10 કરોડની લોટરી લાગી, પણ લેવા કોઈ આવ્યું નહીં... હવે શોધ ચાલુ છે!

જરા વિચારો કે કોઈએ કરોડો રૂપિયાની લોટરી જીતી છે અને તેને તેની ખબર પણ નથી. વાંચીને નવાઈ લાગી. પરંતુ તે સાચું છે. બ્રિટનમાં ચાર લોકોએ મળીને 10 કરોડ રૂપિયાની લોટરી જીતી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આ ચારેય વિજેતાઓને આ હકીકતની જાણ નથી. હકીકતમાં, 3 ફેબ્રુઆરીએ, 100થી વધુ લોકો યુરોમિલિયન્સ લોટરી હેઠળ કરોડપતિ બન્યા. પરંતુ, ચાર લોકો ઈનામની રકમ લેવા આવ્યા ન હતા. હવે આ લોકોની શોધ ચાલી રહી છે.

UKમાં લોટરી રમવાવાળા લોકો પાસે ડ્રો થયા પછી વિજેતા રકમનો દાવો કરવા માટે 180 દિવસ સુધીનો સમય હોય છે. કરોડો રૂપિયાની રકમ જીતનારા આ ચાર લોકો વિશે હજુ સુધી વધુ માહિતી સામે આવી નથી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ત્રણ લોકોએ રિટેલ શોપમાંથી અને એક વ્યક્તિએ ઓનલાઈન લોટરીની ટિકિટ ખરીદી હતી. 'ધ નેશનલ લોટરી' સાથે સંકળાયેલા એન્ડી કાર્ટરે પણ આ બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું કે, કલ્પના કરો કે કોઈ વ્યક્તિ કરોડપતિ બની ગયો છે, પરંતુ તેને આ વાતની જાણ જ નથી.

એન્ડીએ કહ્યું કે, આ બાબતને માત્ર એક અઠવાડિયું જ થયું છે. જો કે, અમે EuroMillions રમી રહેલા લોકોને તેમના એકાઉન્ટ ચેક કરવા વિનંતી કરવા માંગીએ છીએ. એન્ડીએ આગળ કહ્યું, આ પછી શક્ય છે કે 10 કરોડની ઈનામી રકમ જીતનાર આ 4 લોકો આગળ આવી શકે.

એન્ડીએ કહ્યું, અત્યાર સુધીમાં 27 વિજેતાઓને લોટરી ટિકિટની ઈનામી રકમ આપવામાં આવી છે. અહીં તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ વોશિંગ્ટનમાં એક વ્યક્તિએ પણ લોટરી ટિકિટના આધારે 6000 કરોડથી વધુની રકમનો જેકપોટ જીત્યો હતો. આ વ્યક્તિએ આ રકમ જીતીને નવો ઈતિહાસ રચ્યો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, સામાન્ય જ્ઞાન કહે છે કે લોટરી જીતવાથી તમારું જીવન બદલાઈ જશે. તે હંમેશા સાચું હોવાની સંભાવના છે, પરંતુ સંશોધન બતાવે છે કે, તમે જેવી અપેક્ષા કરશો તેવું તે નથી.

અર્થશાસ્ત્રીઓ ગાઈડો ઈમ્બેન્સ અને બ્રુસ સેકરડોટ અને આંકડાશાસ્ત્રી ડોનાલ્ડ રુબિને 2001ના એક પેપરમાં દર્શાવ્યું હતું કે, જ્યારે લોકો પાસે અણધાર્યા પૈસા આવી જાય છે ત્યારે તે લોકો તેને બેફામ રીતે ખર્ચ કરે છે. લોટરી જીત્યાના 10 વર્ષ પછી, તેની પાસે દરેક ડોલર માટે માત્ર 16 સેન્ટ બચ્યા હોય છે. અન્ય એક સંશોધન દર્શાવે છે કે, લોટરી વિજેતાઓમાંથી એક તૃતીયાંશ વ્યક્તિઓ નાદાર થઈ જાય છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.