ઈઝરાયલે આ દેશમાં વરસાવ્યા બોમ્બ, સૈન્ય કમાન્ડરનું મોત, 5 સૈનિક ઇજાગ્રસ્ત

મુસ્લિમ દેશોથી ઘેરાયેલા યહૂદી દેશ ઇઝરાયલે સીરિયાના હોમ પ્રાંતમાં જોરદાર બોમ્બ વરસાવ્યા છે. સીરિયામાં ઘણી જગ્યાઓ પર કરવામાં આવેલા આ હુમલામાં 5 સૈનિકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે. તો ઇરાનના સૈન્ય કમાન્ડરનું મોત થઈ ગયું છે. ઈરાની સૈન્ય કમાન્ડર મિલાદ હૈદરી હુમલામાં માર્યા ગયા, તેને (હુમલાને) ઇઝરાયલ તરફથી ‘ગુનાહિત હુમલો’ બતાવ્યો. સીરિયા અને ઈરાનની સરકારી મીડિયા રિપોર્ટ્સ મુજબ, શુક્રવારે ઇઝરેલી હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ઇરાનના એક સલાહકારનું મોત થઈ ગયું છે.

ઈરાન, સીરિયામાં માર્ચ 2011માં સંઘર્ષ શરૂ થયા બાદ જ રાષ્ટ્રપતિ બશર અસદની સરકારનું સમર્થન કરી રહ્યો છે અને યુદ્ધની શરૂઆતી દિવસોથી પોતાના સલાહકાર મોકલતો રહ્યો છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે જણાવ્યું કે, આ વર્ષની શરૂઆતમાં ઇઝરાયલે નવમી વખત અલગ-અલગ સ્થળોને નિશાનો બનાવ્યા છે. સરકારી ન્યૂઝ એજન્સી ‘સના’એ જાણકારોના સંદર્ભે કહ્યું છે કે, હોમ્સ શહેર અને આસપાસના વિસ્તારમાં ઘણી જગ્યાઓને નિશાનો બનાવવામાં આવી છે.

એજન્સીએ દાવો કર્યો કે, સીરિયાની હવાઈ રક્ષા પ્રણાલીએ કેટલીક ઇઝરાયલી મિસાઈલોને હવામાં જ ઠાર કરી દીધી છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે જણાવ્યું કે, મિસાઈલે સીરિયન સૈન્ય છાવણીઓ પર ઈરાન સાથે સંબંધિત મિલિશિયાના પ્રતિષ્ઠાનો પર હુમલા કર્યા. તેમાં એક શોધ કેન્દ્ર પણ સામેલ છે. ઇઝરાયલ તરફથી હુમલાઓને લઈને જાહેર કરવામાં આવ્યું નથી. ઇઝરાયલ હાલના વર્ષોમાં સીરિયાની સરકાર નિયંત્રિત હિસ્સાઓમાં સેકડો હુમલા કરી ચૂક્યું છે. આ અગાઉ શુક્રવારે ઇઝરાયલે સીરિયાની રાજધાની દમિશ્કના ઉપનગર પર હવાઈ હુમલા કર્યા હતા, જેમાં એક ઈરાની સલાહકારનું મોત થઈ ગયું હતું.

આ જાણકારી સીરિયા અને ઈરાની મીડિયાએ આપી છે. ઈરાનની સરકારી ટી.વી. ચેનલે શુક્રવારે એવા સમાચાર આપ્યા હતા કે ઈરાની સૈન્ય કમાન્ડર મિલાદ હૈદરી હુમલામાં માર્યા ગયા છે અને તેને ઇઝરાયલ તરફથી ગુનાહિત હુમલો બનાવ્યો હતો. ઈરાનની સરકારી ટી.વી. ચેનલે રવિવારે સમાચાર આપ્યા કે શુક્રવારના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા રિવોલ્યૂશનરી ગાર્ડના સલાહકારનું મોત થઈ ગયું. સરકારી ટી.વી. ચેનલે સલાહકારની ઓળખ મેગદાદ મહગની તરીકે કરી છે અને કહ્યું કે, તેમનો અંતિમ સંસ્કાર રવિવારે દમિશ્કમાં થશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.