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરવા અને પર્યટન ક્ષેત્રમાં રોજગારનું સર્જન કરવાનું પણ છે જે કોરોના મહામારીથી માઠી રીતે પ્રભાવિત થયું છે. તાઇવાનના નેતા ચેન ચિએન ઝેનનું કહેવું છે કે દેશ ઝડપથી પર્યટકોના આંકડા વધારવા પર ફોકસ કરી રહ્યું છે.

વર્ષ 2025 સુધી લગભગ 10 મિલિયન પર્યટકોને આવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તાઇવાનમાં પર્યટન એક મુખ્ય ઉદ્યોગ છે. જે દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપે છે અને રોજગારના અવસર પ્રદાન કરે છે. જો કે, કોરોના મહામારી ટૂરિઝ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે ઘટાડાનું કારણ બની. હવે આ નવા કાર્યક્રમ દ્વારા ટૂરિઝ્મ ઇન્ડસ્ટ્રીને કોરોનાના પ્રભાવથી બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Related Posts

Top News

પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

પ્રભાસની આવનારી આગામી ફિલ્મોની યાદી લાંબી છે. ઘણી ફિલ્મો લાઇનમાં છે. જેમાં પહેલું નામ 'ધ રાજા સાબ' છે....
Entertainment 
પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

IIT દિલ્હી અને AIIMS એ મળીને ગેમિંગના વ્યસનને નિયંત્રિત કરવાનો શોધ્યો ઉકેલ

સમય મર્યાદા અને આત્મ-નિયંત્રણના પગલાં ઓનલાઈન ગેમિંગ વ્યસનની અસરોને ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે. IIT દિલ્હી અને AIIMS દ્વારા...
Lifestyle 
 IIT દિલ્હી અને AIIMS એ મળીને ગેમિંગના વ્યસનને નિયંત્રિત કરવાનો શોધ્યો ઉકેલ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 દિવસ: શુક્રવાર મેષ: આજે તમને સત્તાધારી શક્તિનો સંપૂર્ણ સહયોગ મળતો જણાય છે. જો તમે પહેલા કોઈની પાસેથી લોન...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati