10 કરોડની લોટરી લાગી, પણ લેવા કોઈ આવ્યું નહીં... હવે શોધ ચાલુ છે!

જરા વિચારો કે કોઈએ કરોડો રૂપિયાની લોટરી જીતી છે અને તેને તેની ખબર પણ નથી. વાંચીને નવાઈ લાગી. પરંતુ તે સાચું છે. બ્રિટનમાં ચાર લોકોએ મળીને 10 કરોડ રૂપિયાની લોટરી જીતી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આ ચારેય વિજેતાઓને આ હકીકતની જાણ નથી. હકીકતમાં, 3 ફેબ્રુઆરીએ, 100થી વધુ લોકો યુરોમિલિયન્સ લોટરી હેઠળ કરોડપતિ બન્યા. પરંતુ, ચાર લોકો ઈનામની રકમ લેવા આવ્યા ન હતા. હવે આ લોકોની શોધ ચાલી રહી છે.

UKમાં લોટરી રમવાવાળા લોકો પાસે ડ્રો થયા પછી વિજેતા રકમનો દાવો કરવા માટે 180 દિવસ સુધીનો સમય હોય છે. કરોડો રૂપિયાની રકમ જીતનારા આ ચાર લોકો વિશે હજુ સુધી વધુ માહિતી સામે આવી નથી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ત્રણ લોકોએ રિટેલ શોપમાંથી અને એક વ્યક્તિએ ઓનલાઈન લોટરીની ટિકિટ ખરીદી હતી. 'ધ નેશનલ લોટરી' સાથે સંકળાયેલા એન્ડી કાર્ટરે પણ આ બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું કે, કલ્પના કરો કે કોઈ વ્યક્તિ કરોડપતિ બની ગયો છે, પરંતુ તેને આ વાતની જાણ જ નથી.

એન્ડીએ કહ્યું કે, આ બાબતને માત્ર એક અઠવાડિયું જ થયું છે. જો કે, અમે EuroMillions રમી રહેલા લોકોને તેમના એકાઉન્ટ ચેક કરવા વિનંતી કરવા માંગીએ છીએ. એન્ડીએ આગળ કહ્યું, આ પછી શક્ય છે કે 10 કરોડની ઈનામી રકમ જીતનાર આ 4 લોકો આગળ આવી શકે.

એન્ડીએ કહ્યું, અત્યાર સુધીમાં 27 વિજેતાઓને લોટરી ટિકિટની ઈનામી રકમ આપવામાં આવી છે. અહીં તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ વોશિંગ્ટનમાં એક વ્યક્તિએ પણ લોટરી ટિકિટના આધારે 6000 કરોડથી વધુની રકમનો જેકપોટ જીત્યો હતો. આ વ્યક્તિએ આ રકમ જીતીને નવો ઈતિહાસ રચ્યો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, સામાન્ય જ્ઞાન કહે છે કે લોટરી જીતવાથી તમારું જીવન બદલાઈ જશે. તે હંમેશા સાચું હોવાની સંભાવના છે, પરંતુ સંશોધન બતાવે છે કે, તમે જેવી અપેક્ષા કરશો તેવું તે નથી.

અર્થશાસ્ત્રીઓ ગાઈડો ઈમ્બેન્સ અને બ્રુસ સેકરડોટ અને આંકડાશાસ્ત્રી ડોનાલ્ડ રુબિને 2001ના એક પેપરમાં દર્શાવ્યું હતું કે, જ્યારે લોકો પાસે અણધાર્યા પૈસા આવી જાય છે ત્યારે તે લોકો તેને બેફામ રીતે ખર્ચ કરે છે. લોટરી જીત્યાના 10 વર્ષ પછી, તેની પાસે દરેક ડોલર માટે માત્ર 16 સેન્ટ બચ્યા હોય છે. અન્ય એક સંશોધન દર્શાવે છે કે, લોટરી વિજેતાઓમાંથી એક તૃતીયાંશ વ્યક્તિઓ નાદાર થઈ જાય છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.