તીવ્ર ગરમી, અનાજ કટોકટી, મોત, બદલાતું હવામાનની જિંદગી પર ઊંડી અસર, UNને ચિંતા

હવામાનના બદલાતા મિજાજને કારણે સામાન્ય લોકોના જનજીવનને ઘણી અસર થઈ છે. એપ્રિલના બીજા સપ્તાહમાં જ લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના ક્લાઈમેટ ચેન્જ રિપોર્ટમાં હવામાનની ખરાબ અસરો અંગે ચિંતા વધી છે. વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO)ના આ રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં, સમગ્ર વિશ્વએ દુષ્કાળ, પૂર અને ગરમીના મોજાની ઘટનાઓનો સામનો કરવો પડ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, WMO એ સંયુક્ત રાષ્ટ્ર (UN)નું સંગઠન છે. તેણે તેના રિપોર્ટમાં કહ્યું છે કે વર્ષ 2022માં ત્રણ ગ્રીનહાઉસ ગેસ - કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઈટ્રસ ઓક્સાઇડનું સ્તર સતત વધ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગત વર્ષ દરમિયાન વિશ્વના વિવિધ ભાગોમાં લોકો પૂર, દુષ્કાળ અને હીટવેવનો સામનો કરી રહ્યા હતા. આમાં ભારત પણ સામેલ હતું. જેના કારણે કરોડો ડૉલરનું નુકસાન વેઠવું પડ્યું હતું. એન્ટાર્કટિક સમુદ્રી બરફનું સ્તર તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. જ્યારે, કેટલાક યુરોપિયન ગ્લેશિયર્સ પણ ઘણાં પીગળી ગયા. જ્યારે, છેલ્લા આઠ વર્ષથી, વૈશ્વિક સરેરાશ તાપમાન રેકોર્ડ પર સૌથી વધુ છે. વર્ષ 2022માં, તે 1850-1900ની સરેરાશની સરખામણીમાં 1.15° સે વધ્યું હતું. WMOના મહાસચિવ પીટરી તાલાશે જણાવ્યું હતું કે, ગ્રીનહાઉસ ગેસ અને ક્લાઈમેટ ચેન્જમાં સતત વધારો થવાને કારણે, સમગ્ર વિશ્વની વસ્તીને ભારે હવામાનની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. WMO સેક્રેટરીએ કહ્યું કે, ઉદાહરણ તરીકે વર્ષ 2022માં પૂર્વ આફ્રિકામાં સતત દુષ્કાળ રહ્યો હતો. જ્યારે, પાકિસ્તાનમાં રેકોર્ડ બ્રેક વરસાદ, ચીન અને યુરોપમાં તીવ્ર ગરમીનું મોજું હતું. આના પરિણામે ખાદ્યપદાર્થોની ભારે અછત, લોકોનું મોટા પાયે વિસ્થાપન અને કરોડો ડૉલરનું નુકસાન થયું.

રિપોર્ટમાં ભારત વિશે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 2022માં ભારતમાં ચોમાસું સમય પહેલા આવી ગયું હતું અને ચાલ્યું પણ ગયું હતું. આ સિવાય ભારત અને પાકિસ્તાનમાં ચોમાસા પહેલાનો સમયગાળો પણ ખૂબ જ ગરમ રહ્યો હતો. આત્યંતિક ગરમીએ પાકના ઉત્પાદનમાં અવરોધ ઊભો કર્યો અને અનેક જંગલોમાં આગ લાગી. આ ખાસ કરીને ઉત્તરાખંડના પહાડી રાજ્યમાં જોવા મળ્યું હતું. નિવેદનમાં એમ જણાવવામાં આવ્યું છે કે, યુક્રેનમાં સંઘર્ષની શરૂઆત પછી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ અને ભારતમાં ચોખાની નિકાસ પર પ્રતિબંધની સાથે, આનાથી આંતરરાષ્ટ્રીય ખાદ્ય બજારોમાં મુખ્ય ખાદ્યપદાર્થોની ઉપલબ્ધતા, સુલભતા અને સ્થિરતા જોખમમાં આવી છે. જ્યારે, તે મુખ્ય ખોરાકની અછતથી પ્રભાવિત દેશોને પણ ઊંડી અસર કરે છે. આ સિવાય ભારતમાં ચોમાસાની સિઝન દરમિયાન અનેક તબક્કે પૂરની ઘટનાઓ પણ જોવા મળી હતી. ખાસ કરીને જૂન 2022માં ઉત્તર-પૂર્વમાં પૂર અને લેન્ડ સ્લાઈડિંગના કારણે 700થી વધુ લોકોના મોત પણ થયા હતા. આ સિવાય વીજળી પડવાથી 900 લોકોના મોત થયા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.