રમઝાનમાં કુરાન સળગાવવાથી ઇસ્લામિક દેશો નારાજ, સાઉદી અરેબિયાએ આ વાત કહી

સાઉદી અરેબિયાના કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝે ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં તુર્કી દૂતાવાસની સામે રમઝાન દરમિયાન કુરાનની નકલ સળગાવવાની આકરી ટીકા કરી છે. દૂર-જમણેરી રાસ્મસ પાલુદાન દ્વારા કુરાન બાળવાની નિંદા કરતા, તેમણે સંવાદની જરૂરિયાત પર ભાર મૂક્યો, સહિષ્ણુતા અને આદરના મૂલ્યોને મજબૂત કરવા, નફરત અને ઉગ્રવાદ ફેલાવતી દરેક વસ્તુને નકારી કાઢી.

સાઉદી અરેબિયાની પ્રેસ એજન્સી, સાઉદી પ્રેસ એજન્સીએ માહિતી આપી છે કે, કિંગ સલમાને મંગળવારે જેદ્દાહના અલ-સલામ પેલેસમાં કેબિનેટ સત્ર દરમિયાન ઇસ્લામના પવિત્ર પુસ્તક કુરાનને બાળવા અંગે ચર્ચા કરી હતી.

ઈસ્લામ વિરોધી નેતા રાસમસ પાલુદને શુક્રવારે કોપનહેગનમાં તુર્કીના દૂતાવાસની સામે કુરાનની નકલ સળગાવી હતી. તેણે એક મસ્જિદની સામે પણ કુરાનની નકલ સળગાવી. પાલુદાન કહે છે કે, જ્યાં સુધી સ્વીડન નાટોમાં સામેલ ન થાય ત્યાં સુધી તે દર શુક્રવારે કુરાનની નકલ બાળવાનું ચાલુ રાખશે. હકીકતમાં, નાટોમાં સ્વીડનના સમાવેશ થવાના માર્ગમાં તુર્કી આવી રહ્યું છે, જેના માટે પાલુદાન તુર્કી દૂતાવાસની સામે કુરાનની નકલો સળગાવી રહ્યો છે.

પાલુદને જાન્યુઆરીમાં પણ કુરાનનું અપમાન કર્યું હતું. સ્વીડનમાં કુરાનની એક નકલ પર ઉભા રહીને તેણે કુરાનની બીજી નકલ ફાડી નાખી. આની નિંદા કરતા, સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે સંવાદ, સહિષ્ણુતા અને સન્માનના મૂલ્યોને મજબૂત કરવાની અને ઉગ્રવાદને પ્રોત્સાહન આપતી દરેક વસ્તુને નકારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તમામ આરબ મુસ્લિમ દેશોએ કુરાન સળગાવવાની ઘટનાઓની સતત નિંદા કરી છે. ઈસ્લામિક સહકાર સંગઠને 'અભિવ્યક્તિની સ્વતંત્રતાના બહાના હેઠળ ઉગ્રવાદી જમણેરી જૂથો દ્વારા વારંવારની ઉશ્કેરણી'ની નિંદા કરી હતી. સંગઠને કહ્યું કે, આ ઘટનાઓ મુસ્લિમો અને ઈસ્લામ વિરુદ્ધ નફરતને પ્રોત્સાહન આપે છે.

જ્યારે, મુસ્લિમ વર્લ્ડ લીગ (MWL)એ કુરાન સળગાવવાની નિંદા કરી અને કહ્યું કે, તે મુસ્લિમોને ઉશ્કેરવાનું કૃત્ય છે.

MWLના મહાસચિવ ડો. મોહમ્મદ અલ-ઇસાએ જણાવ્યું હતું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાના બહાના હેઠળ આવા કૃત્યો કરવા માટે ઉગ્રવાદીઓનો આગ્રહ વાસ્તવમાં સ્વતંત્રતા અને તેમના માનવીય મૂલ્યોને નુકસાન પહોંચાડે છે. તેમણે ચેતવણી આપી હતી કે આવા કૃત્યો માત્ર નફરત ફેલાવે છે, ધાર્મિક લાગણીઓને ભડકાવે છે અને ઉગ્રવાદી એજન્ડા પૂરા કરે છે. તેમણે કહ્યું કે, આના કારણે ધર્મો વચ્ચે સંવાદ અને સૌહાર્દને પ્રોત્સાહન આપવાના પ્રયાસો પણ નિષ્ફળ જાય છે.

સંયુક્ત આરબ અમીરાતે કુરાન સળગાવવાની સખત નિંદા કરતા કહ્યું કે, તે સમાજને અસ્થિર કરે છે અને આવા કૃત્યો માનવતાવાદી અને નૈતિક સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.

ઓમાને કુરાન સળગાવવાની નિંદા કરી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ઉગ્રવાદી વિચારોને પ્રોત્સાહિત કરતા અને ધર્મોને નુકસાન પહોંચાડતા તમામ કૃત્યોને ગુનાહિત શ્રેણીમાં લાવવાની વિનંતી કરી.

જ્યારે, કતરે કહ્યું કે, રમઝાન મહિનામાં આ પ્રકારનું કામ કરવું એ એક અબજથી વધુ મુસ્લિમોની ભાવનાઓ માટે ખતરનાક ઉશ્કેરણી સમાન છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.