26th January selfie contest

તીવ્ર ગરમી, અનાજ કટોકટી, મોત, બદલાતું હવામાનની જિંદગી પર ઊંડી અસર, UNને ચિંતા

PC: climate.nasa.gov

હવામાનના બદલાતા મિજાજને કારણે સામાન્ય લોકોના જનજીવનને ઘણી અસર થઈ છે. એપ્રિલના બીજા સપ્તાહમાં જ લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના ક્લાઈમેટ ચેન્જ રિપોર્ટમાં હવામાનની ખરાબ અસરો અંગે ચિંતા વધી છે. વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO)ના આ રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં, સમગ્ર વિશ્વએ દુષ્કાળ, પૂર અને ગરમીના મોજાની ઘટનાઓનો સામનો કરવો પડ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, WMO એ સંયુક્ત રાષ્ટ્ર (UN)નું સંગઠન છે. તેણે તેના રિપોર્ટમાં કહ્યું છે કે વર્ષ 2022માં ત્રણ ગ્રીનહાઉસ ગેસ - કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઈટ્રસ ઓક્સાઇડનું સ્તર સતત વધ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગત વર્ષ દરમિયાન વિશ્વના વિવિધ ભાગોમાં લોકો પૂર, દુષ્કાળ અને હીટવેવનો સામનો કરી રહ્યા હતા. આમાં ભારત પણ સામેલ હતું. જેના કારણે કરોડો ડૉલરનું નુકસાન વેઠવું પડ્યું હતું. એન્ટાર્કટિક સમુદ્રી બરફનું સ્તર તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. જ્યારે, કેટલાક યુરોપિયન ગ્લેશિયર્સ પણ ઘણાં પીગળી ગયા. જ્યારે, છેલ્લા આઠ વર્ષથી, વૈશ્વિક સરેરાશ તાપમાન રેકોર્ડ પર સૌથી વધુ છે. વર્ષ 2022માં, તે 1850-1900ની સરેરાશની સરખામણીમાં 1.15° સે વધ્યું હતું. WMOના મહાસચિવ પીટરી તાલાશે જણાવ્યું હતું કે, ગ્રીનહાઉસ ગેસ અને ક્લાઈમેટ ચેન્જમાં સતત વધારો થવાને કારણે, સમગ્ર વિશ્વની વસ્તીને ભારે હવામાનની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. WMO સેક્રેટરીએ કહ્યું કે, ઉદાહરણ તરીકે વર્ષ 2022માં પૂર્વ આફ્રિકામાં સતત દુષ્કાળ રહ્યો હતો. જ્યારે, પાકિસ્તાનમાં રેકોર્ડ બ્રેક વરસાદ, ચીન અને યુરોપમાં તીવ્ર ગરમીનું મોજું હતું. આના પરિણામે ખાદ્યપદાર્થોની ભારે અછત, લોકોનું મોટા પાયે વિસ્થાપન અને કરોડો ડૉલરનું નુકસાન થયું.

રિપોર્ટમાં ભારત વિશે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 2022માં ભારતમાં ચોમાસું સમય પહેલા આવી ગયું હતું અને ચાલ્યું પણ ગયું હતું. આ સિવાય ભારત અને પાકિસ્તાનમાં ચોમાસા પહેલાનો સમયગાળો પણ ખૂબ જ ગરમ રહ્યો હતો. આત્યંતિક ગરમીએ પાકના ઉત્પાદનમાં અવરોધ ઊભો કર્યો અને અનેક જંગલોમાં આગ લાગી. આ ખાસ કરીને ઉત્તરાખંડના પહાડી રાજ્યમાં જોવા મળ્યું હતું. નિવેદનમાં એમ જણાવવામાં આવ્યું છે કે, યુક્રેનમાં સંઘર્ષની શરૂઆત પછી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ અને ભારતમાં ચોખાની નિકાસ પર પ્રતિબંધની સાથે, આનાથી આંતરરાષ્ટ્રીય ખાદ્ય બજારોમાં મુખ્ય ખાદ્યપદાર્થોની ઉપલબ્ધતા, સુલભતા અને સ્થિરતા જોખમમાં આવી છે. જ્યારે, તે મુખ્ય ખોરાકની અછતથી પ્રભાવિત દેશોને પણ ઊંડી અસર કરે છે. આ સિવાય ભારતમાં ચોમાસાની સિઝન દરમિયાન અનેક તબક્કે પૂરની ઘટનાઓ પણ જોવા મળી હતી. ખાસ કરીને જૂન 2022માં ઉત્તર-પૂર્વમાં પૂર અને લેન્ડ સ્લાઈડિંગના કારણે 700થી વધુ લોકોના મોત પણ થયા હતા. આ સિવાય વીજળી પડવાથી 900 લોકોના મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp