મેક્સિકોના માઇગ્રેશન સેન્ટરમાં ભીષણ આગ, 39 લોકો ભડથું થઇ ગયા, 100 ઘાયલ

મેક્સિકોથી હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે, હજુ તો સોમવારે 71 જેટલા માઇગ્રન્ટ લોકોની અટકાયત કરીને માઇગ્રેન સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા અને થોડી જ વારમાં વિકરાળ આગ ફાટી નિકળી હતી અને 39 લોકો આગની લપેટમાં આવી ગયા હતા અને 100 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના અમેરિકા અને મેક્સિકન બોર્ડર પાસે બની છે. મૃતદેહોના ઢગલા થઇ ગયા છે.

અમેરિકા બોર્ડર નજીક મેક્સીકન શહેર સિઉદાદ જુઆરેઝમાં એક માઇગ્રેશન સેન્ટરમાં ભીષણ આગ ફાટી નિકળી છે અને આ ભયાનક આગમાં 39 લોકો ભડથું થઇ ગયા છે અને 100થી વધારે લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.. ચિહુઆહુઆ રાજ્યના નિવેદનને ટાંકીને, એક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મેક્સિકો અને અમેરિકાને જોડતા સ્ટેન્ટન-લેડ્રે બ્રિજની નજીક સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર માઇગ્રેશન (INM) ના સેન્ટરમાં આગ ફાટી નીકળી હતી.

વિકરાળ આગની ઘટનાને કારણે ફાયર ફાયટરો, એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. મૃતદેહોને કાઢીને સેન્ટરની  બહાર મુકવામાં આવી રહ્યા છે. ઘવાયેલા લોકોને સ્થાનિક 4 હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

અમેરિકાના પડોશી દેશ મેક્સિકોમાં એક મોટી જીવલેણ ઘટના સામે આવી છે. અહીં, ટેક્સાસના અલ પાસો નજીક સિઉદાદ જુઆરેઝમાં અટકાયત કરાયેલા માઇગ્રન્ટ લોકોને રાખવામાં આવ્યા હતા, પરપ્રાંતીયોને અહીં કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. આગની ઘટનાને કારણે આખો વિસ્તાર ચીચિયારીઓ અને રડવાના અવાજથી ગુંજી ઉઠ્યો હતો. મોતનું તાંડવ એટલું ખતરનાક હતું કે પળવારમાં ચિચિયારીનો ગુંજારવ દબાઇ ગયો હતો. આગની અગન જવાળૈ દુર દુર સુધી દેખાતી હતી.

સોમવારે મોડી રાત્રે લગભગ 71 સ્થળાંતર કરનારાઓને આ કેન્દ્રમાં લાવવામાં આવ્યા પછી તરત જ આ ઘટના બની હતી. આગનું કારણ અથવા પીડિતોની રાષ્ટ્રીયતા હજુ સુધી જાણી શકાઇ નથી. મીડિયા અહેવાલો અનુસાર.અલ પાસો ટેક્સાસથી રિયો ગ્રાન્ડે નદીની પેલે પાર સ્થિત મેક્સીકન શહેર સિઉદાદ જુઆરેઝમાં તાજેતરના અઠવાડિયામાં લોકોનો ધસારો જોવા મળ્યો છે.

મેક્સિકોના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે અમેરિકન સરહદ પર મેક્સીકન ઇમિગ્રેશન સુવિધામાં આગ કે જેમાં 39 સ્થળાંતરીઓ માર્યા ગયા હતા તે સ્થળાંતરકારો દ્વારા શરૂ કરવામાં આવી હતી જેમણે તેઓને દેશનિકાલ કરવામાં આવશે તે જાણ્યા પછી વિરોધમાં ગાદલાને સળગાવી દીધા હતા.

About The Author

Related Posts

Top News

AMCમાં સંકલનનો અભાવ? 16 બ્રિજ પર ભારે વાહનો માટે લગાવેયલો પ્રતિબંધ હટાવાયો; R&B કમિટીના ચેરમેન બોલ્યા- 'કદાચ કમિશનરે લગાવ્યા હશે..'

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરી એકવાર પોતાના જ નિર્ણયોમાં ગંભીર સંકલનના અભાવને કારણે ચર્ચા છે. અમદાવાદના 16 બ્રિજ પર...
Gujarat 
AMCમાં સંકલનનો અભાવ? 16 બ્રિજ પર ભારે વાહનો માટે લગાવેયલો પ્રતિબંધ હટાવાયો; R&B કમિટીના ચેરમેન બોલ્યા- 'કદાચ કમિશનરે લગાવ્યા હશે..'

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.