PM નેતન્યાહૂ વિરુદ્ધ લાખો લોકો રસ્તા પર, ઇઝરાયલના ઇતિહાસનું સૌથી મોટું પ્રદર્શન

ઇઝરાયલમાં શનિવારે રાત્રે એક લાખથી વધારે લોકો તેલ અવીવમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જબરદસ્ત વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઇઝરાયલના ઇતિહાસમાં આ સૌથી મોટું પ્રદર્શન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેલ અવીવ ઉપરાંત યરુશલમ, બેર્શેબા, હર્જલિયા સહિત દેશભરના અનેક શહેરોમાં હજોરો લોકોએ રસ્તા પર ઉતરીને રેલી કાઢી હતી.

ઈઝરાયેલમાં એક લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેનું કારણ એવું છે કે આ લોકો નેતન્યાહુની સરકારની ન્યાયિક પ્રણાલી બદલવાની યોજના વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકોનો આરોપ છે કે ન્યાયતંત્રમાં ફેરફાર કરવાની યોજનાથી દેશના મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો જોખમમાં મુકાયા છે. આરોપ છે કે સરકારના આ નિર્ણયથી કોર્ટની સત્તામાં ઘટાડો થશે.

ગયા અઠવાડિયે પણ તેલ અવીવમાં જોરદાર વિરોધ પ્રદર્શન થયા હતા. ઇઝરાયલ મીડિયાના અહેવાલ મુજબ, એ પ્રદર્શનમાં 80 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. પ્રદર્શનોને કારણે પ્રદર્શનકારીઓએ મધ્ય તેલ અવીવમાં ઘણા રસ્તાઓ બ્લોક કરી દીધા હતા તેમને હટાવવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પ્રદર્શન કરનારા લોકોનું કહેવું છે કે કાયદામંત્રી યારિવ લેવિન દ્રારા લાવવામાં આવેલી દરખાસ્તને કારણે હાઇકોર્ટની ન્યાયિક સમીક્ષા શક્તિઓ પર અસર પડશે અને ન્યાયાધીશની નિમણુંક પર રાજકીય નિયંત્રણ રહેશે, જેને કારણે વ્યાય પાલિકાને કમજોર બનાવી શકાય છે.

ઇઝરાયેલના લેખક ડેવિડ ગ્રોસમેને ભીડને સંબોધતા કહ્યું કે,ઇઝરાયલની સ્થાપના એટલા માટે કરવામાં આવી હતી કે વિશ્વમાં એક એવી જગ્યા હોય જ્યાં યહૂદી લોકો ઘર જેવી અનુભૂતિ કરી શકે. પરંતુ જો આટલા બધા ઇઝરાયલીઓ પોતાની ભૂમિમાં અજાણ્યા જેવો અનુભવે કરે છે, તો તે સ્પષ્ટ છે કે કંઈક ખોટું થઇ રહ્યું છે. તેમણે કહ્યુ કે હવે અંધકારનો સમય છે. હવે ઉભા થઇને ચિલ્લાવાનો સમય છે કે આ જમીન પર અમારી આત્મા વસે છે.લેખકે કહ્યુ કે આજે જે કઇ પણ થાય છે, એ નિર્ધારિત કરશે કે આપણે કોણ છીએ અને આપણા બાળકો શું બનશે. કારણકે જો ઇઝરાયલ હવે બદલાશે તો જે આશાથી તેને બનાવવામાં આવ્યું, ભગવાન ન કરે પછી ઇઝરાયલ ચોક્કસ રીતે ખતમ થઇ જશે.

અહેવાલમાં જણાવ્યું મુજબ પૂર્વ રક્ષા મંત્રી વિરોધ કરી રહેલા પ્રમુખ નેતામોશેએ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂની સરકારને ગુનેગારોની તાનાશાહી તરીકે લેખાવી હતી. તેમણે કહ્યુ કે, એક રાજ્ય જેમાં પ્રધાનમંત્રી બધા ન્યાયાધીશોની નિમણુંક કરશે, જેના માટે એક નામ છે, તાનાશાહ. જે રીતે અમે સીરિયા અને ઇજિપ્તને નષ્ટ થતા રોક્યા તે જ રીતે અમે નેતન્યાહુને ઇઝરાયલનો નાશ કરતા રોકીશું. આપણે આ કરવાનું છે કારણ કે આપણે રાજ્ય અને તેના ભવિષ્યની ચિંતા કરીએ છીએ. લોકશાહી હંમેશા તાનાશાહને હરાવશે.

About The Author

Related Posts

Top News

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે

ભારત પર 50 ટકા ટેરિફ હોવા છતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખા પર ટેરિફ વધારવાની વાત કરી છે. જો...
World 
ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.