કેનેડાથી USમા ઘૂસતા બોટ પલટી, બોર્ડર નજીક ભારતીયો સહિત 8 પ્રવાસીઓના શબ મળ્યા

કેનેડાથી ગેરકાયદેસર રૂપે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતી વખત સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જવાથી 8 લોકોના મોત થઈ ગયા, જેમાંથી એક ભારતીય પરિવારનો સભ્ય પણ સામેલ છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી. કેનેડાની ન્યૂઝ એજન્સીઓ CBC અને CTV મુજબ પોલીસે ગુરુવારે સવારે કેનેડાના તટરક્ષક બળ સાથે હવાઈ શોધ દરમિયાન ક્યૂબેકના એક વિસ્તારમાં પલટેલી નાવ નજીક શબ મળી આવ્યા હતા. અકવેસાને મોહોક પોલીસ સેવાના ઉપપ્રમુખ લો એન ઑ’બ્રાયને શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, માનવામાં આવી રહ્યું છે કે, બધા કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રૂપે ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પોલીસે શુક્રવારે કહ્યું કે, ગેરકાયદેસર રૂપે સંયુક્ત રાજ્ય અમેરિકામાં પ્રવેશ કરવાના પ્રયાસ બાદ કેનેડા-અમેરિકા સીમા પાસે એક કીચડમાં 2 બાળકો સહિત 8 લોકોના શબ મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, તેમના શબ અકવેસ્ને મોહોક સમુદાયના એક વ્યક્તિની ડૂબેલી હોડી પાસે મળી આવ્યા. સ્થાનિક પોલીસ પ્રમુખ શોન ડુલુડુએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અત્યાર સુધી કુલ 8 શબ પાણીમાંથી મળી આવ્યા છે. કેનેડાના અધિકારિઓનું માનવું છે કે બધા કેનેડાથી ગેરકાયદેસર રૂપે અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

મોહોક આદિવાસી ક્ષેત્ર ક્યૂબેક અને ઑન્ટારિયોના કેનેડાઈ પ્રાંત અને અમેરિકન રાજ્ય ન્યૂયોર્કમાં ફેલાયેલું છે. વરસાદ, ઓલાવૃષ્ટિ અને ઝડપી હવા સહિત ખરાબ હવામાનના કારણે પલટેલી બોટ ખૂબ નાની કહેવામાં આવી. પહેલું શબ વિસ્તારની હવાઈ તપાસ દરમિયાન મળ્યું. મોતનું કારણ જાણવા માટે અધિકારી પોસ્ટમોર્ટમ અને ટોક્સિકોલેજી ટેસ્ટના પરિણામોનું રાહ જોઈ રહ્યા છે.

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, ‘અમારી સંવેદનાઓ મૃતકોના પરિવારો સાથે છે, આ એક હૃદય કંપાવી મુકનારી સ્થિતિ છે. બુધવારની રાત્રે આ વિસ્તારમાં ભારે પવન અને વરસાદ સાથે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ અધિકારી ઓ'બ્રાયને કહ્યું હતું પાણી પર ઊતરવાનો એ સમય સારો ન હતો. પોલીસને એ રાત્રે લોકો તરફથી બે, 911 કોલ મળ્યા હતા, જેમણે પાણીમાં ડૂબતા લોકોની બૂમો સાંભળી હતી.

અન્ય એક પોલીસ અધિકારીએ કહ્યું કે, આ દુર્ઘટનાનું કારણ કંઈ પણ હોઈ શકે છે, તે એક ખામીયુક્ત બોટ હોઈ શકે છે, તે માનવ ભૂલ પણ હોઈ શકે છે અને તે તપાસ બાદ નક્કી થશે. નદીમાં પલટી ગયેલી બોટને નુકસાન થયું હોવાનું જોવા મળ્યું છે. ઓક્સના પરિવારે તેઓ ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા પછી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બોટ એટલી નાની હતી કે 7-8 લોકોને પણ સુરક્ષિત રીતે પાણીમાં લઈ જઈ શકે તેમ નહોતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા સમયથી અહીંથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાની ઘટનાઓમાં વધારો થયો છે. અગાઉનાં વર્ષોની તુલનામાં 2022માં કેનેડાથી અમેરિકા જવાનો પ્રયાસ કરતા લોકોની સંખ્યામાં 8 ગણાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જેમાં 2022માં 6400થી વધુ લોકો ક્યૂબેક અથવા ઓન્ટારિયો થઈને ન્યૂયોર્ક આવ્યા હતા. એક મહિના પહેલાં જ કેનેડાથી બોટ દ્વારા ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશવા બદલ અમેરિકન બોર્ડર ઓથોરિટીએ 5 વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેમાં બે ભારતીય નાગરિકોનો સામેલ છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.