પાકિસ્તાનની મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 25ના મોત, મોટા ભાગના પોલીસકર્મી, 80ને ઇજા

પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદ પર આત્મઘાતી હુમલો થયો છે. ધમાકામાં 80 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થવાની જાણકારી મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ધમાકો એટલો જોરદાર હતો કે, તેના કારણે મસ્જિદનો એક હિસ્સો પૂરી રીતે ધ્વસ્ત થઈ ગયો. બ્લાસ્ટ પેશાવરમાં પોલીસ લાઇન્સ પાસે સ્થિત મસ્જિદમાં જોહરની નમાજ બાદ થયો. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ધમાકા બાદ અફરાતફરીનો માહોલ નજરે પડી રહ્યો છે.

એક રિપોર્ટ મુજબ, હુમલામાં 25 લોકોના મોત થયા છે અને 80 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. સોશિયલ મીડિયા પર ધમાકાની જાણકારી સાથે શેર કરવામાં આવી રહેલા વીડિયોમાં મસ્જિદની અંદરના નજારાને જોઈ શકાય છે. પોલીસે કહ્યું કે, આ એક શંકાસ્પદ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નમાજ વચ્ચે હુમલાવરે પોતાને ઉડાવી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે, મૃતકોમાં મોટા ભાગના પોલીસકર્મી હતા. બચાવ ટીમ અને સુરક્ષા બલોકોને ઘટનાસ્થળ પર મોકલવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાનમાં મસ્જિદ પર હુમલાની ઘટના સામે આવતી રહે છે. 16 મે 2022ના રોજ પાકિસ્તાનના કરાચીમાં બ્લાસ્ટ થયો હતો. અહીં MA જિન્ના રોડ પર મેમન મસ્જિદ પાસે વિસ્ફોટ થયો હતો, જેમાં એક મહિલાનું મોત થઈ ગયું હતું, જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. ઇજાગ્રસ્તોમાં એક પોલીસકર્મી પણ સામેલ હતા. કરાચીમાં આ પહેલા પણ એક બ્લાસ્ટ થયો હતો. 13 મે 2022ની રાત્રે એક બોમ્બ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. જ્યારે 13 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા.

 
 
 
View this post on Instagram

A post shared by Dawn Today (@dawn.today)

આ બ્લાસ્ટ કરાચીના સૌથી વ્યસ્ત વ્યાવસાયિક વિસ્તાર સદરમાં થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, બ્લાસ્ટ એક હૉટલ બહાર કચરાપેટીમાં થયો. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું હતું કે, બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસના અપાર્ટમેન્ટ, દુકાનો, કારોની બારીઓ તૂટી ગઈ અને આગ લાગી ગઈ. આ પહેલા 26 એપ્રિલ 2022ના રોજ પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં એક આત્મઘાતી હુમલો થયો હતો. તેમાં 3 ચીની અને એક પાકિસ્તાની નાગરિકનું મોત થઈ ગયું હતું.

આ હુમલાને બલૂચિસ્તાન લિબરેશન આર્મીની આત્મઘાતી હુમલાવર શૈરી બલૂચે અંજામ આપ્યો હતો. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચીની નાગરિકો પર પણ હુમલા વધ્યા છે. ત્યારબાદ પાકિસ્તાનમાં ચીનના ઉપ રાજદૂત પાંગ ચુનક્સ્યૂ એ ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહ સાથે મુલાકાત કરી હતી અને પાકિસ્તાનમાં ચીની નાગરિકોની સુરક્ષા સહિત તમામ મુદ્દાઓ પર વાત કરી હતી. ચીની ઉપ રાજદૂર ચુનક્સ્યૂએ કહ્યું હતું કે, તેમનો દેશ ઈચ્છે છે કે કરાચીમાં ઘટના પૂરી તપાસ થાય અને દોષીઓને વહેલી તકે સજા મળે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.