લદાખ બોર્ડર પર તૈનાત ચીની સૈનિકોને જિનપિંગે પુછ્યું, તાજા શાકભાજી મળી રહ્યા છે?

PC: india.postsen.com

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પૂર્વ લદ્દાખમાં ભારત-ચીન સરહદ પર તૈનાત ચીની સૈનિકો સાથે વીડિયો લિંક દ્વારા વાતચીત કરી છે. શી જિનપિંગે પીપલ્સ લિબરેશન આર્મીના હેડક્વાર્ટરથી આ સૈનિકોને સંબોધિત કર્યા અને સૈનિકોની યુદ્ધ તૈયારીઓની સમીક્ષા કરી. ચીનના સત્તાવાર મીડિયાએ આ અંગે માહિતી આપી છે. પૂર્વ લદ્દાખમાં ભારત-ચીન સરહદ સૌથી મુશ્કેલ જગ્યાઓમાંથી એક છે. અહીં શિયાળામાં તાપમાન માઈનસ 20-30 ડિગ્રી સુધી નીચે જાય છે. ભારત અને ચીનના હજારો સૈનિકો અહીં સરહદની સુરક્ષા માટે તૈનાત છે. અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે તાજેતરમાં થયેલા ઘર્ષણ બાદ આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે જ્યારે જિનપિંગે લદ્દાખ સરહદ પર તૈનાત ચીની સૈનિકો સાથે વાતચીત કરી છે.

ચીનના સરકારી મીડિયા દ્વારા જારી કરવામાં આવેલા એક વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે જિનપિંગે આ સ્થાન પર તૈનાત સૈનિકોને કહ્યું કે હાલના સમયમાં આ વિસ્તાર સતત બદલાઈ રહ્યો છે'અને આ બદલાવની સેના પર કેવી અસર પડી છે. શી જિનપિંગ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ અને પીએલએના કમાન્ડર-ઈન-ચીફ પણ છે.

ચીનમાં નવા વર્ષની શરૂઆત થવાની છે. આ પ્રસંગે જિનપિંગે સૈનિકો સાથે સંવાદ શરૂ કર્યો છે. સૈનિકો સાથેની વાતચીતમાં જિનપિંગે એ વાતની પણ માહિતી મેળવી કે યુદ્ધની સ્થિતિમાં ચીની સૈનિકો કેટલાં તૈયાર છે. જિનપિંગે પીએલએ, પીપલ્સ આર્મ્ડ પોલીસ ફોર્સ, સેનામાં તૈનાત લોકો અને રિઝર્વ્ડ પોલીસ સાથે મુલાકાત કરી રહ્યા છે અને તેમને નવા વર્ષની શુભેચ્છા આપી રહ્યા છે. આ દરમિયાન ખુંબરેજમાં એક બોર્ડર પોઇન્ટ પર તૈનાત ચીની સૈનિકો સાથે જિનપિંગે વીડિયો કોન્ફરન્સીંગથી વાત કરી હતી.

જિનપિંગે આ બોર્ડરના સૈનિકોને પુછ્યુ હતું કે શું તેમને આવી દુર્ગમ જગ્યા પર તાજા શાકભાજી ખાવા માટે મળી રહ્યા છે? સરકારી મીડિયાએ કહ્યું છે કે જિનપિંગે સૈનિકોને તેમના સરહદ પેટ્રોલિંગ અને મેનેજમેન્ટ વિશે પણ પુછ્યું હતું.  આ સાથે જિનપિંગે પોતાના સૈનિકોને પ્રયાસ કરતા રહેવા અને નવું યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા. જિનપિંગે સૈન્યને યુદ્ધ માટે તૈયાર રહેવા અને રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક સ્થિરતાનું રક્ષણ કરવા હાકલ કરી છે, જેથી તમામ ચીની લોકો ખુશ અને સુરક્ષિત વસંત ઉત્સવની ઉજવણી કરી શકે.

 પૂર્વી લદાખ એ વિસ્તાર છે જ્યાં 5 મે 2020ના દિવસે પૈંગો પે ગગોં ઝીલ વિસ્તારમાં હિંસક અથડામણ પછી ભારત અને ચીન વચ્ચે મડાગાંઠ શરૂ થઇ હતી. એ પછી 15 જૂન 2020માં ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોએ દગો આપીને ભારતીય સૈનિકો પર હુમલો કરી દીધો હતો. ચીન સાથેની અથડામણમાં ભારતના 20 જવાનોએ શહીદી વહોરી હતી. એ પછી ભારતીય સૈન્યએ પણ ઇંટનો જવાબ પત્થરથી આપ્યો હતો અને ચીનના 30 જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp