મુસ્લીમોના પવિત્ર શહેર મક્કા મદીનામાં હરિયાલી, પૈગંબરની ભવિષ્યવાણી સાચી પડી

આખા વિશ્વમાં કરોડો મુસલમાનોના બે સૌથી પવિત્ર શહેરો છે મક્કા અને મદીનાની આસપાસ એકદમ દુર્લભ ઘટના બની છે. સાઉદી અરબના આ બે મહત્વના શહેરોના પહાડી વિસ્તારોમાં રણની અંદર હરિયાળી જોવા મળી રહી છે. આ વિસ્તારનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. કહેવાઇ રહ્યું છે કે, આ વિસ્તારમાં આ હરિયાળી ગયા વર્ષે થયેલા જોરદાર વરસાદના કારણે આવી છે. જ્યારે કેટલાક લોકો આ ચમત્કારિક ઘટનાને હજારો વર્ષેતી ચાલી રહેલી પૈગંબર મોહમ્મદની ભવિષ્યવાણી સાથે પણ જોડી રહ્યા છે.

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મક્કા અને મદીના શહેરોની આસપાસ જોરદાર વરસાદ પડ્યો હતો. આ બન્ને શહેરોની ચારે બાજુ સ્થિત પહાડો અને રણ વિસ્તારમાં હવે ઘાસ ઉગી રહ્યું છે. તેની તસવીરો વાયરલ થઇ રહી છે અને વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે, ઉંટ અને અન્ય જીવ આ ઘાસ ખાઇ રહ્યા છે. સાઉદી અરબ પોતાના રણ વિસ્તાર અને અત્યંત ગરમ વાતાવરણ માટે જાણીતું છે. એવામાં ત્યાં વરસાદ અને હરિયાળી દેખાવી એક અનોખી ઘટના છે. એટલું જ નહીં, પણ આ ઘાસના વિસ્તારોને નાસાના સેટેલાઇટથી પણ જોઇ શકાય છે.

બ્રિટિશ અખબારના એક રિપોર્ટ અનુસાર, સ્થાનિક લોકો કહી રહ્યા છે કે, આ કયામતના દિવસના નજીક આવવાના સંકેત છે, જ્યારે દુનિયા ખતમ થઇ જશે. કહેવાય છે કે, પૈગંબર મોહમ્મદે 1400 વર્ષ પહેલા કહ્યું હતું કે, અંતિમ સમય ત્યાર સુધી ન આવશે કે જ્યાર સુધી અરબની ધરતી ઘાસના મેદાન અને નદીઓથી ભરાઇ જશે. જ્યારે, અમુક લોકો સાઉદી અરબની હરિયાળીને પ્રોત્સાહન આપવાના પગલા સાથે જોડી રહ્યા છે. આ દરમિયાન જળવાયુ પરિવર્તનના નિષ્ણાંતોનું કહેવું છે કે, વધારે વરસાદ અને અચાનક આવેલું પૂર જળવાયુમાં ફેરફારના કારણે થયું છે.

ક્લાઇમેટ કનેક્ટ સંસ્થાના ડાયરેક્ટર લિયો મેયરે કહ્યું કે, તમે આવશ્યક રૂપે એમ ન કહી શકો કે સાઉદી અરબમાં ભારે વરસાદના કારણે જળવાયુ પરિવર્તન થયું છે. ખરાબ વાતાવરણ સંપૂર્ણ રીતે આખા વિશ્વમાં વધી રહ્યું છે. મક્કાને ઇસ્લામ ધર્મમાં સૌથી પવિત્ર શહેર માનવામાં આવે છે. અહીં ગરમીમાં તાપમાન એવરેજ 41 ડિગ્રી સેલ્સિયસ રહે છે. આ દરમિયાન ફક્ત 2થી 3 MM જ વરસાદ પડે છે.

ગયા ડિસેમ્બર મહિનામાં વરસાદ પોતાના રેકોર્ડ લેવલ પર પહોંચી ગયો છે અને આખા શહેરમાં પૂર આવવાથી હાહાકાર મચી ગયો હતો. કાબાના દર્શન માટે મક્કા આવનારા મુસ્લિમોને પૂરના પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. રિપોર્ટમાં કહેવાયું છે કે, વિશ્વનો અંત આવશે કે નહીં એ કહી ન શકાય પણ મક્કા અને મદીના માટે આ હરિયાળી એક સ્વાગત કરવા જેવી ઘટના છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.