'17 વર્ષથી મેં ખાધું નથી,કોલ્ડ ડ્રિંક્સ પીને જ જીવું છું',માણસનો ચોંકાવનારો દાવો

એક વ્યક્તિએ ચોંકાવનારો દાવો કર્યો છે. તે કહે છે કે તેને ભૂખ બિલકુલ નથી લાગતી. છેલ્લા 17 વર્ષથી તે કોલ્ડ ડ્રિંક પીને જ જીવે છે. તેણે 2006થી અનાજ ખાવાનું છોડી દીધું હતું. એટલું જ નહીં, તે વ્યક્તિનું કહેવું છે કે, તે માત્ર 4 કલાકની જ ઊંઘ લે છે. તેના આવા દાવા પર લોકો અલગ-અલગ પ્રકારની વાતો કહી રહ્યા છે. આ મામલો ઈરાનનો છે. 

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ વ્યક્તિનું નામ ઘોલમરેઝા અરદેશીરી છે. ઘોલમરેઝા અરદેશરીએ દાવો કર્યો કે, છેલ્લા 17 વર્ષથી તેમણે મોંમાં અનાજનો એક દાણો પણ નાંખ્યો નથી. તેઓ તેમનો આખો દિવસ માત્ર પેપ્સી અથવા 7UP પીને જ પસાર કરતા હોય છે. કોલ્ડ ડ્રિંક્સ પીધા પછી તે માત્ર જીવિત જ નહીં, પરંતુ સંપૂર્ણ સ્વસ્થ પણ છે. 

ફાઈબર ગ્લાસ રિપેરિંગનું કામ કરતા અરદેશીરી કહે છે કે, તેમનું પેટ માત્ર કોલ્ડ ડ્રિંક્સ જ પચાવી શકે છે. જો તેઓ કંઈક બીજું ખાવાનો પ્રયાસ કરે છે, તો તેઓને ઉલટી થઇ જાય છે. અરદેશરીના કહેવા પ્રમાણે, તેણે છેલ્લે 2006માં ભોજન લીધું હતું. આ પછી તેણે કોલ્ડ ડ્રિંક્સ પીને જ પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું. અરદેશરીના જણાવ્યા અનુસાર, પેપ્સી અને 7Up જેવા કાર્બોરેટેડ પીણાંમાંથી તેમને જે ઊર્જા મળે છે, તે તેમને જીવતો રાખવા માટે અને પેટ ભરવા માટે પૂરતું છે. 

અરદેશિરીએ એમ પણ જણાવ્યું કે, તેમણે તેમની સ્થિતિ માટે ડૉક્ટરોની સલાહ લીધી હતી. પરંતુ ત્યાં કહેવામાં આવ્યું કે, આ બધું તેના દિમાગની ઉપજ છે. તેમને કોઈ સમસ્યા નથી. વાસ્તવમાં, અરદેશરીએ ડૉક્ટરોને કહ્યું હતું કે, જ્યારે પણ તે કોઈ પણ ખોરાક ખાય છે, ત્યારે તેને એવું લાગે છે કે તેના મોંમાં વાળ જતા હોય છે. જ્યારે ઠંડા પીણામાં તેને આવી કોઈ સમસ્યા નથી થતી. 

ડોકટરોએ અરદેશરીને કહ્યું કે, તેના માટે મનોચિકિત્સકને મળવું વધુ સારું રહેશે. હાલમાં, અરદેશરીને તેની ભૂખમાં થયેલા ફેરફારનું કારણ હજુ સુધી શોધી શકાયું નથી. નિષ્ણાંતોના મતે સ્થૂળતા અને શુગર વધારવામાં ઠંડા પીણા મહત્વની ભૂમિકા ભજવે છે. આ કારણે, તેને ખૂબ ઓછી માત્રામાં પીવાની સલાહ આપવામાં આવે છે. 

About The Author

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.