આધ્યાત્મિક જ્ઞાનના નામે મહિલાઓ સાથે સેક્સ કરનારા કેનેડાના ઢોંગી ગુરુની ધરપકડ

કેનેડામાં એક આધ્યાત્મિક નેતા પર પોતાની મહિલા અનુયાયીઓનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ લાગ્યો છે. એડમોન્ટનમાં પોલીસે શનિવાર એટલે કે 22 જાન્યુઆરીએ 4 મામલાઓમાં 63 વર્ષીય જોન ડી રુઇટરની ધરપકડ કરી છે. રુઇટરની ગણતરી કેનેડાના સૌથી ધનવાન સ્પિરિચ્યુઅલ લીડર તરીકે કરવામાં આવે છે. જોન ડી રુઇટરે 2017 અને 2020ની વચ્ચે ઘણા મહિલા અનુયાયીઓ સાથે સંબંધ બનાવ્યા. તેને માટે તેણે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્તિનો સહારો લીધો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પોતાના ફોલોઅર ગ્રુપની કેટલીક મહિલા સભ્યોને જણાવ્યું કે, તેને એક આત્માએ તેની સાથે યૌન ગતિવિધિમાં સામેલ થવા માટે ઉશ્કેર્યો હતો.

ડી રુઇટરે મહિલાઓને કહ્યું કે, આવુ કરવાથી જ તેમને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ મળશે. પોલીસ અધિકારીઓનું કહેવુ છે કે, હાલ કેટલીક મહિલાઓના આરોપોના આધાર પર આ ધરપકડ થઈ છે. એવુ લાગે છે કે, આ મામલામાં શિકાર બનેલી મહિલાઓની સંખ્યા હજુ વધુ હોઈ શકે છે. અમે તેમને આગળ આવીને ફરિયાદ દાખલ કરાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ડી રુઇટર પોતાને કોઈપણ પ્રકારનો ગુનેગાર નથી માનતો. જોકે, તેના સહાયકોએ આ મામલામાં હજુ સુધી કોઈ ટિપ્પણી નથી કરી. પરંતુ, એક પ્રવક્તા, જાબા વોકરે BBCને જણાવ્યું કે, ડી રુઇટર કોર્ટમાં આ આરોપોનો મુકાબલો કરવાનો ઈરાદો ધરાવે છે.

બે વર્ષ પહેલા ચીની-કેનેડિયન અભિનેતા અને ગાયક ક્રિસ વૂના મામલાએ ખૂબ જ ઝડપથી તૂલ પકડ્યો હતો. જૂન 2021માં એક કથિત પીડિતાએ તેના પર રેપનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ઓછામાં ઓછી 24 મહિલાઓએ વૂ પર યૌન દુરાચારનો આરોપ લગાવ્યો. વાત ક્રિસ વૂ પર બળાત્કારના આરોપ લાગવાથી શરૂ થઈ હતી પરંતુ, તેના મામલામાં ચીનમાં સેક્સુઅલ કન્સેન્ટ એટલે કે યૌન સહમતિના મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી. ગત નવેમ્બર 2022માં ચીનમાં ક્રિસ વૂને રેપના ઘણા મામલાઓમાં કુલ મળીને 13 વર્ષી સજા આપવામાં આવી છે.

ભારતમાં આસારામથી લઈને ઘણા ધર્મગુરુ પર લાગી ચુક્યા છે રેપના આરોપ

ભારતમાં ચર્ચિત સંત રહેલા આસારામ પર ઓગસ્ટ 2013માં એક સગીર બાળકી પર આશ્રમમાં રેપ કરવાનો આરોપ લાગ્યો હતો. 82 વર્ષીય આસારામ હાલ જોધપુર જેલમાં આજીવન કારાવાસની સજા કાપી રહ્યો છે. તેને સગીરના રેપમાં આ સજા થઈ છે, પરંતુ આ પહેલા પણ આસારામે સજાથી બચવા માટે ઘણી રીતો અપનાવી હતી.

10 જાન્યુઆરી, 2018ના રોજ જમ્મૂના શહેર કઠુઆમાં એક 8 વર્ષની બાળકીને કિડનેપ કરી 6 દિવસ સુધી મંદિરના એક અંધારા રૂમમાં બંધ રાખવામાં આવી હતી. મંદિરનો પૂજારી જ આ ઘટનાનો માસ્ટરમાઈન્ડ હતો. તેની સાથે 4 લોકોએ બાળકીને નશાની ગોળીઓ આપીને 6 દિવસ સુધી રેપ કર્યો હતો. ત્યારબાદ બાળકીનું ગળું દબાવીને મારી નાંખી. પથ્થરથી તેના માથા પર વાર કર્યો અને લાશને જંગલમાં ફેંકી દીધી હતી.

1 ઓગસ્ટ, 2021ના રોજ દિલ્હી કેન્ટ વિસ્તારમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવાનો મામલો સામે આવ્યો હતો. બાળકી સાંજના સમયે શ્મશાનમાં લાગેલા વોટર કૂલરમાંથી પાણી ભરવા ગઈ હતી, જ્યાં એક મંદિરના પૂજારી સહિત ચાર લોકોએ નાનકડી બાળકીની આબરૂ લૂંટી લીધી અને તેને દર્દનાક મોત આપીને માણસાઈને શર્મસાર કરી હતી.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.