ઉજ્જૈન રેપ કેસઃ પીડિત બાળકીને દત્તક લેવા માગે છે ઈન્સ્પેક્ટર અજય વર્મા

મહાકાલની નગરી ઉજ્જૈનમાં સગીરાની સાથે થયેલી હેવાનિયતથી આખો દેશ આહત છે. આ ઘટના પછી જ્યાં એક બાજુ પોલીસની કાર્યવાહી પર સવાલ ઊભા થયા, તો બીજી બાજુ માનવતાનો ચહેરો પણ જોવા મળ્યો. બે પોલીસકર્મીઓએ પીડિત બાળકીને બ્લડ ડોનેટ કર્યું હતું. આ કેસને ઉકેલવામાં અગત્યની ભૂમિકા ભજવનારા ઈંસ્પેક્ટર અજય વર્મા હવે પીડિત બાળકીને દત્તક લેવા માગે છે. તેમનું કહેવું છે કે, બાળકીની જ્યારે સારવાર ચાલી રહી હતી, તે દરમિયાન તેની ચીખોએ તેમની આંખો ભીની કરી દીધી.

જણાવીએ કે, ઈંસ્પેક્ટર અજય વર્માની નિવૃત્તિમાં માત્ર પોણા ચાર વર્ષ બાકી છે. એવામાં તે બાળકીને દત્તક લઇને તેમની જવાબદારી લેવા માગે છે.

ઈંસ્પેક્ટર અજયને સવાલ કરવામાં આવ્યો કે, તેમને શા માટે લાગ્યું કે બાળકીને દત્તક લેવી જોઇએ. જવાબમાં તેમણે કહ્યું કે, આ ઘટનાથી સમાજનો ક્રૂર ચહેરો જોવા મળ્યો છે. ઘણાં લોકોના ફોન આવી રહ્યા છે. બાળકીના પરિજનો પણ આવવાના છે. ત્યાર પછી તેમના બેંક ખાતાની ડિટેલ લઇ લેશું, જે પણ બાળકીની મદદ કરવા માગે તો કરી શકે છે.

બાળકીને દત્તક લેવા તૈયાર

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, દત્તક લેવા માટે ઘણી કાયદાકીય મુશ્કેલીઓ આવે છે. તો જવાબમાં તેમણે કહ્યું કે, તેના વિના પણ જવાબદારીઓ નિભાવી શકાય છે. દત્તક લેવાનો અર્થ તેની આર્થિક જરૂરતો, અભ્યાસ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકાય છે. જે પણ જવાબદારીઓ હશે તેને પૂરી કરી શકાય. જો બાળકીના માતા-પિતા ન મળ્યા તો તેઓ કાયદાકીય રીતે બાળકીને દત્તક લઇ લેશે. પરિવાર જો સંમત્તિ આપે તો તે બાળકીને રાખવા માટે પણ તૈયાર છે.

તેઓ આગળ કહે છે કે, ભગવાને મને દીકરી આપી નથી. પણ સારવાર દરમિયાન બાળકીની ચીખો સાંભળીને તેમની આંખો ભીની થઇ ગઈ હતી. ભગવાન તેમને આટલી તકલીફ કેમ આપી રહ્યા છે. આ ઘટના પછી તેઓ ભગવાનને કહેતા કે હવે તેઓ જ આ પરેશાનીનો ઉકેલ લાવશે.

24-25 સપ્ટેમ્બરની રાતે સતનાની રહેનારી સગીરાની સાથે ઉજ્જૈનમાં એક રીક્ષાચાલકે હેવાનિયત કરી હતી. મહાકાલ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અજય વર્માએ કહ્યું હતું કે,તેમને એ સૂચના મળી હતી કે બાળકી અર્ધનગ્ન હાલતમાં રસ્તા પર ફરી રહી છે, પણ તે એવી સ્થિતિમાં નથી કે કશું પણ બોલી શકે. મેડિકલ બાદ તેની સાથે રેપ થવાની પુષ્ટિ કરી હતી. બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ આવી હતી. સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.