દિવસમાં 10 લીટર પાણી પીતો હતો શખ્સ, મેડિકલ તપાસમાં સામે આવી ડરામણી હકીકત

આમ તો પાણી કોઈ પણ વ્યક્તિ માટે ખૂબ જરૂરી હોય છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, એક દિવસમાં 2-3 લીટર પાણી પીવું જોઈએ, પરંતુ વિચારો કે કોઈ વ્યક્તિ એક દિવસમાં 10 લીટર પાણી પીય શકે છે? એ બિલકુલ પણ સામાન્ય વાત નથી. હવે ઇંગ્લેન્ડના જોનાથન પ્લમર પોતાની આ ભયંકર તરસથી ઝઝૂમી રહ્યો હતો. તેણે ડૉક્ટરને જણાવ્યું કે, તે રોજ 10 લીટર પાણી પીય લે છે, તો ડૉક્ટર હેરાન રહી ગયા. ડૉક્ટરોએ માની લીધું કે હોય ન હોય જોનાથનને પાક્કું ડાયાબિટિસ છે ત્યારે જ તેને આટલી તરસ લાગે છે.

વધારે તરસ તો એ જ સંકેત આપે છે. જો કે, ડૉક્ટર ત્યારે પરેશાન થઈ ગયા, જ્યારે તેનું ટેસ્ટ કરાવ્યું અને તેમાં જાણવા મળ્યું કે 41 વર્ષ જોનાથનને તો ડાયાબિટીસ છે જ નહીં. જોનાથને ડેઇલી મેલને જણાવ્યું કે, તેના થોડા સમય બાદ હું આંખોના ટેસ્ટ માટે એક ડૉક્ટર પાસે ગાયો. ત્યાં ટેસ્ટમાં ડૉકટરોને મારી આંખોમાં એક ગાંઠ દેખાઈ. તેને MRI સ્કેન માટે મોકલવામાં આવી. ખબર પડી કે મારી પિટ્યૂરી ગ્લેન્ડ પાસે એક બ્રેન ટ્યૂમર છે. તે મગજમાં વટાણા આકારનો હિસ્સો હોય છે, જે મારી તરસની ભાવનાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

એ જ આપણને બતાવે છે કે શરીરમાં પાણી ખાતમ થઈ રહ્યું છે અને આપણે પાણી પીવાનું છે, પરંતુ મારા શરીરમાં બ્રેન ટ્યુમરના કારણે તેની સિસ્ટમમાં ગરબડ થઈ ગઈ અને તે રોજ પાંચ ગણું પાણી પીવાનો મેસેજ આપી રહ્યું હતું. આ જ કારણથી તરસ વધારે લાગી રહી હતી. જોનાથને જણાવ્યું કે, જેવા જ ડૉક્ટરોએ ટ્યુમરની વાત બતાવી, હું આઘાતમાં સરી પડ્યો. હું અંદરથી તૂટી ચૂક્યો હતો. ખેર સારવાર શરૂ થઈ અને 30 વખત રેડિયોથેરાપી કરવામાં આવી. લાંબી સારવાર ચાલી અને આજે હું ટ્યુમરથી મુક્ત છું. પહેલા હું ભાગી શકતો નહોતો, પરંતુ વ્યાયામ શરૂ કર્યું તો વજન કંટ્રોલ થયું, પરંતુ તેણે મારી જિંદગી બદલીને રાખી દીધી.

જોનાથને કહ્યું, વધુ તરસ લાગવી અને પેશાબ આવવો સામાન્ય રીતે સુગરના લક્ષણ છે. એક એવી સ્થિતિ જેના કારણે વ્યક્તિનું લોહી સુગરનું સ્તર ખૂબ વધારે થઈ જાય છે. પરંતુ જર્મ સેલ ટ્યૂમર શરીરની જર્મ કોશિકાઓમાં વિકસિત હોય છે, જે સામાન્ય રીતે અંડાશય કે અંડકોષમાં સ્થિત હોય છે. જો કે, રોગાણું કોશિકાઓ ક્યારેક ક્યારેક શરીરના અન્ય ભાગો, જેવા મસ્તિષ્કમાં પણ જોવા મળે છે. તે સામાન્ય રીતે જન્મ અગાઉ જ જ્યારે શરીર ગર્ભમાં વિકસિત હોય છે. રોગાણું કોશિકાઓ ભૂલથી પાછળ છૂટી જવાનું પરિણામ હોય છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.