બ્રિટનમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, ઝડપથી ફેલાઇ રહ્યો છે નવો વેરિયન્ટ

બ્રિટનમાં ફરી એકવાર કોરોના વાયરસે માથું  ઉચક્યું છે. અહીં  એક નવું EG.5.1, જેનું ઉપનામ નામ Eris છે, તેણે આરોગ્ય અધિકારીઓને ચિંતામાં મુકી દીધા છે. EG.5.1 વેરિઅન્ટ Omicron પરથી ઉતરી આવ્યો છે. તે ગયા મહિને યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ વખત મળી આવ્યો હતો અને ત્યારથી દરરોજ નવા કેસ નોંધાઈ રહ્યા છે.

ન્યૂઝ એજન્સી PTIએ ઈંગ્લેન્ડના આરોગ્ય અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે આ નવો પ્રકાર EG.5.1 પ્રથમ જૂનમાં શોધી કાઢવામાં આવ્યો હતો અને હવે તે દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, UK હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) એ અહેવાલ આપ્યો છે કે EG.5.1 નવા સાતમાંથી એક કોવિડ કેસનું કારણ બની રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને એશિયામાં વધતા કેસોને કારણે UKમાં તેના કેસ વધ્યા પછી 31 જુલાઈએ તેને નવા પ્રકાર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો.

UKHSAએ જણાવ્યું હતું કે EG.5.1 વેરિઅન્ટમાંથી અમે જે જોખમનો સામનો કરી શકીએ છીએ તેના સંકેત અમને 3 જુલાઈ, 2023ના રોજ હોરાઇઝન સ્કેનિંગ મળ્યા હતા. ત્યારથી અમે તેની દરેક ગતિવિધિ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. UK ડેટામાં જીનોમની વધતી જતી સંખ્યા અને તમામ દેશોમાં તેના વધતા દરને કારણે, પાછળથી 31 જુલાઈ 2023 ના રોજ તેને મોનિટરિંગ સિગ્નલથી વેરિઅન્ટ V-23JUL-01 સુધી વધારવામાં આવ્યું. તેના નામકરણથી અમને તેના લક્ષણો અને અસરોના વિગતવાર અભ્યાસમાં મદદ મળી છે.

UKHSA ની રેસ્પિરેટરી ડેટામાર્ટ સિસ્ટમ દ્વારા નોંધાયેલા 4,396 શ્વાસના નમૂનાઓમાંથી 5.4  ટકા કોવિડ-19 માટે પોઝિટિવ આવ્યા હતા, જે અગાઉના અહેવાલમાં 4,403 માંથી 3.7 ટકા હતા.

UKHSA વેક્સિનેશન વડા ડૉ. મેરી રામસેએ કહ્યું કે અમે આ અઠવાડિયે નોંધાયેલા COVID-19 કેસોમાં વધારો જોઈ રહ્યા છીએ. અમે મોટાભાગના વય જૂથો, ખાસ કરીને વૃદ્ધો માટે હોસ્પિટલની મુલાકાતોમાં થોડો વધારો જોયો છે. જો કે, દર્દીઓને દાખલ કરવાની ઝડપ ઓછી છે અને હાલમાં અમને ICUમાં દર્દીઓને દાખલ કરવાની કોઈ શક્યતા દેખાતી નથી. અમે દરેક વસ્તુ પર નજીકથી નજર રાખીશું

તેમણે આગળ કહ્યુ કે, નિયમિત અને પુરી રીતે હાથ ધોવાથી તમને  કોવિડ-19 અને અન્ય વાયરસથી બચવામાં મદદ મળશે. જો તમને શ્વાસ સંબંધિત તકલીફ છે તો બીજાથી દુર રહેવાની અમારી સલાહ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ બે અઠવાડિયા પહેલા EG.5.1 વેરિઅન્ટનું મોનિટરિંગ શરૂ કર્યું હતું. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે પણ કહ્યું હતું કે વેક્સીનને કારણે લોકો એકદમ સુરક્ષિત છે, પરંતુ કોઈ પણ દેશે કોરોના સામેની લડાઈ અને તકેદારી ઓછી કરવી જોઈએ નહીં.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.