તુર્કીમાં ફરી ધરતીકંપનો આંચકો, અત્યાર સુધી 4360ના મોત, 15000 ઇજાગ્રસ્ત

તુર્કી મંગળવારે ફરીથી ભૂકંપના ઝટકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા 5.9 હતી. તુર્કીમાં આ અગાઉ સોમવારે ભૂકંપના 3 તેજ ઝટકા અનુભવાયા હતા. તેમાં પહેલો ભૂકંપ સવારે 4:00 વાગ્યે 7.8ની તીવ્રતથી આવ્યો. તેણે સૌથી વધુ તબાહી મચાવી. ત્યારબાદ 7.5 અને 6ની તીવ્રતાના ભૂકંપ આવ્યા. તુર્કીમાં છેલ્લા 24 કલાકમાં 2,900 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. તો તુર્કી-સીરિયામાં અત્યાર સુધી 4360 લોકોના મોત થઈ ચૂક્યા છે. તુર્કીમાં 7 દિવસ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે.

તુર્કીમાં સોમવારે સવારે 4:17 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ જમીનથી 17.9 કિલોમીટર હતી. ભૂકંપનું કેન્દ્ર ગાઝિયાંટેપ પાસે હતું. તે સીરિયા બોર્ડરથી 90 કિલોમીટર દૂર સ્થિત છે. એવામાં સીરિયાના ઘણા શહેરોમાં પણ ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા. તે તુર્કીમાં 100 વર્ષમાં સૌથી તીવ્રતવાળો ભૂકંપ કરવામાં આવી રહ્યો છે. US Geological સર્વે મુજબ ભૂકંપ બાદ 77 ઝટકા લાગ્યા. તેમાં એક ઝટકો 7.5 તીવ્રતાનો હતો, જ્યારે એક ઝટકો 6.0ની તીવ્રતાનો હતો. આ બધા ઝટકાનું કેન્દ્ર ગાઝિયાંટેપથી 90 કિલોમીટરના દાયરામાં હતા.

તુર્કીમાં અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદ તબાહી મચેલી છે. બંને દેશોમાં અત્યાર સુધી 4,360 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. ભૂકંપના કારણે કંપન એટલું તેજ હતું કે ઇમારત ગંજીપાનાં સમાન પડી ગઇ. તુર્કી પ્રશાસનનું કહેવું છે કે, અત્યાર સુધી 5606 ઇમારતો પડી ચૂકી છે.

તબાહીનો એ જ નજારો સીરિયામાં જોવા મળ્યો છે. તુર્કી અને સીરિયામાં અત્યાર સુધી 4360 લોકોના મોત થયા છે, જ્યારે 15,000 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે સીરિયામાં સરકાર દ્વારા નિયંત્રિત વિસ્તારમાં 711 અને વિદ્રોહીઓના નિયંત્રણવાળા વિસ્તારમાં 740 લોકોના મોત થયા છે. સીરિયામાં 3531 લોકો, જ્યારે તુર્કીમાં 14,483 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

તુર્કીના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, હવામાન અને અપત્તિનો દાયરો રેસ્ક્યૂ ટીમો માટે પડકાર ઉત્પન્ન કરી રહી છે. ખરાબ હવામાનના કારણે રેસ્ક્યૂ ટીમ હેલિકોપ્ટર પણ ઉડાણ ભરી શકતા નથી. એટલું જ નહીં, હાલમાં જ તુર્કી અને સીરિયાના ઘણા વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ છે જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો આવ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ચેતવણી આપી છે કે તુર્કી અને સીરિયામાં આ વિનાશકારી ભૂકંપના કારણે આંકડો ઘણો બધો હોય શકે છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 20,000 સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.