યુક્રેનનો રશિયન રાષ્ટ્રપતિ પુતિનના ઘર પર ડ્રોનથી હુમલો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું મહાયુદ્ધ હવે ખતરનાક વળાંક લઈ શકે છે. અત્યારસુધી આ યુદ્ધ યુક્રેનમાં જ લડવામાં આવી રહ્યું હતું પરંતુ, હવે યુક્રેની ડ્રોને મંગળવારે મૉસ્કોના રહેણાંક વિસ્તારો પર હુમલો કર્યો. તેને લઇને રશિયાના એક રાજનેતાએ કહ્યું છે કે, આ દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદથી અત્યારસુધીનો મૉસ્કો પર સૌથી ખતરનાક હુમલો છે. યુક્રેને છેલ્લાં 24 કલાકમાં રશિયા પર ત્રીજીવાર ડ્રોન વડે હુમલો કર્યો છે.
જણાવી દઈએ કે, આ યુદ્ધને એક વર્ષ કરતા પણ વધુ સમય વીતી ચુક્યો છે અને યુદ્ધ હજુ પણ ચાલુ છે. રશિયાએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં પોતાના પાડોશી દેશ યુક્રેનમાં પોતાની સેના મોકલી હતી, ત્યારબાદ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ઘણી હદ સુધી યુક્રેનની અંદર લડવામાં આવી રહ્યું છે. જોકે, મૉસ્કોએ પોતાના ક્ષેત્ર પર કેટલાક હુમલાની સૂચના આપી છે અને કહ્યું છે કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ એક હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પહેલા પણ યુક્રેને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના આવાસને નિશાનો બનાવ્યો હતો.
મંગળવારની સવારે યૂક્રેને મૉસ્કોના કેટલાક સૌથી વધુ વસતી ધરાવતા વિસ્તારોને નિશાનો બનાવ્યા, જેમા પુતિન અને ઘણા અભિજાત વર્ગના આવાસ પણ સામેલ છે. એક પ્રવક્તાએ કહ્યું કે, પુતિન હાલ ક્રેમલિનમાં છે અને તેમને હુમલા વિશે જાણકારી મળી ગઈ છે. રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું કે, કીવ દ્વારા મોકલવામાં આવેલા આઠ ડ્રોન અને નાગરિકોને લક્ષિત કરનારાને તોડી પાડવામાં આવ્યું અથવા ડાયવર્ટ કરવામાં આવ્યું છે. જોકે, સુરક્ષા સેવાઓ સાથે સંકળાયેલી એક ટેલિગ્રામ ચેનલ બાજાએ કહ્યું કે, 25 કરતા વધુ ડ્રોન તેમા સામેલ હતા.
મૉસ્કોના મેયરના જણાવ્યા અનુસાર, આ હુમલામાં બે લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા જ્યારે કેટલાક એપાર્ટમેન્ટ બ્લોકોને થોડી વાર માટે ખાલી કરાવી લેવામાં આવ્યા. નિવાસીઓએ કહ્યું કે, તેમણે પેટ્રોલની ગંધ બાદ તેજ ધડાકાનો અવાજ સાંભળ્યો. કેટલાક લોકોએ એક ડ્રોનને તોડી પાડવા અને ધૂમાડાના વાદળોને પણ કેમેરામાં કેદ કર્યા.
કાયદાવિદ મેક્સિમ ઇવાનોવે તેને નાજીઓ બાદથી મૉસ્કો પર સૌથી ગંભીર હુમલો ગણાવ્યો. તેમણે કહ્યું કે, કોઈ પણ રશિયન હવે નવી વાસ્તવિકતાથી ના બચી શકે. આ મહિનાની શરૂઆતમાં, ક્રેમલિન પર બે ડ્રોન વિસ્ફોટ થયા, એક હુમલામાં રશિયાએ પણ કીવને દોષી ગણાવ્યું અને કહ્યું કે, પુતિનને નિશાનો બનાવવામાં આવ્યા હતા.
એક અન્ય રશિયન સાંસદ, અલેક્ઝેન્ડર ખિનશેટિને રક્ષાના એક કટ્ટરપંથી સુદ્ઢીકરણનું આહ્વાન કર્યું અને કહ્યું, દુશ્મનને નબળા ના સમજો. હવે યુક્રેનના તોડફોડ અને આતંકવાદી હુમલામાં માત્ર વૃદ્ધિ થશે. યુક્રેની રાષ્ટ્રપતિના સહયોગી માઈખાઇલો પોડોલીકે ઇન્કાર કર્યો કે, કીવ મંગળવારે હુમલામાં સીધીરીતે સામેલ હતુ, જોકે તેમણે કહ્યું કે, અમે તેને જોઈને પ્રસન્ન છીએ અને તેને લઇને વધુ ભવિષ્યવાણી કરીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp