સાઉદી અરબમાં નાગરિકતાના નિયમો બદલાયા, ભારતીયો પર શું થશે અસર?

સાઉદી અરબની સરકારે દેશમાં નાગરિકત્વને લઈને મોટો ફેરફાર કર્યો છે. જો કે, આ ફેરફાર કોઈની નાગરિકતા છીનવી લેવા માટે નહીં પરંતુ તેને આપવા માટે કરવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર, હવે સાઉદી મૂળની એ તમામ મહિલાઓના બાળકો જેમણે વિદેશીઓ સાથે લગ્ન કર્યા છે તેઓ નાગરિકતા માટે અરજી કરી શકે છે.

જો કે, બાળકોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને તેઓ નાગરિકતા મેળવવા માટેના તમામ માપદંડોને પૂર્ણ કરવા જોઈએ. આ સમાચાર ભારતના પ્રવાસીઓ માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે મોટી સંખ્યામાં આવા ભારતીયો સાઉદી અરબમાં રહે છે, જેમણે સાઉદી મૂળની મહિલાઓ સાથે લગ્ન કર્યા છે.

સાઉદી ગેઝેટ અખબાર અનુસાર, PM મોહમ્મદ બિન સલમાને સાઉદી અરેબિયન નેશનાલિટી સિસ્ટમની કલમ 8માં ફેરફારને મંજૂરી આપી દીધી છે. સાઉદી અરબના આ લેખમાં ફેરફાર પછી, 'જે વ્યક્તિનો જન્મ સાઉદી અરબમાં થયો છે અને તેના પિતા વિદેશી નાગરિક છે પરંતુ માતા સાઉદી મૂળની છે, તો તે વ્યક્તિને સાઉદી અરબની નાગરિકતા મળી શકે છે.'

જો કે, નાગરિકતા મેળવતા પહેલા, ઘણી શરતો પૂરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાઉદી અરબની નાગરિકતા માટે અરજી કરનાર વ્યક્તિ અરબી ભાષામાં સારી રીતે જાણકાર હોવો જોઈએ. તેનું વ્યક્તિત્વ સારું હોવું જોઈએ. તેની સામે કોઈ કાનૂની કાર્યવાહી ચાલી રહી નથી અથવા તે ભૂતકાળમાં 6 મહિનાથી વધુ સમયથી તે જેલમાં ગયો નથી.

સાઉદી અરબમાં લગભગ 25 લાખ ભારતીયો રહે છે. આમાંના મોટાભાગના લોકો એવા લોકો છે જેઓ ત્યાં મજૂરી અથવા નાની કંપનીઓમાં કામ કરે છે. સાઉદી અરબમાં એવા લોકો પણ મોટી સંખ્યામાં છે જેમણે પોતાનો બિઝનેસ સ્થાયી રીતે સ્થાપિત કર્યો છે. ભારતીય પ્રવાસીઓએ પણ સાઉદી મૂળની મહિલાઓ સાથે લગ્ન કર્યા છે.

જો કે, સાઉદી મૂળની મહિલા સાથે લગ્ન તો થૈ જતા હતા, પરંતુ તેમના બાળકોને નાગરિકતા મેળવવી મુશ્કેલ હતી. હવે સરકારના આ નિર્ણય બાદ મોટી સંખ્યામાં એવા લોકો નાગરિકતા માટે અરજી કરી શકશે, જેમના પિતા ભારતીય મૂળના છે, પરંતુ તેમની માતા સાઉદી મૂળની છે.

તાજેતરમાં, સાઉદી અરબની સરકારે હજ યાત્રાને લઈને પણ આવો નિર્ણય લીધો છે, જેનાથી લાખો ભારતીય મુસ્લિમોને ફાયદો થયો છે. હકીકતમાં, વર્ષ 2023 માટે, સાઉદી અરબ દ્વારા ભારતમાંથી હજ યાત્રીઓની સંખ્યામાં મોટો વધારો કરવામાં આવ્યો છે.

સાઉદી અરબના આ નિર્ણય બાદ આ વર્ષે એક લાખ 75 હજાર 25 લોકો હજ પર જઈ શકશે. ખાસ વાત એ છે કે અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં લોકો હજ કરવા પહોંચ્યા હતા. આ પહેલા ક્યારેય ભારતીયો માટે આટલો મોટો હજ ક્વોટા અનામત રાખવામાં આવ્યો ન હતો.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.