કેમ વિરોધ વચ્ચે એક લાખ વાંદરા ચીન મોકલી રહ્યું છે શ્રીલંકા?

આર્થિક સંકટથી ઝઝૂમી રહેલું શ્રીલંકા એક લાખ ટોક મકાક વાંદરા ચીન મોકલવાનું છે. જો કે, આ નિર્ણયનો પર્યાવરણ ગ્રુપ વિરોધ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, શ્રીલંકાના કૃષિ મંત્રાલયના એક અધિકારી ગુણદાસા સમરસિંઘેએ કહ્યું કે, એવું ઝૂલોજિકલ ગાર્ડન સાથે જોડાયેલી એક ચીની કંપનીના અનુરોધ બાદ કરવામાં આવી રહ્યું છે. અમે એક લાખ વાંદરા એક સાથે મોકલવાના નથી. એમ કરવામાં આવી રહ્યું છે કેમ કે દેશના ઘણા હિસ્સામાં વાંદરાઓના કારણે પાકને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. વધુ ખેતીવાળા વિસ્તારથી જ વાંદરા મોકલવામાં આવશે.

ટોક મકાક શ્રીલંકન સ્થાનિક વાંદરા છે, જ્યાં સ્થાનિક રૂપે તેને ‘રિલેવા’ નામથી ઓળખવામાં આવે છે. શ્રીલંકાની યોજના 1 લાખ ટોક મકાક વાંદરા ચીન મોકલવાની છે. ગયા અઠવાડિયે શ્રીલંકન કૃષિ મંત્રી મહિન્દા અમરવીરાએ કહ્યું હતું કે, એક લાખથી વધારે વાંદરાઓને ચીની પ્રાણીસંગ્રહાલયમાં સેટલ કરવાનો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. તે (ચીન) આ વાંદરાઓને પોતાના પ્રાણીસંગ્રહાલયો માટે ઇચ્છે છે. જો કે, શ્રીલંકા લગભગ બધા જીવિત પ્રાણીઓના નિકાસ પર પ્રતિબંધ લગાવે છે, પરંતુ પ્રસ્તાવિત વેચાણ એવા સમયમાં થયું છે, જ્યારે દેશ પોતાના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.

ભયંકર આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા શ્રીલંકાએ આ વર્ષે પોતાની સંરક્ષિત લિસ્ટમાંથી ઘણી પ્રજાતિઓને હટાવી દીધી હતી, જેમાંથી તેમની ત્રણેય વાંદરાની પ્રજાતિઓ સાથે મોર અને જંગલી ડુક્કર પણ સામેલ છે. કહેવામાં આવે છે કે વાંદરા આ આર્થિક સંકટ વચ્ચે પાકોને ખાવા માટે પણ ચર્ચામાં આવ્યા હતા. જો કે, વાંદરાઓને ચીન મોકલવાના નિર્ણયનો મોટા પ્રમાણમાં વિરોધ જોવા મળી રહ્યો છે. શ્રીલંકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, વાંદરાઓની સંખ્યા 2-3 મિલિયન છે.

આ નિર્ણયને લઈને કોલંબોમાં ઉપસ્થિત ચીની એમ્બેસીએ કહ્યું કે, તેઓ આ બાબતને લઈને કોઈ પ્રકારની જાણકારી રાખતા નથી. વન્યજીવ સંરક્ષણ કાયદો અને કાયદાનું પ્રવર્તન બાબતોમાં ચીનને દુનિયાના ટોપ દેશોમાંથી એકના રૂપમાં જોવામાં આવે છે. શ્રીલંકાથી એક લાખ વાંદરા ચીન મોકલવાની અટકળો દરમિયાન કેટલાક લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે ચીન આ વાંદરાઓનો ઉપયોગ માંસ માટે કરી શકે છે. જો કે, કૃષિ મંત્રી મહિન્દાએ એવી કોઈ સંભાવનાથી ઇનકાર કર્યો છે. શ્રીલંકામાં વાંદરાઓને પકડવાથી લઈને ચીન લઈને જવા સુધીનો બધો ખર્ચ ચીન ઉઠાવશે?

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.