જો તમે રોજના આટલા રૂપિયા નથી કમાતા તો તમે ખૂબ જ ગરીબની ગણતરીમાં આવશો

વિશ્વ બેંકે Extreme Povertyની ગણતરી માટે ફોર્મ્યુલા બદલી છે. વર્ષ 2022 થી, પરચેઝિંગ પાવર પેરિટીના આધારે પ્રતિ દિવસ 2.15 ડોલર કરતાં ઓછી એટલે કે 166 રૂપિયા પ્રતિ દિવસની કમાણી કરનારા લોકોને અત્યંત ગરીબ ગણવામાં આવશે. વિશ્વ બેંકની નવી ગરીબી રેખા (વર્લ્ડ બેંક BPL) 2017ની કિંમતો પર આધારિત છે. અગાઉ, 1.90 ડોલર એટલે કે 147 રૂપિયા પ્રતિ દિવસથી ઓછી કમાણી કરનારાઓને ખૂબ જ ગરીબ ગણવામાં આવતા હતા. જૂની ફોર્મ્યુલા 2015ના ભાવ પર આધારિત હતી.

નવા ધોરણના અમલ પછી, અતિ ગરીબ લોકોની સંખ્યામાં 0.2 ટકાનો ઘટાડો થયો છે. હવે વિશ્વ બેંકની ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનો હિસ્સો 9.1 ટકા છે. સંખ્યાની દ્રષ્ટિએ, નવી ફોર્મ્યુલાને કારણે અત્યંત ગરીબ લોકોની સંખ્યામાં 1.5 કરોડનો ઘટાડો થયો છે. જો કે, આ અછત પછી પણ, વિશ્વમાં અત્યંત ગરીબ લોકોની વસ્તી 68 કરોડ છે. મતલબ કે 68 કરોડ લોકોની દૈનિક આવક 166 રૂપિયાથી ઓછી છે.

વર્લ્ડ બેંકે કહ્યું કે અત્યંત ગરીબ લોકોની કુલ સંખ્યામાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ગરીબ આફ્રિકન દેશોની ખરીદ શક્તિમાં સુધારો છે. જૂના ફોર્મ્યુલા મુજબ, વિશ્વના સૌથી ગરીબ લોકોમાંથી 62 ટકા લોકો આફ્રિકન દેશોમાં રહેતા હતા. નવા ફોર્મ્યુલાના આધારે આ દેશોનો હિસ્સો ઘટીને 58 ટકા થઈ ગયો છે. તેમ છતાં હજુ પણ વિશ્વની સૌથી ગરીબ વસ્તી આ દેશોમાં રહે છે.

વિશ્વ બેંકે અહેવાલમાં જણાવ્યું છે કે સબ-સહારન આફ્રિકામાં ફુગાવામાં 40 ટકા ખાદ્ય કંપોનન્ટનો હિસ્સો છે. આ દેશોમાં ખાદ્યપદાર્થોનો ફુગાવો નજીવો હોવાથી તેની ખરીદ શક્તિમાં સુધારો થયો છે.

ભારતની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં ગરીબોની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2011 થી 2019 દરમિયાન ગરીબી રેખા (BPL)ની નીચેની સંખ્યામાં 12.3 ટકાનો ઘટાડો થયો છે. ભારતમાં ગરીબોની ઓછી સંખ્યાનું મુખ્ય કારણ ગ્રામીણ વિસ્તારોમાં ગરીબીમાં ઘટાડો છે. આ સમયગાળા દરમિયાન ગ્રામીણ ભારતમાં અત્યંત ગરીબ લોકોની સંખ્યા અડધી થઈ ગઈ અને ઘટીને 10.2 ટકા પર આવી ગઇ છે.

જો કે કોરોના મહામારીએ ગરીબો સામેની વિશ્વની લડાઇ પર ખાસ્સો બુરો પ્રભાવ પાડ્યો છે. અનેક રિપોર્ટમાં કહેવાયું છે કે મહામારીએ ભારત સહિત દુનિયાભરમાં કરોડો એવા લોકો છે જેમને ગરીબી રેખાના દાયરામાં ધકેલી દીધા છે, જે લોકો છેલ્લાં કેટલાંક વર્ષોમાં અત્યંત ગરીબના દાયરામાંથી બહાર નિકળવામાં સફળ થયા હતા. ઉપરાંચ મધ્યમ વર્ગના પણ કરોડો લોકો મહામારીને કારણે ગરીબ થઇ ગયા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.