ભારતે આ મુદ્દે પાકિસ્તાનનું કર્યું યુનાઇટેડ નેશન્સમાં સમર્થન

સ્વીડનમાં પવિત્ર કુરાન સળગાવવાની ઘટના વેગ પકડી ચૂકી છે. આખા વિશ્વમાં આ ઘટના પર ચર્ચા કરવામાં આવી રહી છે. હાલમાં જ પાકિસ્તાન પવિત્ર કુરાન સળગાવવાની ઘટના વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ધાર્મિક ધૃણા સાથે જોડાયેલો પ્રસ્તાવ લાવ્યું હતું. ડ્રાફ્ટ પ્રસ્તાવને બુધવારે મંજૂરી આપી દેવામાં આવી. ખાસ વાત એ છે કે ભારતે પણ પાકિસ્તાનના આ પ્રસ્તાવાનું UNમાં સમર્થન કર્યું છે. સંયુક્ત માનવાધિકાર પરિષદ (UNHRC) તરફથી બતાવવામાં આવ્યું કે, 57 ઈસ્લામિક દેશોના સંગઠન OIC તરફથી પાકિસ્તાને ડ્રાફ્ટ રજૂ કર્યો હતો, જેમાં કેટલાક યુરોપીય અને અન્ય દેશોમાં પવિત્ર કુરાન સાથે જોડાયેલી કેટલીક ખોટી ઘટનાઓની નિંદા કરવામાં આવી હતી.

UNHRCમાં રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવ પર કુલ 47 સભ્ય દેશોમાંથી 12 દેશોએ વિરોધ કર્યો. આ દેશોમાં અમેરિકા, બ્રિટન, બેલ્જિયમ, જર્મની રોમાનિયા, લિથુઆનિયા, કોસ્ટા રિકા અને ફિનલેન્ડ સામેલ છે, જ્યારે ભારત અને ચીન સહિત કુલ 28 દેશોએ પાકિસ્તાનના પ્રસ્તાવનું સમર્થન કર્યું. 7 દેશ એવા પણ હતા, જેમણે કોઈનું પણ સમર્થન ન કર્યું. આ દેશોમાં નેપાળ પણ સામેલ છે. UNHRCમાં પ્રસ્તાવ પર બહેસ દરમિયાન મુસ્લિમ દેશોનું કહેવું હતું કે, કુરાન સળગાવવા જેવી ઘટનાઓ નફરતને વધારવાનું કામ કરે છે.

ફ્રીડમ ઓફ સ્પીચના નામ પર એવી ઘટનાઓને પ્રોત્સાહન નહીં આપી શકાય. તો પશ્ચિમી દેશોએ આ પ્રકારની ઘટનાઓની નિંદા જરૂર કરી, પરંતુ તર્ક આપતા કહ્યું કે, ફ્રીડમ ઓફ સ્પીચનો અર્થ ક્યારેક ક્યારેક અસહનીય વિચારોને સહવાનું પણ હોય છે. પાકિસ્તાનના આ પ્રસ્તાવ માટે ઘણા દેશોએ અમેરિકા અને બ્રિટન જેવા પશ્ચિમી દેશો વિરુદ્ધ જઈને સમર્થન આપ્યું. UNHRCમાં પાકિસ્તાનને મળેલા 28 દેશોના ભારે સમર્થનને પાકિસ્તાની અખબાર ડૉને પશ્ચિમી દેશીની હાર બનાવી. સાથે જ અખબારે જણાવ્યું કે, UNHRCમાં OICનો દબદબો છે.

બીજી તરફ UNHRCમાં અમેરિકાના સ્થાયી પ્રતિનિધિ મિશેલ ટેલરે કહ્યું કે, અમેરિકાએ ચિંતાઓને ગંભીરતા સાથે લીધી નથી. તેમનું માનવું છે કે એક ખુલ્લી ચર્ચા અને થોડો સમય આપ્યા બાદ આપણે બધા આ પ્રસ્તાવ પર એક સાથે આગળ વધવાનો રસ્તો શોધી શકીએ છીએ. મતદાન બાદ પાકિસ્તાનના રાજદૂત ખલીલ હાશમીએ ભાર આપીને કહ્યું કે આ પ્રસ્તાવ સ્વતંત્ર ભાષણના અધિકારને ઓછો કરવાનો પ્રયાસ કરતો નથી, પરંતુ તેના અને વિશેષ કર્તવ્યો અને જવાબદારીઓ વચ્ચે એક વિવેકપૂર્ણ સંતુલન બનાવવાનો પ્રયાસ કરે છે.

કુરાનના અપમાનની નિંદા કરવાની તેમની અનિચ્છાથી ઉત્પન્ન થયું છે. તેમની પાસે આ કૃત્યની નિંદા કરવા માટે રાજનીતિક, કાયદાકીય અને નૈતિક સાહસની કમી છે અને પરિષદ તેમની પાસે ઓછામાં ઓછી આશા રાખી શકે છે. જો કે, એક દિવસ અગાઉ પરિષદમાં અમેરિકા રાજદૂત મિશેલ ટેલરે કહ્યું હતું કે, સંયુક્ત રાજ્ય અમેરિકા આ કૃત્યોની સખત નિંદા કરે છે જે આજની ચર્ચાનું કારણ બન્યા. જેમાં 28 જૂનના રોજ થયેલું કુરાનનું અપમાન પણ સામેલ છે.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.