US રિપોર્ટ દાવો-પાકિસ્તાને મોદી રાજમાં જો ભારત પર આક્રમણ કર્યું તો...

અમેરિકાની એક ઇન્ટેલિજેન્સ એજન્સીના રિપોર્ટ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જો પાકિસ્તાન ભારતને ઉશ્કેરે છે તો સેના દ્વારા જવાબ આપવાની વધુ સંભાવના છે. US ઇન્ટેલિજેન્સ કમ્યુનિટી રિપોર્ટ)ના વાર્ષિક જોખમના આંકલનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનનો ભારત વિરોધી આતંકવાદી ગ્રુપોનું સમૂહનું સમર્થન કરવાનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે. આ રિપોર્ટ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દ્વારા સૈન્ય બળથી જવાબ આપવાની સંભાવના વધુ છે.

આ રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં એ વાતને લઈને ચેતવણી આપવામાં આવી છે કે ભારતની અંદર પાકિસ્તાની મોટો આતંકી હુમલો કરાવી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વધેલા તણાવની પ્રત્યક્ષ પક્ષની ધારણા સંઘર્ષના જોખમને વધારે છે અને કાશ્મીરમાં હિંસક અશાંતિ કે ભારતમાં આતંકવાદી હુમલાનો સંભવિત ફ્લેશપોઈન્ટ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ મોટા ભાગે કાશ્મીર મુદ્દે અને પાકિસ્તાનથી નીકળતી સીમા પાર આતંકવાદને લઈને તણાવપૂર્ણ રહ્યા છે. અમેરિકન ઇન્ટેલિજેન્સ કમ્યુનિટીના રિપોર્ટમાં જણાવ્યું છે કે, 2 પરમાણુ સશસ્ત્ર દેશો વચ્ચે વધતા જોખમોના કારણે ભારત અને પાકિસ્તાન સંકટ વિશેષ ચિંતાનો વિષય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘નવી દિલ્હી અને ઇસ્લામાબાદ સંભવતઃ વર્ષ 2021ની શરૂઆતમાં નિયંત્રણ રેખા પર બંને પક્ષોના ફરીથી સંઘર્ષ વિરામ બાદ પોતાના સંબંધો મજબૂત કરવા માટે ઇચ્છુક છે.

અમેરિકન ઇન્ટેલિજેન્સ કમ્યુનિટીના રિપોર્ટમાં ભારત અને ચીનના સંબંધો પર પણ વાત થઈ છે. આ રિપોર્ટ મુજબ, ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય સીમા વાર્તા થઈ અને ઘણા સીમા બિંદુઓ પર તણાવને સોલ્વ કરવામાં આવ્યા, પરંતુ વર્ષ 2020માં થયેલી હિંસક ઘર્ષણના કારણે બંને દેશો વચ્ચે સંબંધ તણાવપૂર્ણ રહેશે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, બંને દેશો દ્વારા વિવાદિત સ્થળ પર સેનાઓની તૈનાતી બોર્ડર વિવાદને લઈને 2 પરમાણુ શક્તિઓમાં સશસ્ત્ર જોખમને વધારે છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, અગાઉના ઘર્ષણોથી ખબર પડે છે કે LAC પર સતત નાના ઘર્ષણ ઝડપથી મોટું રૂપ લઈ શકે છે. ભારતના પાકિસ્તાન અને ચીન બંને જ દેશો સાથે સંબંધ સહજ નથી. પાકિસ્તાન સાથે વર્ષ 2008માં મુંબઈ હુમલા બાદ સંબંધો ખરાબ ચાલી રહ્યા અછે. જ્યારે ગલવાનમાં વર્ષ 2020માં થયેલા ભારત-ચીનના સૈનિકો વચ્ચેના ઘર્ષણ બાદ સંબંધ બગડ્યા છે. 

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.