મોરક્કોમાં ભૂકંપથી તબાહી, અત્યાર સુધીમાં 600થી વધુ લોકોના મોત, જુઓ વીડિયો

ઉત્તરી આફ્રિકાના મોરક્કો શહેરમાં 6.8 તીવ્રતાના ભૂકંપના ભારે ઝટકાના કારણે ઘણી ઇમરતો ધ્વસ્ત થઈ ગઈ છે. મોરક્કો મીડિયા મુજબ, આ ભૂકંપની ઝપેટમાં આવવાથી અત્યાર સુધી 600થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. મૃતકોનો આંકડો હજુ વધવાનું અનુમાન છે. બીજી તરફ ભૂકંપ બાદ મોટા પ્રમાણ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું કે, ભૂકંપની કેન્દ્ર મારકેશ શહેરથી 75 કિલોમીટર દૂર પશ્ચિમમાં સ્થિત હતું. ભૂકંપના ઝટકા એટલા તેજ હતા કે મોટી સંખ્યામાં ઇમારતો પડી ગઈ.

તો ઘણી ઇમારતો પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થવાના સમાચાર પણ સામે આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ કાટમાળમાં અત્યારે પણ ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. જેથી મોતનો આંકડો હજુ વધી શકે છે. હાલમાં રાહત અને બચાવ કર્યા ચાલી રહ્યું છે. US જિયોલોજીકલ સર્વે મુજબ, સ્થાનિક સમય મુજબ, મોડી રાત્રે લગભગ 11:11 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપના એપી સેન્ટર મારકેશથી 75 કિલોમીટર દૂર 18.5 કિલોમીટરની ઊંડાઈમાં હતું,

મોરક્કોમાં ભૂકંપના કારણે થયેલી તબાહી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતા દરેક સંભવિત સહાયતાનો ભરોસો આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર લખ્યું કે, મોરક્કોમાં ભૂકંપના કારણે થયેલા જાનમાલની હાનિથી અત્યંત દુઃખ થયું. આ દુઃખદ સમયમાં મારી સંવેદનાઓ મોરક્કોના લોકો સાથે છે. એ લોકો પ્રત્યે સંવેદના જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઇજાગ્રસ્તો જલદી જ સારા થવાની કામના કરતા કહ્યું કે, ભારત યોગ્ય સમયે આ મુશ્કેલ સમયમાં મોરક્કોની દરેક સંભવિત સહાયતા આપવા માટે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે, આફ્રિકન અને યુરેશિયાઈ પ્લેટો વચ્ચે સ્થિત હોવાના કારણે મોરક્કોના ઉત્તરી હિસ્સામાં ભૂકંપ આવતા રહે છે. વર્ષ 2004માં પૂર્વોત્તર મોરક્કોના અલ હોસેઇમામાં ભૂકંપમાં ભારે જાનમાલનું નુકસાન થયું હતું. તેની ઝપેટમાં આવવાથી 600 કરતા વધારે લોકો માર્યા ગયા, જ્યારે 900 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અગાઉ વર્ષ 1980માં મોરક્કોના પાડોશી અલ્જિરિયામાં 7.3 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. તેમાં 2500 લોકો માર્યા ગયા હતા અને લગભગ 3 લાખ લોકો બેઘર થઈ ગયા હતા.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.