મોરક્કોમાં ભૂકંપથી તબાહી, અત્યાર સુધીમાં 600થી વધુ લોકોના મોત, જુઓ વીડિયો

ઉત્તરી આફ્રિકાના મોરક્કો શહેરમાં 6.8 તીવ્રતાના ભૂકંપના ભારે ઝટકાના કારણે ઘણી ઇમરતો ધ્વસ્ત થઈ ગઈ છે. મોરક્કો મીડિયા મુજબ, આ ભૂકંપની ઝપેટમાં આવવાથી અત્યાર સુધી 600થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. મૃતકોનો આંકડો હજુ વધવાનું અનુમાન છે. બીજી તરફ ભૂકંપ બાદ મોટા પ્રમાણ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું કે, ભૂકંપની કેન્દ્ર મારકેશ શહેરથી 75 કિલોમીટર દૂર પશ્ચિમમાં સ્થિત હતું. ભૂકંપના ઝટકા એટલા તેજ હતા કે મોટી સંખ્યામાં ઇમારતો પડી ગઈ.
🚨🎥A terrifying moment of a collapse captured by a security camera during the earthquake in Morocco. 😨💔#هزة_أرضية #المغرب #زلزال_المغرب #مراكش #seisme #earthquake pic.twitter.com/Hhah1lCgZp
— AkramPRO (@iamAkramPRO) September 9, 2023
તો ઘણી ઇમારતો પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થવાના સમાચાર પણ સામે આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ કાટમાળમાં અત્યારે પણ ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. જેથી મોતનો આંકડો હજુ વધી શકે છે. હાલમાં રાહત અને બચાવ કર્યા ચાલી રહ્યું છે. US જિયોલોજીકલ સર્વે મુજબ, સ્થાનિક સમય મુજબ, મોડી રાત્રે લગભગ 11:11 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપના એપી સેન્ટર મારકેશથી 75 કિલોમીટર દૂર 18.5 કિલોમીટરની ઊંડાઈમાં હતું,
🚨🚨🇲🇦Following the 7.1 earthquake striking Morocco, the Kutubiyya Mosque may collapse 😨#Earthquake #Seisme #زلزال pic.twitter.com/SFB0Kqr16u
— AkramPRO (@iamAkramPRO) September 9, 2023
Moment of building collapse at #Morocco after massive #earthquake
— Updates (@sirfupdate) September 9, 2023
#Maroc #moroccosismo #earthquake #deprem #earthquakes #Sismo #Morocco pic.twitter.com/zXeLEuNVEA
મોરક્કોમાં ભૂકંપના કારણે થયેલી તબાહી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતા દરેક સંભવિત સહાયતાનો ભરોસો આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર લખ્યું કે, મોરક્કોમાં ભૂકંપના કારણે થયેલા જાનમાલની હાનિથી અત્યંત દુઃખ થયું. આ દુઃખદ સમયમાં મારી સંવેદનાઓ મોરક્કોના લોકો સાથે છે. એ લોકો પ્રત્યે સંવેદના જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઇજાગ્રસ્તો જલદી જ સારા થવાની કામના કરતા કહ્યું કે, ભારત યોગ્ય સમયે આ મુશ્કેલ સમયમાં મોરક્કોની દરેક સંભવિત સહાયતા આપવા માટે તૈયાર છે.
Extremely pained by the loss of lives due to an earthquake in Morocco. In this tragic hour, my thoughts are with the people of Morocco. Condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest. India is ready to offer all possible assistance to…
— Narendra Modi (@narendramodi) September 9, 2023
ઉલ્લેખનીય છે કે, આફ્રિકન અને યુરેશિયાઈ પ્લેટો વચ્ચે સ્થિત હોવાના કારણે મોરક્કોના ઉત્તરી હિસ્સામાં ભૂકંપ આવતા રહે છે. વર્ષ 2004માં પૂર્વોત્તર મોરક્કોના અલ હોસેઇમામાં ભૂકંપમાં ભારે જાનમાલનું નુકસાન થયું હતું. તેની ઝપેટમાં આવવાથી 600 કરતા વધારે લોકો માર્યા ગયા, જ્યારે 900 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અગાઉ વર્ષ 1980માં મોરક્કોના પાડોશી અલ્જિરિયામાં 7.3 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. તેમાં 2500 લોકો માર્યા ગયા હતા અને લગભગ 3 લાખ લોકો બેઘર થઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp