74 કરોડમાં વેચી એક સાદી ફુલદાની, કંઈક એવું કર્યું કે બોલી લગાવનારાઓની લાઈન લાગી

ઘણા લોકો પોતાના ઘરને આવા એન્ટિક પીસથી સજાવવાના શોખીન હોય છે, જે સરળતાથી ઉપલબ્ધ નથી હોતા. જ્યારે કોઈ વસ્તુની હરાજી કરવામાં આવે છે, ત્યારે તેની સાથે સંબંધિત તમામ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. તે કયા યુગ અથવા રાજવંશ સાથે સંકળાયેલું છે, તેની ધાતુ અને કોતરણી કેવી છે અને સૌથી મહત્વની બાબત એ છે કે તે શા માટે એટલું વિશેષ છે કે, તેની કિંમત લાખો અને કરોડોમાં હોઈ શકે છે. તમે આવી અનેક કલાકૃતિઓ અથવા ઐતિહાસિક કૃતિઓ વિશે સાંભળ્યું જ હશે કે જેને મોંઘી કિંમત ચૂકવીને ખરીદવામાં કે વેચવામાં આવી હતી. જો કે આજે અમે તમને જે સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ તે થોડી અલગ છે.

જ્યારે આપણે જૂની વસ્તુઓ બજારમાં વેચવા જઈએ છીએ, ત્યારે તેની કિંમતના અડધા અથવા ચોથા ભાગના ભાવે વેચીને પાછા આવીએ છીએ. પરંતુ વિચારો કે જો કોઈ વ્યક્તિ સામાન્ય દેખાતા જૂના વાસણને 74 કરોડમાં વેચે છે તો, તે કદાચ ખૂબ જ આશ્ચર્યજનક બાબત હશે. પાછળ કેટલાક દિવસો પહેલા એક વ્યક્તિએ કંઈક એવું અદ્ભુત કર્યું કે, તેના ઘરમાં રાખેલી ચાઈનીઝ ફૂલદાની 74 કરોડ રૂપિયામાં વેચાઈ ગઈ. આ પછી આ વ્યક્તિ અમીર બની ગયો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો થોડો જૂનો છે, પરંતુ તાજેતરમાં જ કોઈએ આ વાસણની તસવીર શેર કરી, તો આ વાર્તા ફરી ચર્ચામાં આવી. કહેવામાં આવ્યું કે, મામલો ફ્રાંસનો છે. અહીંથી એક વ્યક્તિ પોતાની કેટલીક ઘરવપરાશની વસ્તુઓ લઈને બજારમાં પહોંચ્યો હતો. તેના ઘરમાં એક જૂનું વાસણ હતું જે ફૂલદાની જેવું હતું. તે ચીનનું બનેલું હતું. આ ફૂલદાનીમાં કોતરકામ કરવામાં આવ્યું હતું, જ્યારે લોકોએ તેને જોવાનું શરૂ કર્યું, તો ત્યાંથી જ તેના મનમાં એક વિચાર આવ્યો.

એક રિપોર્ટ અનુસાર, જેવો તે બજારમાં પહોંચ્યો, આ વ્યક્તિએ અફવા ફેલાવી કે આ ફૂલદાની મધ્યયુગીન યુગની છે. આ ફૂલદાનીમાં લાંબા સુંવાળા ગળાની જેવી આ ફુલદાનીમાં ડ્રેગન અને વાદળો કોતરવામાં આવ્યા હતા. આ પછી લોકો તેને ખરીદવા માટે આગળ આવવા લાગ્યા અને પછી તેની કાયદેસર રીતે હરાજી કરવામાં આવી. આ ફૂલદાની 18મી સદીની હોવાનું માનીને ત્રણસોથી ચારસો લોકો તેને ખરીદવા માંગતા હતા. આખરે આ ફૂલદાની વેચાઈ ગઈ.

એવું કહેવામાં આવ્યું હતું કે, ચીનમાં રહેતા એક વ્યક્તિએ તેને ત્યાંથી ખરીદી હતી. આ ફૂલદાનીની કિંમત 1.5 લાખ રૂપિયાથી લગાવવામાં આવી હતી, પરંતુ તે ખેંચાતા ખેંચાતા 74 કરોડ સુધી પહોંચી ગઈ અને આ કિંમતે આ વ્યક્તિએ તેને ખરીદી લીધી છે. કદાચ તેને પણ ફૂલદાની ખરીદ્યા પછી જ તેની અસલિયતની ખબર પડી હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના થોડી જૂની છે અને વ્યક્તિએ બેઈમાનીથી ઘણા પૈસા કમાયા હતા.

About The Author

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.