પાકિસ્તાનમાં પેસેન્જર બસમાં ભીષણ આગ, 16 લોકો જીવતા સળગતા મોત

પાકિસ્તાનમાં ડીઝલ ડ્રમ લઇને જતી એક પીકઅપ વાન સાથે યાત્રી બસની ટકકર લાગવાને કારણે બસમાં બેઠેલા 16 લોકો ઉંઘમાં જ ભડથું થઇ ગયા હતા.

પાકિસ્તાનનના ફૈસલાબાદમાં એક મુસાફર બસમાં ભીષણ આગની ઘટના બની છે જેમાં 16 લોકોના મોત થયા છે અને 15 મુસાફરો ઘાયલ થયા છે, મોતને ભેટનારાઓમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ત્યારે થઇ જ્યારે આ યાત્રી બસે ડીઝલના ડ્રમને લઇ જતા એક પીકઅપ વાનને ટક્કર મારી હતી. સ્થાનિક લોકોએ બસના કાચ તોડીને યાત્રીઓને બહાર કાઢી લીધા હતા જેને કારણે અનેક લોકોના જીવ બચી ગયા હતા.

જાણવા મળેલી વિગત મુજબ કરાચીથી ઇસ્લામાબાદ જઇ રહેલી બસમાં લગભગ 35થી 40 મુસાફરો હતા. પાકિસ્તાની મીડિયા રિપોર્ટમાં જિલ્લા પોલીસ અધિકારી ડોકટર ફહદને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ફૈસલાબાદના ઉત્તરી વજીરિસ્તાનના શબાલ વિસ્તારમાં શનિવારે બસમાં ભીષણ વિસ્ફોટ થયો અને વિકરાળ આગ ફાટી નિકળી હતી. મુસાફરોને લઇને જતી બસની ડીઝલ લઇને જતી પીકઅપ વાન સાથે ટકકર થઇ અને થોડી જ વારમાં બસમાં આગ લાગી હતી અને ક્ષણવારમામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.

ગયા મહિનાની શરૂઆતમાં પણ પંજાબના રાજનપુર જિલ્લાના ફાઝિલપુર વિસ્તારમાં એક બસ પલટી ખાઇ જવાને કારણે એક મહિલા અને 2 બાળકો સહિત 5 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા.

પાકિસ્તાનના ન્યૂઝ પેપરમાં સ્થાનિક ડેપ્યુટી કમિશ્નર રેહાન ગુલનો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે શનિવારે રાત્રે વજીરિસ્તાનના શબાલ વિસ્તારમાં બસમાં આગ લાગી હતી.પોલીસે કહ્યું હતું કે એક ખાનગી બસ હતી જે આગને હવાલે થઇ ગઇ હતી. અત્યાર સુધી અધિકારીઓએ સત્તાવાર મોતનો આંકડો જાહેર કર્યો નથી, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છ કે 16 લોકોના મોત થયા છે અને ઇજાગ્રસ્ત લોકોનો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ પાકિસ્તાનના ફૈસલાબાદમાં શનિવારે મોડી રાત્રે બસમાં આગ ફાટી નિકળી હતી ત્યારે મુસાફરો ઉંઘમાં હતા અને મોટાભાગના તો ઉંઘમાં જ ભડથું થઇ ગયા હતા.બસમાં એટલી ઝડપે આગ ફેલાઇ ગઇ હતી કે ઘણા મુસાફરોને બસમાંથી નિકળવાનો ચાન્સ જ મળ્યો, સ્થાનિક લોકોના કહેવા મુજબ મોતનો આંકડો વધી શકે છે, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.