આ દેશમાં ઘરની અંદર કેદ થયા 15 લાખ લોકો, નથી નીકળી રહ્યા બહાર, શું છે કારણ?

જીવનની પરેશાનીઓથી તંગ આવીને ઘણા લોકો એકલતાને જ પોતાની દુનિયા બનાવી લે છે. આ મામલો ત્યારે વધુ બગડી શકે છે, જ્યારે એવા લોકોની સંખ્યા વધી જાય અને સાથે સાથે સરકારની ચિંતા પણ વધી જાય છે. એક દેશમાં આ સમયે એ જ થઈ રહ્યું છે. અહીં 15 લાખ લોકો પોતાના ઘરોમાં કેદ થઈ ગયા છે. આ રિલેશનશિપ અને કોરોના મહામારીમાં નોકરી જવા જેવા મુદ્દાથી પરેશાન છે. તેમાં 15 વર્ષથી લઈને 64 વર્ષ સુધીના લોકો સામેલ છે.

આ ઘટના જાપાનની છે. એવા લોકોની સંખ્યા જાપાનની વસ્તીનો 2 ટકાનો હિસ્સો છે. તેમાંથી પાંચ તૃતીયાંશે તેના પાછળનું કારણ કોરોના વાયરસ મહામારી બતાવી છે. જાપાનમાં લોકોના એકાંતમાં રહેવા અને સમાજથી પોતાને અલગ રાખવાની પ્રક્રિયાને હિકિકોમોરી કહેવામાં આવે છે. BBCના રિપોર્ટ મુજબ, આ શબ્દ જાપાની મનોવૈજ્ઞાનિક તમાકી સેટોએ પોતાના વર્ષ 1998માં આવેલા પુસ્તક ‘સોશિયલ વિથડ્રોલ-એડોલ્સેન્સ વિધાઉટ એન્ડ’માં લખ્યો હતો.

એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા મુજબ, આ વ્યક્તિને હિકિકોમોરીથી પીડિત માનવામાં આવે છે, જ્યારે તે ઓછામાં ઓછા 6 મહિના સુધી સમાજથી દૂરી બનાવી રાખવા જેવો વ્યવહાર કરે છે. હિકિકોમોરીથી પીડિત વ્યક્તિ ઘરથી બહાર નીકળવાની ના પાડી દે છે. પછી શાળાએ જવાની વાત હોય, ઓફિસ જવાની વાત હોય કે પછી કેટલોક સામાન બહાર સ્ટોરથી ખરીદવા વાત હોય. આ લોકો ઘરથી બહાર પગલું રાખવાની ના પાડી દે છે. એન્સાઈક્લોપીડિયા બ્રિટનિકા મુજબ, હિકિકોમોરી પાછળનું કારણે પૂરી રીતે સ્પષ્ટ નથી.

કેટલાક મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે, માણસ જીવનમાં કોઈ તણાવપૂર્ણ ઘટનાથી તંગ આવીને પોતાને સમાજથી દૂર કરી લે છે. કેટલીક સ્ટડીઝમાં એ વાત પણ સામે આવી છે કે હિકિકોમોરીનો સંબંધ પરિવારમાં પરેશનો કે દર્દનો અનુભવ પણ હોય છે. જાપાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો દ્વારા સમાજથી પોતાને એકદમ અલગ કરવાના કેસો ઝડપથી વધી રહ્યા છે. તેને ચિંતા, ડિપ્રેશન કે સમાજમાં ભયની સ્થિતિ સાથે પણ જોડવામાં આવે છે.

40-60 વયના વર્ગના 44.5 ટકા લોકોનું કહેવું છે કે તેમના વ્યવહારમાં બદલાવ નોકરી છૂટ્યા બાદ શરૂ થયો. તો 20.6 ટકા લોકોએ કહ્યું કે, કોરોના મહામારી બાદ તેમના વ્યવહારમાં બદલાવ આવવાના શરૂ થયા. આ સમસ્યાની ઝપેટમાં વધારે લોકો આવવાના કારણે સરકાર હરકતમાં આવી છે. ટોક્યો સ્થિત Edogawa જૂનથી મેટાવર્સ સોશિયલાઇઝિંગ ઇવેન્ટ્સ શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં આ સમસ્યાના શિકાર લોકોને પોતાના અવતાર દ્વારા એક-બીજાને હળવા-મળવાનો ચાંસ મળશે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.