ખબર પડી ગઈ વાળ સફેદ કેમ થાય છે, વૈજ્ઞાનિકો ગ્રે વાળને ફરી કાળા કરવાનો ઉપાય શોધશે

વિજ્ઞાનીઓનું માનવું છે કે તેઓએ શોધી કાઢ્યું છે કે આખરે શા માટે આપણા વાળ સફેદ થાય છે. તેમણે એક સંશોધન કર્યું છે,  જે હવે સફેદ વાળને ફરીથી કાળા કરવા અથવા વાળ સફેદ થવાની પ્રક્રિયાને રોકવા માટે કોષને બદલવાની સારવાર શોધવામાં મદદ કરી શકે છે.

સંશોધકોએ ઉંદરની ચામડીમાં હાજર કોષો પર સંશોધન કર્યું. આ એ સેલ્સ છે જે મનુષ્યોમાં પણ જોવા મળે છે. આને મેલાનોસાઇટ સ્ટેમ સેલ અથવા McSCs કહેવામાં આવે છે.

ગર્ભના સ્ટેમ કોશિકાઓથી વિપરીત, જે તમામ પ્રકારના વિવિધ અવયવોમાં વિકાસ પામે છે, પુખ્ત સ્ટેમ કોશિકાઓ અલગ રીતે આગળ વધે છે. આપણા વાળના ફોલિકલ્સમાં મેલાનોસાઇટ સ્ટેમ સેલ્સ આપણા વાળમાં રંગદ્રવ્ય ઉત્પન્ન કરવા અને જાળવવા માટે જવાબદાર હોય છે.

નવા સંશોધનો દર્શાવે છે કે, જેમ જેમ વાળની ઉંમર વધે છે તેમ તેમ સ્ટેમ કોશિકાઓ ફસાઈ જાય છે અને વાળનો રંગને બનાવી રાખવાની અને જાળવવાની તેમની ક્ષમતા ગુમાવી દે છે. કેટલીક સ્ટેમ કોશિકાઓ, જે ઘણા વિવિધ પ્રકારના કોષોમાં વિકસી શકે છે, તેમાં ફોલિકલ્સમાં વૃદ્ધિના ભાગો વચ્ચે ખસેડવાની વિશેષ ક્ષમતા હોય છે. જેમ જેમ આપણી ઉંમર થાય છે, તેમ તેમ આ કોષો તેમની હલનચલન કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે, જેના કારણે આપણા વાળ સફેદ થઈ જાય છે. સરળ ભાષામાં સમજીએ તો, જ્યારે મેલાનિન બનાવતા સ્ટેમ સેલ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરે છે, ત્યારે આપણા વાળ સફેદ થવા લાગે છે.

ન્યુ યોર્ક યુનિવર્સિટી ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકો કહે છે કે, જો તેમના તારણો મનુષ્યો માટે કામ કરે છે, તો તેઓ ભૂખરા વાળને ફરીથી કાળા કરવાનું અને તેને સફેદ થતા અટકાવી શકે છે.

સંશોધનના મુખ્ય લેખક, ક્વિ સન કહે છે કે, નવી શોધાયેલી પદ્ધતિઓ એવી શક્યતા ઊભી કરે છે કે, મેલાનોસાઇટ સ્ટેમ સેલ્સની સમાન સ્થિતિ માનવોમાં પણ હાજર હોઈ શકે છે. જો એમ હોય તો, આ ફસાઈ ગયેલા કોષોને વાળના ફોલિકલ કમ્પાર્ટમેન્ટમાં ફેરવી શકે છે અને માનવ વાળના કાળા કરવાનું અથવા સફેદ થતાં રોકવાનો ઉપાય મળી શકે છે.

About The Author

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.