ન્યૂઝીલેન્ડમાં શક્તિશાળી ભૂકંપ, રેક્ટર સ્કેલ પર તીવ્રતા 7.1, ત્સુનામીની ચેતવણી

ન્યૂઝીલેન્ડમાં ગુરુવારે સવારે ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા હતા, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1ની રહી. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સરવે મુજબ, ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેરમાડેપ દ્વીપ ગ્રુપમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં આવ્યો હતો. ભૂકંપથી થયેલા નુકસાનનું અત્યારે આંકલન કરવામાં આવી રહ્યું છે. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર (CENC) મુજબ, ચીનના સમયાનુસાર ન્યૂઝીલેન્ડમાં 8:56 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જો કે, દેશની ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી તરફથી કહેવામાં આવ્યું છે કે, દેશ પર હાલમાં સુનામીનું કોઈ જોખમ નહીં. કેરમાડેક દ્વીપ ગ્રુપ ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનના ઉત્તર-પૂર્વમાં છે અને આ દ્વીપ ગ્રુપ 13 માઈલ એટલે કે લગભગ 20 કિલોમીટરના દાયરામાં ફેલાયો છે. એક રિપોર્ટ મુજબ, અહીં કેટલાક જ્વાળામુખી પણ છે અને મોટાભાગે અહીં ભૂકંપના ઝટકાથી આ કારણે જોખમ ઉત્પન્ન થઈ જાય છે. ન્યૂઝીલેન્ડ મીડિયા તરફથી કહેવામાં આવ્યું છે કે, સુરક્ષાના બધા ઉપાય અપનાવવામાં આવી રહ્યા છે અને ઓથોરિટીઝ પૂરી રીતે અલર્ટ છે જેથી કોઈ પણ નુકસાનને બચાવી શકાય.

ભૂકંપ એટલો તેજ હતો કે તેના ઝટકા ઓસ્ટ્રેલિયામાં પણ અનુભવાયા હતા. ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી તરફથી કહેવામાં આવ્યું છે કે ફિઝી, ન્યૂઝીલેન્ડ અને ટોંગામાં 0.3 મીટર ઊંચી સમુદ્રી લહેરો જોવા મળી છે, પરંતુ ઓથોરિટીઝે કહ્યું કે, ન તો ઓસ્ટ્રેલિયા અને ન તો ન્યૂઝીલેન્ડ પર સુનામીનું કોઈ જોખમ છે. ન્યૂઝીલેન્ડની સિવિલ ડિફેન્સ એજન્સીએ કહ્યું કે, એક જોરદાર ભૂકંપ હવે પસાર થઈ ચૂક્યો છે.

ફેબ્રુઆરીના રોજ તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 રહી હતી. ભૂકંપથી બંને દેશોમાં 50 હજાર કરતા વધુ લોકોના મોત થઈ ગયા હતા. તો લાખો ઘર અને ઇમારતો ધ્વસ્ત થઈ ગયા હતા. ભારતે પણ બંને દેશોની મદદ માટે NDRF અને સેનાની મેડિકલ ટીમ મોકલી હતી. તુર્કી અને સીરિયામાં ભૂકંપ બાદ મદદ માટે ઘણા દેશ સામે આવ્યા હતા. આ ભૂકંપથી 11 સોથી વધુ પ્રાંતોમાં ઓછામાં ઓછા 9.1 મિલિયન લોકો પ્રભાવિત થવાની આશંકા છે.

લાખો લોકો બેઘર થવાથી ઘણી પરેશાનીઓ સામે આવી રહી છે. લોકોને અત્યારે પણ શેલ્ટર હોમની મદદ લેવી પડી રહી છે અને હૉસ્પિટલોમાં લોકોએ શરણ લીધું છે. ધાર્મિક સ્થળોમાં પણ લોકોને રહેવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. તો હવામાનના કારણે લોકોને સૌથી વધુ પરેશાની થઈ રહી છે. ઠંડીથી લોકોની હાલત ખરાબ છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.