અમેરિકામાં મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા ગુજરાતી દંપતીની હત્યા

અમેરિકામાં ભારતીય લોકો પર હુમલા કરવાની ઘટના રોજબરોજ વધતી જઇ રહી છે. અમેરિકામાં અરવલ્લીના વેપારી દંપતીની હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યાકાંડ 6 ફેબ્રુઆરીનો રોજ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. અમેરિકામાં દંપતી મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલી હતી. વેપારીની હત્યા થતા અરવલ્લીમાં રહેતા તેમના સગાસંબંધી અને પરિવારજનોને ભારે આઘાત લાગ્યો છે. અંગત અદાવતમાં તેમની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ હત્યા પાછળ કયું કારણ જવાબદાર છે તે બાબતે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે અને ઘટનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે. અરવલ્લીના મેઘરજના મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલી દંપતી રજનીકાંત વલ્લભદાસ શેઠ અને તેમના પત્ની નિરીક્ષાબેન શેઠની હત્યા કરી દેવામાં આવી છે. ઘટના બાબતે માહિતી મળતા તેમના પરિવારજનો અમેરિકા જવા માટે રવાના થઇ ગયા છે. મેઘરજમાં તેમના સગાને ઘટના બાબતે જાણીને ભારે આઘાત લાગ્યો છે. ઘટના બાબતે જે જાણકારી મળી રહી છે તે મુજબ, મોટેલ ચલાવતી દંપતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રજનીકાંત શેઠ ગયા મહિને જ તેઓ ભારત આવીને અમેરિકા પાછા ગયા હતા. તેમની સાથે અગાઉ મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે કોઈ બાબતે ઘર્ષણ થયું હોવાની જાણકારી પણ સામે આવી રહી છે. આવામાં જૂની અદાવતમાં જ દંપતીની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. દંપતીની અમેરિકામાં તેમના ઘરે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સ્થાનિક લોકોની પજવણીના કારણે તેમણે મોટેલ વેચી દેવાની ફરજ પડી હતી, પરંતુ એ છતા તેમના પર અદાવત રાખીને રજનીકાંત શેઠ અને તેમના પત્ની નીરિક્ષાબેનની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાના કારણે તેમના વતન મેઘરજમાં શોકની લાગણી છે.

છેલ્લા બે મહિનામાં આ ત્રીજી ઘટના છે જ્યારે ભારતીય લોકો સાથે આ પ્રકારની ઘટના થઈ છે. ગયા મહિને જ 3 નકાબધારી લોકોએ એક 52 વર્ષીય ભારતીય અમેરિકન વ્યક્તિની તેના ઘર બહાર ગોળી મારીને હત્યા કરી દીધી હતી, જ્યારે તેની દીકરી અને પત્ની ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી. આ ઘટના 10 જાન્યુઆરીના રોજ જોર્જિયાના હાર્ટલે બ્રિજ રોડ પ થોરબ્રેડ લેન પર થઈ હતી.

બિબ કાઉન્ટી શેરિફ કાર્યાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, પિનાલ પટેલ અને તેનો પરિવાર કામ પરથી ઘરે પહોંચ્યા, જ્યારે નકાબધારી લોકોએ તેમના પર બંદૂક તાણી દીધી. પટેલે ત્રણેયનો વિરોધ કર્યો અને આ દરમિયાન બદમાશોએ તેમના પરિવાર પર ગોળીઓ ચલાવી. પોલીસ પહોંચવા પર પિનાલે તેની પત્ની રૂપલાબેન પટેલ અને તેની દીકરી ભક્તિ પટેલને પોતાના ઘર નજીક ગોળી લાગવાથી ઇજાગ્રસ્ત જોવા મળ્યા હતા.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.