નાનપણમાં પુસ્તક ખરીદવાના પૈસા નહોતા, ઈસરોના આ વૈજ્ઞાનિક કપલે નામ રોશન કર્યું

તમે સાંભળ્યું હશે કે મહેનત રંગ લાવે છે. જો સંઘર્ષ કરો તો તેનું ફળ જરૂરથી મળે છે. કરનાલના એક નાના પરિવારથી આવનાર 2 વૈજ્ઞાનિકોએ દેશનો દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. કરનાલના નાનકડા પરિવારમાંથી આવતા દીપાંશુ ગર્ગ અને તેની પત્ની સાથેની ઈસરોની ટીમે ચંદ્રયાન-3ની ચંદ્ર પર સોફિટ લેન્ડિગ કરાવીને એક મિસાલ કાયમ કરી છે. દીપાંશુ ગર્ગનો પરિવાર કરનાલના કલેંદરી ગેટ પર રહે છે. પરિવારે જણાવ્યું કે, દીકરાનું નાનપણ સંઘર્ષમાંથી પસાર થયું છે. દીપાંશુના પિતા એક કપડાની દુકાનમાં કામ કરતા હતા અને મા હોમમેકર હતી. માતાની તબિયત ખરાબ રહેતી હતી પણ અભ્યાસને લઇ દરેક ક્ષેત્રમાં દીપાંશુ સારા નંબર લઇ આવતો હતો. એક સમય એવો પણ હતો જ્યારે દીપાંશુના પરિવાર પાસે પુસ્તક ખરીદવાના પૈસા પણ નહોતા. ત્યારે તેના કાકા પુસ્તકો અપાવવામાં મદદ કરતા હતા.

દીપાંશુએ તેનું સ્કૂલ એજ્યુકેશન કરનાલથી પાસ કર્યું. ત્યાર પછી એન્જીનિયરિંગ કરી અને ખાનગી નોકરી શરૂ કરી દીધી. પણ દિપાંશુની કંઇક અલગ કરવાની ઇચ્છાએ તેને આ મુકામે પહોંચાડી દીધો. તેણે એવું કરવું હતું કે તેની આસપાસના કોઇએ આવું કામ કર્યું ન હોય. માટે તે નોકરીની સાથે અભ્યાસ પણ ચાલુ રાખતો હતો. તેણે ઈસરોની પરીક્ષા આપી અને તેમાં સફળતા મળી. ઈસરોની ટીમમાં તેણે જગ્યા બનાવી. લગભગ 2017માં દીપાંશુએ ઈસરો જોઇન કર્યું હતું. ત્યાં જ કામ કરી રહેલી વૈજ્ઞાનિક એશ્વર્યા સાથે તેણે લગ્ન કર્યા. બંને ઈસરોની એ ટીમમાં કામ કરી રહ્યા હતા જેણે ચંદ્રયાન-3ને ચંદ્ર પર મોકલ્યું છે.

જ્યારે ચંદ્રયાન-2 નિષ્ફળ થયેલું ત્યારે બંને નિરાશ પણ થયા હતા પણ તેણે હિંમત છોડી નહી અને મહેનત રંગ લાવી. ચંદ્રયાન-3નું ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિગ તેનું પરિણામ છે. તેમના પિતા અને માતા તેમની સાથે જ ત્યાં રહે છે. પરિવારના બાકીના લોકોએ તેની સાથે વાત પણ કરી અને તેમના માટે ખુશીની ક્ષણ છે. ત્યાંથી બંનેની તસવીર પણ સામે આવી છે. તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું કે હવે તેમની ટીમ વધુ એક મિશન પર કામમાં લાગી ગઇ છે. આજે પરિવારમાં ખુશી છે. મિઠાઇઓ વહેંચવામાં આવી રહી છે.

જણાવીએ કે, ભારતના મહત્વકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન-3એ ઘણી બાધાઓ અને મુશ્કેલીઓને પાર કરતા બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરી દેશને દુનિયાના ખાસ અવકાશ ક્લબમાં સામેલ કરી દીધું છે. આ લેન્ડિંગની સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની પાસે અવકાશ યાન ઉતારનારો દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. 

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.