ભૂખા રહેશો તો જીજસ સાથે મુલાકાત થશે, એક પછી એક કબરમાંથી શવ નીકળી રહ્યા છે

કેન્યાના શાકાહોલા જંગલમાં કબરોમાંથી મળનારા મૃતદેહોની સંખ્યા 201 પહોંચી ગઇ છે. જોકે, હજુ પણ ઘણા બધા લોકોના ગુમ થયેલા હોવાની આશંકા છે. શનિવારના રોજ વધુ 22 મૃતદેહ કબરમાંથી કાઢવામાં આવ્યા હતા. આ કેસમાં કેન્યાની કોર્ટે ગુડ ન્યુઝ ઇન્ટરનેશનલ ચર્ચના પાદરી પોલ મેકેન્ઝીને જામીન આપવા માટે ઇનકાર કરી દીધો છે.

પાદરી પોલ મેકેન્ઝી પર આરોપ છે કે, તેણે અનુયાયિઓને પોતાના બાળકો અને પોતાને મારી નાખવાનો આદેશ આપ્યો હતો, જેથી તે દુનિયાના અંત પહેલા સ્વર્ગમાં જઇ શકે. આ કેસમાં એક ક્ષેત્રીય આયુક્ત રોદાહ ઓન્યાંચાએ કહ્યું કે, અમારી ફોરેન્સિક ટીમ શનિવારે 22 મૃતદેહોને કાઢવામાં સફળ રહી છે. સાથે જ એક વધુ સંદિગ્ધની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તરફથી આ વિશે જાણકારી આપતા પહેલા કહેવાયું હતું કે, તેને તેના વિશે ગુપ્ત સૂચના મળી હતી. તેના આધાર પર માલિંદીમાં પાદરીની સંપત્તિ પર છાપેમારી કરવામાં આવી હતી. તપાસમાં પોલીસને એક પછી એક મૃતદેહો મળતા જ ગયા. ત્યાર બાદ પોલીસની તરફથી મૃતદેહોમાંથી DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેથી સાબિત થઇ શકે કે આ લોકોના મોત ભૂખા રહેવાના કારણે થયા છે.

AFPએ કોર્ટના દસ્તાવેજોનો હવાલો આપતા કહ્યું હતું કે, પહેલા મળેલા અમુક મૃતદેહોમાં આંતરિક અંગો ગાયબ હતા. એજન્સીએ કહ્યું કે, તપાસ દરમિયાન 112 લોકોના અવશેષોની તપાસ કરવામાં આવી છે. કોર્ટમાં પાદરીએ કહ્યું કે, તેણે લોકોને આત્મહત્યા કરવા માટે નથી ઉશ્કેર્યા. જોકે, તેણે 2019માં ચર્ચ બંધ કરવાનો દાવો પણ કર્યો હતો. જોકે, કોર્ટ તરફથી પાદરીને જામીન આપવા માટે ઇનકાર કરવામાં આવ્યો છે.

કેન્યાની પોલીસે એક કબરમાંથી એક જ પરિવારના 5 લોકોને બહાર કાઢ્યા છે. જે એક સાથે જીઝસને મળવા માગતા હતા. પોલીસને હજુ સુધી 65 કબર મળી છે. આ કબરોમાંથી મૃતદેહોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. પોલીસને લાગી રહ્યું છે કે, મરનારા લોકોનો આંકડો હજુ વધશે. પોલીસ એ આશાથી કબરો ખોદી રહી છે કે કોઇ વ્યક્તિ હજુ પણ જીવતા હોય. જોકે, હજુ સુધી કોઇ પણ વ્યક્તિ જીવતું મળ્યું નથી. આ કબરોમાંથી કેટલાક બાળકોના મૃતદેહો પણ મળી આવ્યા છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.